Indira Gandhi
Spread the love

શ્રીમતી ઈન્દિરા ગાંધી (Indira Gandhi) ત્યારે ભારતના વડાપ્રધાન હતા ત્યારે 1980ના દાયકામાં ઈઝરાયલે (Israel) જેમ તાજેતરમાં ઈરાનના (Iran0 પરમાણુ મથકો ઉપર હુમલો કરીને નાશ કર્યો તેવી જ રીતે પાકિસ્તાનના (Pakistan) પરમાણુ કાર્યક્રમનો નાશ કરવાની યોજના બનાવી હતી. ઈઝરાયલે (Israel) આ યોજનામાં ભારતની મદદ માંગી હતી. પહેલા તો ઈન્દિરા ગાંધી (Indira Gandhi) ઈઝરાયલની (Israel) યોજનાને મંજૂરી આપી પરંતુ બાદમાં નકારી દીધી હતી.

ઈઝરાયલ અને ઈરાન (Israel Iran War) વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચી ગયો છે. શુક્રવારે ઈઝરાયલની સેનાએ (IDF) ઈરાનના પરમાણુ કાર્યક્રમને નિશાન બનાવીને હુમલા કર્યા હતા, જે હવે મોટા યુદ્ધનું સ્વરૂપ લઈ ચૂક્યું છે. બંને દેશો એકબીજા પર સતત મિસાઈલ હુમલા કરી રહ્યા છે. આ યુદ્ધ વચ્ચે 1980ના દાયકાની એક જૂની ઘટના ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. તે સમયે ઈઝરાયલે ભારત સાથે મળીને પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમને નષ્ટ કરવાની સનસનાટીભરી યોજના બનાવી હતી.

આ યોજના 1981માં ઈઝરાયલ દ્વારા ઈરાકના (Iraq) ઓસિરાક પરમાણુ રિએક્ટર પર કરવામાં આવેલા હુમલાની તર્જ ઉપર તૈયાર કરવામાં આવી હતી. આ યોજના અનુસાર ઈઝરાયલના F-15 અને F-16 લડાકુ વિમાનો ભારતના જામનગર (Jamnagar) અને ઉધમપુર (Udhampur0 એરપોર્ટ પરથી ઉડાન ભરવાના હતા અને પાકિસ્તાનના કાહુટા પરમાણુ કેન્દ્ર (Kahuta Atomic Research Center) પર હુમલો કરવાના હતા. આ યોજનામાં ભારતના જગુઆર વિમાન પણ સહાય કરવાના હતા.

ઈઝરાયલને પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમને નષ્ટ કરવામાં રસ કેમ હતો?

ઈઝરાયલની (Israel) નીતિ રહી છે કે શત્રુને શક્તિશાળી જ નહી બનવા દેવાનો અને તે સતત તે મુજબ કાર્યરત રહે છે. 1980ના દાયકામાં પાકિસ્તાન ઝડપથી તેના પરમાણુ શસ્ત્રો કાર્યક્રમનો વિકાસ કરી રહ્યું હતું. ઈઝરાયલને ચિંતા હતી કે પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ તેના માટે ખતરો બની શકે છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન તેનો પરમાણુ કાર્યક્રમ ઈસ્લામિક પરમાણુ બોમ્બના નામે કરી રહ્યું હતું. ઈઝરાયલના તત્કાલીન વડા પ્રધાન મેનાકેમ બેગિને (Menachem Begin) બ્રિટિશ (British PM) વડા પ્રધાન માર્ગારેટ થેચરને (Margaret Thatcher) પત્ર લખીને પાકિસ્તાન અને લિબિયા (Libya) વચ્ચે વધતી જતી નિકટતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમને સંદેહ હતો કે પાકિસ્તાની વૈજ્ઞાનિકો ચોરીછૂપીથી લિબિયાને (Libya) પરમાણુ ટેકનોલોજી પૂરી પાડી શકે છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં (TOI) પ્રકાશિત એક લેખ મુજબ, ભારતના તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ (Indira Gandhi) શરૂઆતમાં આ યોજનાને મંજૂરી આપી હતી. પરંતુ થોડા અઠવાડિયા પછી, તેમણે પોતાના પગલા પાછા ખેંચી લીધા હતા. આ પાછળ કથિતરૂપે ઘણા કારણો આપવામાં આવ્યા હતા. આ એજ સમય હતો જ્યારે ભારતના પંજાબમાં ઈન્દિરા ગાંધીએ (Indira Gandhi) જ મોટા કરેલા ભિંડરાનવાલે ચિંતાનો વિષય બની રહ્યો હતો અને જમ્મુ અને કાશ્મીરમાં અશાંતિ વધી રહી હતી. આ ઉપરાંત, સિયાચીન ગ્લેશિયર પર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ હતો. જોકે આ પ્રત્યેક પડકારોને પહોંચી વળવા ભારતીય સેના અને આંતરિક સુરક્ષા એજન્સીઓ સક્ષમ હતી પરંતુ….

ઈન્દિરા ગાંધીએ (Indira Gandhi) ઈઝરાયલની યોજના નકારી કાઢી

રિપોર્ટ અનુસાર, ઈન્દિરા ગાંધીને (Indira Gandhi) ડર હતો કે જો ભારત ઈઝરાયલની યોજનામાં સામેલ થઈને પાકિસ્તાનના અણુમથક કાહુટા ઉપરના હુમલામાં સામેલ થશે તો પાકિસ્તાન તેનો બદલો લઈ શકે છે. તે સમયે અફઘાનિસ્તાનમાં સોવિયેત યુનિયન સામે પાકિસ્તાનને ટેકો આપી રહેલા અમેરિકાએ પણ પાકિસ્તાનને આ યોજના વિશે જાણ કરી દીધી હોવાના સમાચાર હતા. ધ ઈકોનોમિક ટાઈમ્સના (ET) રિપોર્ટ મુજબ તત્કાલિન અમેરિકન પ્રમુખ રોનાલ્ડ રેગને (Ronald Reagan) ભારતને ચેતવણી આપતા શ્રીમતી ઈન્દિરા ગાંધીએ (Indira Gandhi) પારોઠના પગલા ભરી લીધા હતા. પાકિસ્તાને ભારતને ચેતવણી આપી હતી કે તે F-16 વિમાનોથી ભારતીય ઠેકાણાઓ પર હુમલો કરશે. કેટલાક સુરક્ષા નિષ્ણાતો અને રાજકીય વિશ્લેષકોના મત મુજબ શ્રીમતી ઈન્દિરા ગાંધી (Indira Gandhi) પાકિસ્તાનની આ ચેતવણીથી પણ ડરી ગયા હતા.

1984માં શ્રીમતી ઈન્દિરા ગાંધીની (Indira Gandhi) હત્યા બાદ આ યોજના સંપૂર્ણપણે અંધારા ખૂણામાં ધકેલાઈ ગઈ. ઈન્દિરા ગાંધીની (Indira Gandhi) હત્યા બાદ વડાપ્રધાન બનેલા તેમના પુત્ર રાજીવ ગાંધીએ (Rajiv Gandhi) આ યોજના સંપૂર્ણપણે રદ કરી દીધી. ઉલ્લેખનીય છે કે જ્યારે ઈઝરાયલે આ યોજના તૈયાર કરી ત્યારે પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ હજુ પા પા પગલી ભરતો હતો અને 1984 સુધીમાં, પાકિસ્તાન યુરેનિયમને અણુશસ્ત્રો બનાવી શકાય તે સ્તર સુધી સંવર્ધિત કરવા સક્ષમ બની ગયું હતું.

1988માં બંને દેશોએ એકબીજાના પરમાણુ સ્થળો પર હુમલો ન કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા. આજે પણ આ કરારનું પાલન કરતા દર વર્ષે 1 જાન્યુઆરીએ ભારત અને પાકિસ્તાન તેમના પરમાણુ સ્થળોની યાદી એકબીજા સાથે શેર કરે છે. પણ પ્રશ્ન એ છે કે જો ‘લોખંડી મહિલા’ ગણાવાતા શ્રીમતી ઈન્દિરા ગાંધીએ (Indira Gandhi) ઈઝરાયલની યોજનાને માની લીધી હોત તો આજે પાકિસ્તાન વારંવાર અણુબોંબની ધમકી આપતુ રહે છે તે કદી તેને માટે સક્ષમ ન થયું હોય, ભારતનો હાથ પાકિસ્તાન સામે યુદ્ધ અથવા યુદ્ધ જેવી સ્થિતિમાં હંમેશા ઉપર રહ્યો હોત.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *