હમણાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ ગાજી રહ્યા છે. જેમાંનું એક રાજ્ય તેલંગાણા પણ છે. તેલંગાણાના મુખ્યમંત્રી બીઆરએસ પાર્ટીના કે. ચંદ્રશેખર રાવ જે કેસીઆર ના નામે વિખ્યાત છે તે છે. કે ચંદ્રશેખરરાવ રાજ્યમાં ખેડૂતોના મોટા વિરોધનો સામનો કરી રહ્યા છે જેના પડઘા વિધાનસભાની ચૂંટણીમાં પણ દેખાઈ રહ્યા છે. કેસીઆરે ગજવેલ અને કામરેડ્ડી એમ બે વિધાનસભા સીટ પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે.
ગજવેલમાંથી મુખ્યમંત્રી અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના સુપ્રીમો કે ચંદ્રશેખર રાવ અથવા KCR ત્રીજી વખત ચૂંટણી લડવાના છે અને ત્યાંથી તેમણે નામાંકન દાખલ કર્યું છે. ગજવેલ વિધાનસભા સીટ પર કુલ 154 ઉમેદવારોએ નામાંકન દાખલ કર્યું છે. અહી કેસીઆરને શેરડીના ખેડૂતોનો વિરોધ સહન કરવાનો વારો આવ્યો છે જેને પરિણામે શેરડીના ખેડૂતો સહિત 100 થી વધુ ઉમેદવારોએ, મોટાભાગના અપક્ષોએ કેસીઆર સામે ઉમેદવારી નોંધાવી છે. વિરોધ કરી રહેલા ખેડૂતો નિઝામાબાદ જિલ્લામાં સુગર ફેક્ટરી ફરી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. 100 થી વધુ ઉમેદવારો, મોટાભાગે અપક્ષોએ ઉમેદવારી નોંધાવી છે, અન્ય વિરોધ કરી રહેલું જુથ બેરોજગાર યુવાનોના અડધા ભાગ અને સિવિલ સર્વિસ પરીક્ષાઓ યોજવામાં સરકારની નિષ્ફળતા સામે વિરોધ કરનારાઓનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય વિરોધી જૂથ તેલંગાણા અલગ રાજ્યની ચળવળ દરમિયાન મૃત્યુ પામેલા લોકોના પરિવારોને નોકરીઓ અને અન્ય સેવાઓ આપવાની માગ કરી રહ્યા છે.
કેસીઆરએ 2014 અને 2018ની ચૂંટણીમાં ગજવેલ જીતી હતી. 2014 માં તેઓ 44.06% વોટ શેર સાથે જીત્યા હતા. 2018 માં, તેમણે 60.45% વોટ શેર મેળવ્યા હતા. આ વખતે કેસીઆરનો મુકાબલો ભાજપના એટેલા રાજેન્દ્ર અને કોંગ્રેસના થૂમકુંતા નરસા રેડ્ડી સામે થશે.
આ વખતે કેસીઆરને ગજવેલની સીટ પર કપરાં ચઢાણ દેખાઈ રહ્યા હોય તેમ જણાતા તેમણે બીજી જગ્યાએ કામરેડ્ડી સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે. કેસીઆર કામરેડ્ડી સીટ પરથી પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. જોકે અહીં પણ કેસીઆરને વિરોધનો સામનો કરવો પડી રહ્યો હોવાની એંધાણી આ સીટ પર 102 ઉમેદવારોએ નોંધાવેલી ઉમેદવારી જોતાં આવ્યા વગર રહેતી નથી. આ સીટ ઉપર જે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તેમાંના ઘણા કામરેડ્ડી ફાર્મર્સ જોઈન્ટ એક્શન કમિટી (JAC) ના સભ્યો છે જેઓ મ્યુનિસિપાલિટીના ડેવલપમેન્ટ માસ્ટર પ્લાનને લઈને નારાજ છે જેના હેઠળ ઘણા ખેડૂતોએ તેમની જમીન ગુમાવી હતી. જોકે આ યોજના મ્યુનિસિપાલિટી, મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન અને અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા રદ કરવામાં આવી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે જેએસીના સો જેટલા ખેડૂતોએ ગયા મહિને કહ્યું હતું કે તેઓ ખેડૂતોન તેમની જમીનનું નુકસાન કરી શકે તેવી કોઈપણ ભાવિ વિકાસ યોજનાઓ સામે તેમનો વિરોધ વ્યક્ત કરવા માટે મુખ્યમંત્રી સામે ચૂંટણી લડશે.
કામરેડ્ડીમાં કેસીઆરના સૌથી મોટા અને મજબૂત હરીફ તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટી (TPCC) ના વડા રેવન્ત રેડ્ડી છે. રેવન્ત રેડ્ડી કામરેડ્ડી અને કોડાંગલ એમ બે સીટ ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે કામરેડ્ડીમાં કે વેંકટ રમણ રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે. કામરેડ્ડી સીટનો ઇતિહાસ જોઈએ તો કેસીઆરની પાર્ટી બીઆરએસ (BRS)એ 2014 માં આરામથી આ સીટ જીતી હતી પરંતુ 2018 માં કોંગ્રેસના મોહમ્મદ શબ્બીર અલી તરફથી સખત પડકારનો સામનો કરવો પડ્યો હતો.