Spread the love

મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધનનો જંગી વિજય હવે ઔપચારિક રીતે ઘોષિત થવાનું જ બાકી રહ્યું છે. કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે મળીને પણ મહાયુતિને ખાસ કશુ નુકશાન કરી શક્યા નથી. આજે મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણીની મતગણતરી વખતે એ સ્પષ્ટ દેખાયું કે લોકસભાની ચૂંટણીમાં મળેલી પછડાટથી ભાજપે શીખ લીધી છે. લોકસભા ચુંટણી વખતે બગડેલા સમીકરણોને મહાયુતિ ગઠબંધને સંભાળીને ફરીથી ગોઠવ્યા એટલુંગ જ નહી ‘બટેંગે તો કટેંગે’ના નારાએ સૌમાં જોશ ભરી દીધું એટલું જ નહી પીએમ મોદીના સ્લોગન ‘એક હૈ તો સેફ હૈ’ આમાં મહત્વની ભૂમિકા ભજવી અને પાર્ટીમાં પડવા જઈ રહેલી તિરાડોને પણ સજ્જડ જોડી દીધી.

મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન જંગી બહુમતી સાથે સત્તામાં પરત ફરવા ભણી અગ્રેસર છે. ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને એનસીપી (અજિત પવાર જૂથ) ની આ ત્રિપુટીએ મહા વિકાસ અઘાડીના સુપડા સાફ કરી દીધા છે. આ પ્રચંડ વિજયનો શ્રેય સમગ્ર દેશમાં અને મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યા તે નારાઓને જાય છે. નારાઓ અનેક આવ્યા પરંતુ તે નારાઓમાંથી એક ‘બટેંગે તો કટંગે’ અને બીજો ‘એક હૈ તો સેફ હૈ’ સૌથી ચર્ચાસ્પદ અને પ્રચલિત માત્ર ન બન્યા અપિતુ જન-જન સુધી પહોંચ્યા અને જબરદસ્ત અસર કરી. મહારાષ્ટ્ર ચૂંટણીમાં પીએમ મોદીએ નારો આપ્યો ‘એક હૈ તો સેફ હૈ’ જેની સામે કોંગ્રેસ અને વિપક્ષના બધા નારા પર સંપૂર્ણ રીતે ધ્વસ્ત થયેલા દેખાઈ આવે છે.

મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનને 220થી વધુ બેઠકો મળી રહેલી જણાય છે, જ્યારે મહા વિકાસ આઘાડી 55 બેઠકો સુધી સીમિત રહી જશે તે સ્પષ્ટ થતુ જાય છે. કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે મળીને અપેક્ષાઓ ઉભી કરી હતી તે મુજબ કોઈ કમાલ કરી શક્યા નથી. લોકસભાની ચૂંટણી બાદ ભાજપે પાઠ ભણ્યો અને બગડેલા સમીકરણ સુધાર્યા, ખાસ કરીને હિંદુ મતોને જાતિઓમાં વહેંચાતા અટકાવીને મહારાષ્ટ્રમાં નવો ઈતિહાસ રચ્યો છે. પ્રચંડ વિજય બાદ સ્વયં દેવેન્દ્ર ફડણવીસે નારાનો ઉલ્લેખ કરતા સોશ્યલ મીડિયા X ઉપર પોસ્ટ કરતા લખ્યું, ‘એક હૈ તો સેફ હૈ’, ‘મોદી હૈ તો મુમકીન હૈ.”

‘બટેંગે તો કટંગે’ નારો લોકપ્રિય થયો

ચૂંટણીમાં ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે ‘બટેંગે તો કટંગે’ નો નારા આપીને મહારાષ્ટ્રના રાજકારણમાં ન માત્ર ગરમાવો લાવી દીધો હતો પરંતુ વિપક્ષના કેમ્પમાં સોપો પાડી દીધો હતો. સમગ્ર ચુંટણી દરમિયાન એ વ્યાકપણે જોવા મળ્યું કે સમગ્ર વિપક્ષ આ નારાનો પ્રભાવ ખાળવા મથી રહ્યો છે. આ નારો ચૂંટણીમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો હતો.

ઉત્તરપ્રદેશની ધરતી ઉપરથી અપાયેલા આ નારાના વિરોધની શરુઆત મહારાષ્ટ્રથી થઈ અને ઉત્તરપ્રદેશ પહોંચી જયાં ‘બટેંગે તો કટંગે’ ના નારા વિરુદ્ધ સીએમ યોગીના સહયોગી નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ નિવેદન આપ્યું. કેશવ મૌર્યએ કહ્યું કે ‘મને ખબર નથી કે મુખ્યમંત્રીએ કયા સંદર્ભમાં આવું કહ્યું છે, આ સ્થિતિમાં મારે ટિપ્પણી કરવી યોગ્ય નથી. ભાજપ વિકાસના નામે ચૂંટણી લડે છે. ત્યાર બાદ પીએમ નરેન્દ્ર મોદીએ મોરચો સંભાળી લીધો અને ‘એક હૈ તો સેફ હૈ’ નો નારો આપીને સમગ્ર સમીકરણો બદલી નાખ્યા અને પ્રચંડ બહુમતીની આંધીમાં વિપક્ષને ઢગલો થઈ ગયો.

મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે મહાયુતિ ગઠબંધનને હિંદુ મતો મોટી સંખ્યામાં મળ્યા છે. તેના કારણો જોતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ‘બટેંગે તો કટેંગે’ અને પીએમ નરેન્દ્ર મોદીના ‘એક હૈ તો સેફ હૈ’ ના નારા હોવાનું માનવામાં આવે છે. યોગી આદિત્યનાથના ‘બટેંગે તો કટેંગે’ ના નારાએ વિપક્ષમાં ખળભળાટ અને ગભરાટ ઉભો કરી દીધો હતો. ગત લોકસભા ચુંટણી વખતે ‘સંવિધાન ખતમ થઈ જશે’, ‘આરક્ષણ ખતમ થઈ જશે’ ‘જાતિ ગણના’ જેવા નેરેટીવથી વિખરાયેલા હિંદુ મતોનો ફાયદો વિપક્ષને થયો હતો તે ફાયદો આ ‘બટેંગે તો કટેંગે’ નારાને લીધે હિંદુ મતો એક થશે તો નહી મળે એ ભય વિપક્ષને સતાવતો હતો અને વિપક્ષનું સંપુર્ણ પ્રચારતંત્ર આ નારાનો તોડ શોધવા અને તેની અસરોને રોકવા તરફ કેન્દ્રિત રહ્યું. ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવ પ્રતિદિન આ નારાનો ઉપયોગ કરીને જુદા જુદા નારા આપવા લાગ્યા તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ નારો આપનારા યોગી આદિત્યનાથ અંગે અપમાનજનક ટીપ્પણી કરતા જોવા મળ્યા. એક તરફ ‘બટેંગે તો કટેંગે’ નો તોડ શોધવામાં વિપક્ષ દરરોજ નિષ્ફળ જતો હતો ત્યાં આ નારાનો વિરોધ આગળ જણાવ્યું તેમ ઘરમાં જ શરુ થયો. આ નાજુક સમય હતો અને ત્યારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નારાને જ જાણે આપુર્તિ કરતા હોય અથવા આ નારાનું જ આગળનું ચરણ હોય એવો નારો “એક હૈ તો સેફ હૈ” આપ્યો. આ બન્ને નારા સામાન્ય મતદારોના મન ઉપર છવાયેલા જોવા મળ્યા. મતદાતા જાણે લોકસભાની ચુંટણી વખતે પોતે ઠગાયો હોય એવું અનુભવવા લાગ્યો અને વિપક્ષની ટીપ્પણીઓએ મતદાતાનો અનુભવ સાચો છે એની અનુભૂતિ કરાવતી રહી. પરિણામ જે આવ્યું તે મહારાષ્ટ્ર ની ચુંટણીનું છે.

આ બન્ને નારાઓનો પ્રભાવ જોતા આ નારાનું ચલણ ચિરકાલીન રહેશે એવું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે. આ નારાનું વિષ્લેષણ કરતા રાજકીય નિષ્ણાતો એવું માની રહ્યા છે કે ભાજપ તેના કોર મતદાતા તરફ પરત ફર્યો છે જે લોક્સભા વખતે દૂર થયેલો જણાતો હતો જ્યારે મતદાતા એવું માનતો થયો છે કે વિપક્ષ તેને ફેક નેરેટીવ દ્વારા છેતરી શકે છે તેથી વિપક્ષની વિશ્વસ્નીયતા મતદાતાની દ્રષ્ટીએ જોતા તળીયે જઈ બેઠી છે. સામાન્ય મતદાતા એમાં પણ સામાન્ય હિંદુ મતદાતા હવે એવું સજ્જડપણે વિચારતો થયો છે કે તેનું અસ્તિત્વ પણ જો ભયમાં મુકાતું હશે તો પણ વિપક્ષ તેની ચિંતા નહી કરે, લઘુમતી મતોની આળપંપાળ કરતો વિપક્ષ ગાઝા કે અન્ય જગ્યાએ અન્ય ધર્મના લોકોની ચિંતા કરશે પરંતુ જે ધર્મનું જન્મસ્થાન જ ભારત છે એવા હિંદુ ધર્મના અનુયાયીઓની કત્લેઆમ પણ કરવામાં આવશે તો પણ વિપક્ષ તેના લઘુમતી મતદાતા રિસાઈ ન જય તેની ચિંતા કરીને મુંગોમંતર બની જશે. સામાન્ય મતદાતાના આ અનુમાન અને માન્યતાને સાચી પાડતા હોય એવું જ વર્તન વિપક્ષ દ્વારા જોવા મળ્યું જ્યારે બાંગ્લાદેશમાં હિંદુઓની કત્લેઆમ થઈ, હિંદુ મહિલાઓ ઉપર અત્યાચાર, બળાત્કાર થયા પરંતુ વિપક્ષ આ ઘટનાનો વિરોધ કરતો હોય એ અવાજ સામાન્ય મતદાતાને સાંભળવા ન મળ્યો, મતદાતા અધીરો બનીને વિપક્ષ વિરોધ કરે એની પ્રતિક્ષા કરતો રહ્યો પરંતુ વિપક્ષ ચુપ જ રહ્યો. સામાન્ય હિંદુ મતદાતા બાંગ્લાદેશની ઘટના અને વિપક્ષના વલણથી સમજી ગયો. આ સમજણના પ્રત્યાઘાત મહારાષ્ટ્રની ચુંટણીના પરિણામોમાં જોવા મળ્યા.


Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.

One thought on “Politics: વિપક્ષ ધ્વસ્ત: “એક હૈ તો સેફ હૈ” અને “બટેંગે તો કટેંગે” બે નારાએ કર્યો ચમત્કાર”
  1. […] પસાર થતાં જ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જ્યોતિબા ફુલેને (Jyotiba Phule) આપવામાં આવેલા […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *