LOC: નાગપુરની એક 36 વર્ષીય મહિલા તાજેતરમાં તેના 15 વર્ષના પુત્ર સાથે કારગિલ ફરવા પહોંચી હતી. જ્યાં તે પોતાના દીકરાને હોટલના રૂમમાં છોડીને હુંદરબન ગામમાં ગઈ, જે કારગિલમાં નિયંત્રણ રેખા (LOC) ની નજીક આવેલું છેલ્લું ગામ છે, પરંતુ તે ત્યાંથી પાછી ફરી નહીં.
દેવલિપિ ન્યુઝના બધા અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ ફોલો કરો
નાગપુરની એક મહિલા તાજેતરમાં તેના 15 વર્ષના પુત્ર સાથે જમ્મુ કાશ્મીરના કારગિલ ફરવા આવી હતી. જ્યાં તે એક હોટલના રૂમમાં રોકાઈ હતી, પરંતુ પછી કંઈક એવું બન્યું કે તે રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ. વાસ્તવમાં, 36 વર્ષીય મહિલા 14 મેના રોજ લદ્દાખ ક્ષેત્રના કારગિલ જિલ્લાના છેલ્લા ગામમાંથી ગુમ થઈ ગઈ હતી.

કારગિલના અધિક પોલીસ અધિક્ષક નીતિન યાદવે જણાવ્યું હતું કે, મહિલા 9 મેના રોજ કારગિલ આવી હતી અને તેના પુત્ર સાથે એક હોટલમાં રોકાઈ હતી. 14 મેના રોજ, તે તેના પુત્રને હોટલમાં છોડીને કારગિલમાં નિયંત્રણ રેખા (LOC) ની નજીકના છેલ્લા ગામ હુંદરબન ગામમાં ગઈ હતી, પરંતુ તે ત્યાંથી પાછી ફરી ન હતી.
મહિલા દીકરા સાથે ફરવા આવી હતી
પોલીસે જણાવ્યું કે મહિલાના ગુમ થવાનો મામલો હોટલના કર્મચારીઓએ રાત્રે મહિલાને જોઈ ત્યારે પ્રકાશમાં આવ્યો હતો. પોલીસ અધિકારીએ કહ્યું, જ્યારે અમને ખબર પડી, ત્યારે અમારી ટીમ હોટલમાં ગઈ અને પુત્રની પૂછપરછ કરી, જેણે અમને કહ્યું કે તેઓ છેલ્લા કેટલાક દિવસોમાં અલગ અલગ જગ્યાએ ફરતા હતા. કારગિલ પહોંચતા પહેલા, તેમણે પંજાબના કેટલાક સ્થળે ફરવા ગયા હતા.

(LOC) થી ગુમ મહિલાની શોધ ચાલુ
એડિશનલ એસપીએ જણાવ્યું હતું કે, અમે મહિલાને શોધવા માટે એક ખાસ સર્ચ ટીમની રચના કરી છે. જોકે, તેમણે કહ્યું કે અત્યાર સુધી અમને કોઈ સુરાગ મળ્યો નથી પરંતુ અમારા માટે ચિંતાજનક બાબત એ છે કે તે નિયંત્રણ રેખા (LOC) નજીકના છેલ્લા ગામમાંથી ગુમ થઈ ગઈ છે. મહિલાને શોધવા માટે અમારું સર્ચ ઓપરેશન ચાલુ છે.
દેવલિપિ ન્યુઝના બધા અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ ફોલો કરો
મહિલાના ગુમ થયા પછી, કારગિલ પોલીસ હવે મહિલાના સંબંધીઓના સંપર્કમાં છે અને તેમની પાસેથી તેના વિશે માહિતી મેળવી રહી છે. પોલીસે જણાવ્યું કે અમને તેના સંબંધીઓ પાસેથી ખબર પડી કે તેના પતિથી લગભગ 10 વર્ષ પહેલા તલાક થઈ ગયા હતા.

અગાઉ તે મુંબઈ અને નાગપુરની ખાનગી હોસ્પિટલોમાં નર્સ તરીકે કામ કરતી હતી. આ ઉપરાંત, તેમણે થોડા વર્ષો સુધી દરજી તરીકે પણ કામ કર્યું. હવે આ વ્યવસાય તેની બે બહેનો સંભાળી રહી છે.
દીકરો ક્યાં છે?
અધિકારીએ કહ્યું કે મહિલાના ગુમ થયા પછી, પુત્ર કારગિલમાં એકલો પડી ગયો હતો અને તે આઘાતમાં છે. આ કારણે, મહિલા અને બાળ કલ્યાણ સમિતિના અધિકારીઓ નિયમ મુજબ પુત્રનો કબજો લેવા માટે કારગિલ પહોંચ્યા. યાદવે કહ્યું કે તેઓ આગામી થોડા દિવસોમાં કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી તેને તેના સંબંધીઓને સોંપી દેશે. પોલીસે એમ પણ કહ્યું કે, બાળક અત્યારે આઘાતમાં છે, તેથી અમે તેની વધુ પૂછપરછ નથી કરી શક્યા, તે ઠીક છે અને હાલમાં અમારી સાથે છે.

આ દરમિયાન હજુ એ રહસ્ય વણઉકલ્યુ છે કે નિયંત્રણ રેખા (LOC) નજીકના ગામમાંથી આ મહિલા ક્યાં ગુમ થઈ ગઈ.
દેવલિપિ ન્યુઝના બધા અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ ફોલો કરો