આંબેડકર સ્મારકમાં કરવામાં આવેલા નુકશાનના વિરોધમાં બંધના એલાન દરમિયાન બુધવારે મહારાષ્ટ્રના પરભણીમાં હિંસા ફાટી નીકળી હતી. નુકસાનની માહિતી ફેલાતાં લગભગ 200 લોકોનું ટોળું પ્રતિમા પાસે એકત્ર થઈ ગયું હતું. પોલીસે જણાવ્યું હતું કે 10 ડિસેમ્બરે ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. પરભણીના ઘણા વિસ્તારોમાં દુકાનો અને વાહનોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી.
પ્રદર્શનકારીઓ પરભણી રેલ્વે સ્ટેશન તરફ પણ ધસી આવ્યા હતા અને ટ્રેનો રોકવાનો પ્રયાસ કર્યો હતો અને 30 મિનિટથી વધુ સમય માટે રેલ્વે ટ્રેક બ્લોક કરી દીધા હતા. જોકે ત્યાં સુધીમાં સરકારી રેલ્વે પોલીસ (જીઆરપી) અને સ્થાનિક પોલીસ કર્મચારીઓ દ્વારા પ્રદર્શનકારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.
ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. કેટલાક વિસ્તારોમાં લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. પરભણીમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. દરમિયાન, પરભણીના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) રઘુનાથ ગાવડેએ જણાવ્યું હતું કે એક આરોપીની અટકાયત કરવામાં આવી છે અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 163 લાગુ કરવામાં આવી છે.
VIDEO | Maharashtra: Violence in Parbhani during a bandh called in the city.
— Press Trust of India (@PTI_News) December 11, 2024
An unidentified person on Tuesday damaged a replica of the Constitution held by the statue of B R Ambedkar outside Parbhani railway station triggering arson and stone-pelting.#Parbhani… pic.twitter.com/yg4dt3g6gO
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સોપાન દત્તારાવ પવારે મંગળવારે રેલવે સ્ટેશનની સામે આંબેડકર મેમોરિયલમાં બંધારણની પ્રતિકૃતિને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કરતા લોકોએ તેને ખૂબ માર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
એકઠી થયેલી ભીડે રહેણાંક વિસ્તારોમાં પણ પથ્થરમારો કર્યો હતો. લોકોએ બંધારણની પ્રતિકૃતિને નુકશાન પહોંચાડવા પ્રયાસના વિરોધમાં બુધવારે પરભણી બંધનું એલાન આપ્યું હતું. બંધ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી અને લોકોએ તોડફોડ અને આગચંપી શરૂ કરી હતી. અનેક રહેણાંક મકાનો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરવામાં આવી હતી.