Spread the love

  • આજે ભાજપના મનપા તથા પંચાયતના ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે
  • ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 13મી ફેબ્રુઆરી
  • 6 મહાનગરપાલિકામાં ઉમેેેદવારોની જાહેરાત થઈ ચુકી છે

આજે ભાજપના મનપા, જીલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓનું વાતાવરણ ધીમે ધીમે જામી રહ્યું છે. મહાનગરપાલિકામાં કેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તે ચિત્ર ગઈકાલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ બાદ સ્પષ્ટ થઈ ગયું છે. મહાનગરપાલિકામાં જામતું જતું ચૂંટણી વાતાવરણ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચવા તૈયાર છે. આજે ભાજપ 81 નગરપાલિકા, 31 જીલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરશે. અપક્ષો તથા અન્ય પક્ષો દ્વારા ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ છે. નગરપાલિકા, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 13 મી ફેબ્રુઆરી છે.

ઉમેદવારોની પસંદગી માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના બંગલે રવિવારથી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે. બેઠકમાં ગુજરાતની 81 નગરપાલિકા, 31 જીલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત માટે પોતાના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપના ઉમેદવારોની પસંદગી પૂર્ણ થઈ છે અને ઉમેદવારોના નામ ઉપર મહોર પણ મારી દેવામાં આવી છે જેની આજે જાહેરાત કરવામાં આવી શકે છે.

નગરપાલિકા, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 2015ની સ્થિતિ

2015 માં થયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપનો ગુજરાતની 6 મહાનગરપાલિકામાં વિજય થયો હતો જ્યારે નગરપાલિકાઓ, જીલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં મહાનગરપાલિકાઓ જેવો દેખાવ કરી શક્યો નહોતો. આ જોતા એવું ચિત્ર દેખાતું હતું કે ભાજપ શહેરી વિસ્તારોમાં મજબૂત સ્થિતિમાં છે અર્થાત શહેરી મતદારો ઉપર ભાજપનો પ્રભાવ જોવા મળે છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપની સ્થિતિ નબળી છે કે ગ્રામ્ય મતદારો ઉપર ભાજપનો શહેરના મતદારો જેટલો પ્રભાવ નથી. 2015 માં થયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ગુજરાતની કુલ 31 જીલ્લા પંચાયતોમાં થી ભાજપ માત્ર 8 જીલ્લા પંચાયત જીતી શક્યો હતો અને 23 જીલ્લા પંચાયતોમાં કોંગ્રેસની જીત થઈ હતી. કુલ 230 તાલુકા પંચાયતોમાંથી ભાજપે 77 તાલુકા પંચાયતમાં અને કોંગ્રેસે 151 તાલુકા પંચાયતમાં જીત મેળવી હતી. કુલ 55 નગરપાલિકામાં થી ભાજપે 41 માં વિજય મેળવ્યો હતો જ્યારે 12 માં કોંગ્રેસ જીતી હતી.


Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.