તિરુપતિ મંદિરમાં આગ લાગવાના સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ લાડુ કાઉન્ટર પાસે આગ લાગી હતી. જેના કારણે પવિત્ર પ્રસાદ લેતા ભક્તોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાનું કારણ કમ્પ્યુટર સેટઅપ સાથે જોડાયેલ યુપીએસમાં શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. પ્રશાસન મંદિરમાં લાગેલી આગ ઓલવવામાં લાગી ગયું હતું. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
#BREAKING | Fire breaks out at Tirumala temple in Tirupati
— Republic (@republic) January 13, 2025
Tune in to watch all live updates here – https://t.co/ve37NsOvbT#Tirupati #Tirumala pic.twitter.com/LdQi2gitso
થોડા દિવસો પહેલા જ એક અકસ્માત થયો હતો
થોડા દિવસો પહેલા 8 જાન્યુઆરીએ તિરુપતિ મંદિરમાં એક પીડાજનક અકસ્માત થયો હતો. જ્યારે તિરુપતિમાં વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ સેન્ટર પાસે નાસભાગ મચી હતી જેમાં છ લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા લોકો ઘાયલ થયા. નાસભાગમાં 4 હજારથી વધુ શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તિરુપતિમાં 10 દિવસના વિશેષ દર્શન માટે ભક્તો ટોકન મેળવવા માટે લાઈનમાં ઉભા હતા. આ દુર્ઘટના બાદ મંદિર પ્રશાસન દ્વારા ભારે તકેદારી રાખવામાં આવી રહી છે. મંદિરની આસપાસ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છતાં તે ઘટના બાદ આજે ફરી વધુ એક દુ:ખદ ઘટના અત્યંત ગંભીર ચિંતાનો વિષય બની છે.
મૃતકોના પરિવારજનોને વળતરની જાહેરાત
8મી જાન્યુઆરીના રોજ તિરુપતિ મંદિરમાં થયેલા અકસ્માત અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ઘાયલો માટે રાહત પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આંધ્રના સીએમ ચંદ્રબાબુ નાયડુએ મૃતકોના પરિવારજનોને 25-25 લાખ રૂપિયાનું વળતર અને પરિજનોને નોકરી આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત તે ભયાનક અકસ્માતની ન્યાયિક તપાસ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા. અકસ્માતના જવાબમાં કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ અને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
[…] આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં પણ એક મોટી બે કુકડા વચ્ચે લડાઈ (Cock Fighting) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બે કુકડા વચ્ચે લડાઈ (Cock Fighting) માં બાજી ઘણી ઊંચી લગાવવામાં આવી હતી. વેંકટરામૈયાએ કુકડાની લડાઈ પર રૂ. 1.25 કરોડની શરત લગાવી હતી. છેલ્લા 10 દિવસથી 1 કરોડ રૂપિયાની આ બાજી વિશે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી હતી. જેમાં ગુડીવાડા પ્રભાકર રાવનો મોર અને રંગાપુરમ રતૈયાનો રસંગી કૂકડો મેદાનમાં હતા. […]
[…] પ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરના મેનેજમેન્ટે બિન-હિંદુ ધાર્મિક […]