બાંગ્લાદેશમાં હિંદુ અને અન્ય લઘુમતીઓ ઉપર થઈ રહેલા અત્યાચાર અને હિંસા મુદ્દે હવે અમેરિકામાંથી પણ અવાજ ઉઠયો છે. અમેરિકન સેનેટરે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકારની એ જવાબદારી છે કે તે દેશમાં રહેલા લઘુમતીઓની સુરક્ષા કરે. ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં શેખ હસીનાની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારની વિદાય પછી હિંદુઓ ઉપર અત્યાચાર અને હિંસા થઈ રહી છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર યુએસ કોંગ્રેસમેન બ્રેડ શેરમેને એક નિવેદનમાં જણાવ્યું હતું “બાંગ્લાદેશની હિંદુ લઘુમતીનું રક્ષણ કરવાની સંપૂર્ણ જવાબદારી વચગાળાની સરકારની છે અને તાજેતરમાં હિંદુઓ ઉપર થયેલા હુમલા અને ઉત્પીડનના વિરોધમાં હજારો લઘુમતી હિન્દુઓનો વિરોધ સાબિત કરે છે.”
શેરમેને ઉમેર્યું કે, “બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના પતન પછી હિંદુઓ હિંસક અશાંતિ દરમિયાન હત્યાઓ અને અન્ય અધિકારોના ઉલ્લંઘન માટે બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદ અને માનવ અધિકાર માટે સંયુક્ત રાષ્ટ્રના હાઈ કમિશનર વોલ્કર તુર્ક તરફથી તપાસની માંગને જોતા વર્તમાન વહીવટીતંત્રે હિંદુ સમુદાય વિરુદ્ધ હિંસાના અટકાવવી જોઈએ.”
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર શેરમેને પોસ્ટ કરતા લખ્યું કે, “બાંગ્લાદેશ સરકારની ફરજ છે કે તમામ નાગરિકો, ખાસ કરીને લઘુમતી હિંદુ સમુદાયને હિંસા સામે રક્ષણ આપે. બાંગ્લાદેશના હિંદુ સમુદાય પર તાજેતરના હુમલાઓથી હું રોષે ભરાયો છું અને બાંગ્લાદેશની સરકારને હિંદુ વિરોધી હિંસાનો અંત લાવવા માટે ગંભીર પગલાં લેવા વિનંતી કરું છું.”
The #Bangladesh government has a duty to protect all citizens, particularly the minority #Hindu community, against violence. I am outraged by recent attacks against Bangladesh's Hindu community and urge Bangladesh's government to take serious action to end anti-Hindu violence.
— Congressman Brad Sherman (@BradSherman) December 3, 2024
સપ્તાહના અંતમાં બાંગ્લાદેશના હિંદુ સમુદાયે વ્હાઇટ હાઉસ પાસે ચિન્મય દાસની સ્વતંત્રતા અને બાંગ્લાદેશી હિંદુઓ માટે સુરક્ષાના પગલાંની માગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
હિન્દુએક્શન (The HinduACTion) ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉત્સવ ચક્રવર્તીએ પણ વિદાય લઈ રહેલા બિડેન-હેરિસ વહીવટીતંત્રને કટ્ટરપંથી ઈસ્લામવાદીઓ દ્વારા બાંગ્લાદેશી હિંદુઓ વિરુદ્ધ વધી રહેલી હિંસાને અટકાવવા માટે તમામ સંભવિત પગલાં લેવા વિનંતી કરી હતી.
તેમણે આગળ જણાવ્યું હતું કે, “અમને બાંગ્લાદેશથી જે જાણકારી મળી રહી છે તેના મુજબ વચગાળાની સરકાર દ્વારા જેલમાં બંદી બનાવાયેલા હિંદુ સાધુ અને નાગરિક અધિકાર રક્ષક ચિન્મય કૃષ્ણ બ્રહ્મચારીના જીવન સામે કસ્ટડીમાં ગંભીર ખતરો છે.”

[…] વચ્ચેના સંબંધો તંગ બની ગયા છે. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ સત્ત […]