ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને શુક્રવારે મોડી રાત્રે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 96 વર્ષીય ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીની સારવાર ન્યુરોલોજી વિભાગના વરિષ્ઠ સલાહકાર ડો. વિનીત સૂરીની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. અગાઉ 04 જુલાઈ 2024ના રોજ પણ અડવાણીને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના થોડા દિવસો પહેલા અડવાણીને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં લઈ જવામાં આવ્યા હતા. AIIMSમાં એક રાત દાખલ રાખ્યા બાદ તેમને રજા આપવામાં આવી હતી.
લાલ કૃષ્ણ અડવાણીને 27 જૂને દિલ્હીની એઈમ્સમાંથી રજા આપવામાં આવી હતી. ઉંમર સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત અચાનક બગડવાના કારણે તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. લાલ કૃષ્ણ અડવાણીને જેરીયાટ્રીક વિભાગના ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.
Veteran BJP leader Lal Krishna Advani has been admitted to Delhi's Apollo Hospital. His condition is stable: Hospital source
— Press Trust of India (@PTI_News) December 14, 2024
READ: https://t.co/JoZAnn2qzk
(File Photo) pic.twitter.com/Td6r3hw9YT
1980માં ભાજપની રચના થઈ ત્યારથી લાલકૃષ્ણ અડવાણી ભાજપના સંગઠનાત્મક નેતા તરીકે ઉભરી આવ્યા બાદ તેઓ નાયબ વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા હતા. અડવાણી લાંબા સમય સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. 22 ઓક્ટોબર, 2024ના રોજ ભાજપના ત્રણ નેતાઓ વિનોદ તાવડે, અરુણ સિંહ અને શોભા કરંડલાજેએ 96 વર્ષીય અડવાણીને સક્રિય સભ્ય બનાવ્યા હતા. આ જ વર્ષે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કૃષ્ણ અડવાણીની તેમના ઘરે મુલાકાત લીધી અને તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા. 2015 માં અડવાણીને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
લાલકૃષ્ણ અડવાણી લગભગ ત્રણ દાયકા લાંબી સંસદીય કારકિર્દી ધરાવે છે. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરનાર અને તેને રાષ્ટ્રીય સ્તરે લાવનાર નેતાઓમાં તેઓનું નામ અગ્રેસર છે. લાલકૃષ્ણ અડવાણીને ક્યારેક પાર્ટીના નેતા તો ક્યારેક લોખંડી પુરુષ તો ક્યારેક પાર્ટીનો અસલી ચહેરો કહેવામાં આવતા હતા. તેમને ભારતીય જનતા પાર્ટીના આર્કિટેક્ટ પણ કહેવામાં આવે છે.