IRA
Spread the love

Islamic Revolutionary Army (IRA): પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની (ISI) કઠપૂતળી તરીકે ઓળખાતી યુનુસ સરકાર અને જમાત-એ-ઈસ્લામી ઘણા મહિનાઓથી ઈસ્લામિક રિવોલ્યુશનરી આર્મી (IRA) બનાવવાની યોજના બનાવી રહી છે. આ વિચાર હાલની સેનાને જે ઈસ્લામિક રિવોલ્યુશનરી આર્મી (IRA) સાથે બદલવાનો છે.

બાંગ્લાદેશ (Bangladesh) માત્ર એક વર્ષમાં ધરમૂળથી બદલાઈ ગયું છે. વચગાળાની મુહમ્મદ યુનુસ (Muhammed Yunus) સરકારના એક વરિષ્ઠ સલાહકાર દ્વારા કરવામાં આવેલા ખુલાસાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે ઈસ્લામિક રિવોલ્યુશનરી આર્મી (IRA) ની રચનાનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે.

સરકારના સલાહકારે જણાવી ઈસ્લામિક રિવોલ્યુશનરી આર્મી (IRA) ની યોજના

20 ઓક્ટોબરના રોજ, વચગાળાના સરકારના સલાહકાર આસિફ મહમૂદ શોજીબ ભૂયાને સોશિયલ મીડિયા (Social Media) પર જણાવ્યું હતું કે અનેક કેન્દ્રો પર 8,850 વ્યક્તિઓની ભરતી અને તાલીમ આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ વ્યક્તિઓને માર્શલ આર્ટ્સ, શસ્ત્રોની તાલીમ, ટેકવૉન્ડો અને જુડોમાં તાલીમ આપવામાં આવશે. આ ખુલાસો છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય એજન્સીઓ જે કહી રહી છે તેની પુષ્ટિ કરી રહી છે.

જમાત-એ-ઈસ્લામી (Jamt-E-Islami) અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી, ISI ની કઠપૂતળી તરીકે ઓળખાતી યુનુસ સરકાર ઘણા મહિનાઓથી ઈસ્લામિક રિવોલ્યુશનરી આર્મી (IRA) બનાવવાની યોજના બનાવી રહી છે. આ વિચાર હાલની સેનાને જ ઈસ્લામિક રિવોલ્યુશનરી આર્મી (IRA) સાથે બદલવાનો છે.

ભારતીય અધિકારીઓના મતે, ઈસ્લામિક રિવોલ્યુશનરી આર્મીને (IRA) ઈરાનના (Iran) ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના મોડેલ પર બનાવવામાં આવશે. ઈસ્લામિક રિવોલ્યુશનરી આર્મી એક અત્યંત કટ્ટરપંથી સંગઠન હશે જે બાંગ્લાદેશને (Bangladesh) ઈસ્લામિક રાજ્યમાં પરિવર્તિત કરવામાં મદદ કરશે. અધિકારીઓ કહે છે કે તેનો ઉપયોગ ઈરાનમાં (Iran) જોવા મળતી મોરલ પોલીસિંગ (Morale Policing) માટે કરવામાં આવશે.

પાકિસ્તાનની (Pakistan) જાસૂસી સંસ્થા આઈએસઆઈ (ISI) અને જમાત-એ-ઈસ્લામીની (Jamat-E-Islami) આ આર્મીનું મુખ્ય લક્ષ્ય ભારત હોવાનો અંદાજ છે, અને આનો અર્થ એ થશે કે એકવાર આ ઈસ્લામિક રિવોલ્યુશનરી આર્મી (IRA) સ્થાપિત થઈ ગયા પછી, સરહદ પર તણાવ ખૂબ વધી શકે છે. તાજેતરમાં, જમાત-એ-ઈસ્લામીના (Jamat-E-Islami) નેતા ડૉ. સૈયદ અબ્દુલ્લા મુહમ્મદ તાહેરે ન્યૂયોર્કમાં (New York) જણાવ્યું હતું કે પચાસ લાખ જમાત યુવાનો ભારત સામે લડવા માટે તૈયાર છે. તેમણે ઉમેર્યું હતું કે જો ભારત બાંગ્લાદેશ (Bangladesh) પર આક્રમણ કરશે, તો 1971 ની બદનામી ભૂંસી નાખવામાં આવશે.

તાહેરે આગળ કહ્યું કે, અમે પોતાને સાચા સ્વાતંત્ર્ય સેનાની સાબિત કરીશું અને જમાતના 50 લાખ લોકોનો એક હિસ્સો ગેરિલા યુદ્ધમાં જોડાશે, જ્યારે બાકીના લોકો ગઝવા-એ-હિંદને (Ghazawa-E-Hind) અમલમાં મૂકવા માટે ભારતમાં ફેલાઈ જશે.

બાંગ્લાદેશ હવે પાકિસ્તાનના નિયંત્રણ હેઠળ

વિશ્લેષકોના અનુસાર આ ઘટનાક્રમ અને નિવેદનો સ્પષ્ટપણે દર્શાવે છે કે ISI એ બાંગ્લાદેશ ઉપર કબજો કરી લીધો છે. પાકિસ્તાનની (Pakistan) મેલી મંશા બાંગ્લાદેશને (Bangladesh) 1971 પહેલાના દરજ્જામાં પાછું લાવવાની રહી છે અને શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા પછી તે આ યોજના પર સતત કામ કરી રહ્યું છે.

હાલમાં, સાત કેમ્પમાં 8,850 કટ્ટરવાદીઓને ઈસ્લામિક રિવોલ્યુશનરી આર્મી (IRA) માટે તાલીમ આપવામાં આવી રહી છે. આ બધા વ્યક્તિઓને નિવૃત્ત બાંગ્લાદેશી સૈન્ય અધિકારીઓ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે જેઓ પાકિસ્તાન (Pakistan) તરફી છે. ભવિષ્યમાં આવા વધુ કેમ્પ સ્થાપવાની યોજના ઉપર આઈએસઆઈ અને જમાત-એ-ઈસ્લામી (Jamat-E-Islami) કામ કરી રહ્યા છે.

આઈએસઆઈ (ISI) અને જમાત-એ-ઈસ્લામી (Jamat-E-Islami) યોજના 1,60,000 થી વધુ કટ્ટરવાદીઓને તાલીમ આપવાની છે, જે બાંગ્લાદેશી સેનાની (Bangladeshi Army) વર્તમાન તાકાત છે. વધુમાં, આ શિબિરોમાં પાકિસ્તાની સેના (Pakistani Army) અને આઈએસઆઈના (ISI) બંને અધિકારીઓ વારંવાર આવે છે. તેઓ જ ભંડોળ અને સાધનો પૂરા પાડે છે. મુહમ્મદ યુનુસે (Muhammed Yunus) પાકિસ્તાન (Pakistan) માટે જ્યારથી દરિયાઈ માર્ગ ખોલ્યો છે, ત્યારથી શસ્ત્રો અને દારૂગોળો મોટા પ્રમાણમાં બાંગ્લાદેશમાં (Bangladesh) આવી રહ્યો છે. હાલમાં આ દારૂગોળો અને શસ્ત્રો મોટાભાગે જમાત દ્વારા નિયંત્રિત યુનિવર્સિટીઓમાં સંગ્રહિત કરવામાં આવી રહ્યા છે.

એક ફેસબુક (Facebook) પોસ્ટમાં, સંગઠને યુવાનોને ઢાકા યુનિવર્સિટીમાં (Dhaka University) નોંધણી માટે ભેગા થવા હાકલ કરી હતી. યોજના એક તાલીમ શિબિર સ્થાપવાની હતી, અને પ્રારંભિક તબક્કા દરમિયાન, એક માર્શલ આર્ટ્સ સત્ર હશે અને ત્યારબાદ એક મહિનાની લશ્કરી શૈલીની તાલીમ આપવામાં આવશે. તેમણે કહ્યું કે તેનું સંચાલન સેના અને અર્ધલશ્કરી દળો દ્વારા કરવામાં આવશે.

આ ઘટનાક્રમ સ્પષ્ટપણે દર્શાવે છે કે યુનુસ વહીવટીતંત્ર, જમાત-એ-ઈસ્લામી (Jamat-E-Islami) અને કુખ્યાત પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈના (ISI) ઈશારે, બાંગ્લાદેશમાં (Bangladesh) સેના અને DGFI બંનેને બંધ કરવા માંગે છે. ટોચના સૈન્ય અધિકારીઓ અને શાસક સરકાર વચ્ચે મતભેદોની અફવાઓ છે. અદાલતો અનેક આર્મી (Army) અને ડીજીએફઆઈ (DGFI) કર્મચારીઓની ધરપકડ કરવાના આદેશો પસાર કરી રહી છે.

અદાલતોએ કહ્યું છે કે આ લોકો અત્યાચારોમાં સામેલ હતા, પરંતુ વાસ્તવમાં, જે લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે તે બધા શેખ હસીનાના (Sheikh Hasina) નજીક હોવાનું માનવામાં આવે છે. અધિકારીઓ કહે છે કે આ ઘટનાક્રમથી બાંગ્લાદેશ સેનામાં ઊંડા મતભેદો ઉભા થયા છે, જેમાં અનેક લોકો ઈસ્લામિક રિવોલ્યુશનરી આર્મી (IRA) બનાવવાના પક્ષમાં છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *