Udaygiri: ભારતીય નૌકાદળે (Indian Navy) પહેલી જુલાઈના રોજ વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. નૌકાદળને મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ તરફથી પ્રોજેક્ટ 17એનું બીજું સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ (Stealth Frigate) ‘ઉદયગિરી’ પ્રાપ્ત થયું છે. અદ્યતન શસ્ત્રો અને સેન્સરથી સજ્જ, આ જહાજ ‘આત્મનિર્ભર ભારત’નું ગૌરવ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ભારતીય નૌકાદળે (Indian Navy) 1 જુલાઈના રોજ પોતાની શક્તિમાં વધુ એક સ્તર ઉમેર્યું છે. આ અંતર્ગત મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDSL) ખાતે બનેલા પ્રોજેક્ટ 17A નું (Project 17A) બીજું સ્ટીલ્થ ફ્રિગેટ (Stealth Frigate) ‘ઉદયગિરી’ (Udaygiri) નૌકાદળને (Indian Navy) સોંપવામાં આવ્યું છે. આ જહાજ શિવાલિક વર્ગ (Shivalik Class) (પ્રોજેક્ટ 17) નું (Shivalik Class) અદ્યતન સંસ્કરણ છે. પ્રોજેક્ટ 17A (Project 17A) હેઠળ સાત ફ્રિગેટ બનાવવામાં આવી રહ્યા છે, જેમાંથી ચાર મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDSL) દ્વારા અને ત્રણ કોલકાતામાં ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ (GRSE) દ્વારા બનાવવામાં આવી રહ્યા છે.

‘ઉદયગીરી’ (Udaygiri) નામ 31 વર્ષ સેવા આપ્યા બાદ ઓગસ્ટ 2007 માં નિવૃત્ત થયેલા જૂના ‘INS ઉદયગીરી’ (INS Udaygiri) પરથી રાખવામાં આવ્યું છે. નવું ‘ઉદયગીરી’ (Udaygiri) આધુનિક ટેકનોલોજી અને શસ્ત્રોથી સજ્જ છે. તેને અફાટ સમુદ્રમાં ભારતના દરિયાઈ હિતોનું રક્ષણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેની સૌથી મોટી ખાસિયત તેને દુશ્મનના રડારથી બચાવવામાં મદદ કરતી અને તેને ઘાતક બનાવતી તેની સ્ટીલ્થ ટેકનોલોજી છે.
In a major thrust to #AatmanirbharBharat, Udaygiri, the second warship of the Project P17A Nilgiri Class stealth frigates, designed by Warship Design Bureau of #IndianNavy, overseen by the Warship Overseeing Team (Mumbai) and built by @MazagonDockLtd, Mumbai was delivered to the… pic.twitter.com/jnbj50GG8u
— SpokespersonNavy (@indiannavy) July 1, 2025
ટેકનિકલ ખૂબીઓ અને ઘાતક અદ્યતન સંસ્કરણ એટલે ‘ઉદયગીરી'(Udaygiri)
પ્રોજેક્ટ 17A ના (Project 17A) જહાજો જૂના P17 વર્ગ કરતા અનેક રીતે અદ્યતન છે. તેમાં સંકલિત બાંધકામ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે જહાજ ઓછા સમયમાં બનાવવામાં આવ્યું છે. ‘ઉદયગીરી’ (Udaygiri) લોન્ચ થયાના માત્ર 37 મહિનામાં ડિલિવર કરવામાં આવ્યું છે. જે પોતાનામાં એક મોટો રેકોર્ડ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

‘ઉદયગિરિ’નું (Udaygiri) માળખું P17 વર્ગ કરતા 4.5% મોટું છે. તે સુપરસોનિક મિસાઈલો, મધ્યમ શ્રેણીની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, 76 મીમી બંદૂકો અને ક્લોઝ-ઈન વેપન સિસ્ટમ્સ જેવા અદ્યતન શસ્ત્રોથી સજ્જ છે. ડીઝલ એન્જિન અને ગેસ ટર્બાઈનનું તેનું મિશ્રણ તેને વધુ ઝડપી અને શક્તિશાળી બનાવે છે.

આત્મનિર્ભર ભારતનું ગૌરવ
‘ઉદયગીરી’ (Udaygiri) આત્મનિર્ભર ભારતના (Atmanirbhar Bharat) વિઝનને સંપૂર્ણપણે પ્રતિબિંબિત કરે છે. તેના નિર્માણમાં 200 થી વધુ ભારતીય MSME એ યોગદાન આપ્યું છે. આ પ્રોજેક્ટથી લગભગ 4,000 લોકોને પ્રત્યક્ષ રોજગાર અને 10,000 લોકોને પરોક્ષ રોજગાર મળ્યો છે. આનાથી માત્ર રોજગારીની તકોમાં વધારો થયો નથી પરંતુ દેશની જહાજ ડિઝાઇન અને એન્જિનિયરિંગ ક્ષમતાઓને પણ મજબૂત બનાવવામાં આવી છે.

પ્રોજેક્ટ 17A ના (Project 17A) બાકીના પાંચ ફ્રિગેટ્સ પણ ઝડપથી તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ જહાજો 2026 સુધીમાં ભારતીય નૌકાદળને (Indian Navy) સોંપવામાં આવશે. તેમનો સમાવેશ નૌકાદળ (Indian Navy) અને દરિયાઈ સુરક્ષાની તાકાતને નવી ઊંચાઈઓ આપશે. ‘ઉદયગીરી’ ભારતીય નૌકાદળ (Indian Navy) અને સ્વદેશી ટેકનોલોજીનું એક ઉત્તમ ઉદાહરણ છે. તે માત્ર દેશના સંરક્ષણને મજબૂત બનાવશે નહીં, પરંતુ વિશ્વ મંચ પર ભારતની આત્મનિર્ભરતા પણ પ્રદર્શિત કરશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો