ભારતીય નૌકાદળના INS વિક્રાંત (INS Vikrant) છેક કરાંચીની નજીક પહોંચી ગયું છે. પહેલગામ આતંકી હુમલામાં બૈસરન ખીણમાં હિન્દુ પ્રવાસીઓના હત્યાકાંડ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ (India-Pakistan War Like Situation) પ્રવર્તી રહી છે. બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ છે. પાડોશી દેશ દ્વારા LoC પર યુદ્ધવિરામનું સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.
પહેલગામ આતંકી હુમલામાં બૈસરન ખીણમાં 26 હિન્દુ પ્રવાસીઓના હત્યાકાંડ બાદ ભારતમાં શોક અને આક્રોશનું વાતાવરણ છે. ચારે બાજુથી બદલો લેવાના આહવાન થઈ રહ્યા છે. ભારતે પાકિસ્તાન સામે રાજદ્વારી કાર્યવાહી શરૂ કરી દીધી છે. ભારત દ્વારા સૌ પ્રથમ સિંધુ જળ સંધિ સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી. ત્યારબાદ ભારતમાં પાકિસ્તાની હાઈ કમિશનમાં તૈનાત તમામ સંરક્ષણ સલાહકારોને દેશ છોડવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું. તેમને 30 એપ્રિલ 2025 સુધીનો સમય આપવામાં આવ્યો છે.

માન્ય વિઝા પર ભારત આવેલા પાકિસ્તાની નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. પાકિસ્તાન ગયેલા ભારતીય નાગરિકોને પણ તાત્કાલિક દેશમાં પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે. ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. હતાશામાં આવેલી પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા (LoC) પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનું શરૂ કરી દીધું છે, જેનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે.

વિમાનવાહક જહાજ INS વિક્રાંત (INS Vikrant) અરબી સમુદ્રમાં પહોંચ્યું
વિમાનવાહક જહાજ INS વિક્રાંત (INS Vikrant) અરબી સમુદ્રમાં પહોંચી ગયું છે. આ ભારતનું પહેલું સ્વદેશી વિમાનવાહક જહાજ છે. રસપ્રદ વાત એ છે કે, કરાચી પાકિસ્તાનનું એક મુખ્ય વ્યાપારી મેગા શહેર પણ છે જે અરબી સમુદ્ર પર આવેલું છે. આવી સ્થિતિમાં, અરબી સમુદ્રમાં INS વિક્રાંતની (INS Vikrant) હાજરી પાકિસ્તાન માટે ચિંતાનો વિષય છે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી તરત જ ભારતે અરબી સમુદ્રમાં INS વિક્રાંત (INS Vikrant) તૈનાત કરી દીધું છે. જે પ્રદેશમાં મિસાઇલોનું પરીક્ષણ કરવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલ આવ્યા બાદ પગલું પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે લેવામાં આવ્યું છે.

પાકિસ્તાની વાયુસેનાનો મોટો લશ્કરી અભ્યાસ ‘ઝરબ-એ-હૈદરી’
ભારતના આ પગલાથી ગભરાયેલા પાકિસ્તાને એક મોટા લશ્કરી અભ્યાસની જાહેરાત કરી છે. પાકિસ્તાન વાયુસેનાના આ અભ્યાસને ‘ઝરબ-એ-હૈદરી’ નામ આપવામાં આવ્યું છે. આ કવાયતમાં પાકિસ્તાનના તમામ ફાઈટર જેટ ભાગ લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની વાયુસેનાના આ કવાયતમાં J-10C વિગોરસ ડ્રેગન, F-16 ફાઇટીંગ ફાલ્કન, JF-17 થંડર, HQ-9 HIMAD સિસ્ટમ, AEW એરક્રાફ્ટ, UCAVs વગેરે ભાગ લઈ રહ્યા છે.
[…] ઊંડાણપૂર્વક તપાસ કરતાં એમાંથી સાત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનાં ગ્રુપ મળ્યાં છે, […]
[…] કાર્યવાહી કરી છે. ઓપરેશન સિંદૂરની અસર પાકિસ્તાનના શેરમાર્કેટ ઉપર પડી છે અને KSE-100 […]
[…] તેના યોગદાન પર પ્રકાશ પાડ્યો. તેમણે પાકિસ્તાન સામેની તાજેતરની કાર્યવાહીનો ઉલ્લેખ […]
[…] (Youtuber) પર ભારતની ગુપ્ત લશ્કરી માહિતી પાકિસ્તાનને મોકલવાનો આરોપ છે. મહિલા યુટ્યુબર […]