Sugar
Spread the love

ખાંડ (Sugar) જેટલી નુકશાનકારક છે તેના કરતાં શેરડીનો (Sugarcane) રસ અનેકગણા ઔષધીય ગુણકર્મો ધરાવે છે.

  • ડૉ. મનિષ આચાર્ય

આધુનિક ચિકિત્સા વિજ્ઞાન કોઈ પણ ખાદ્ય પદાર્થનો પરિચય આપણી સમક્ષ મુકતી વખતે તેના પોષક દ્રવ્યોનું વિવરણ રજૂ કરે છે પરંતુ એ સમજી શકતા નથી કે પ્રકૃતિએ આટલા બધા વિવિધ દ્રવ્યને એક ચોક્કસ માત્રામાં સંયોજી એક જુદી ખાદ્ય વસ્તુ શા માટે બનાવી.

પ્રાકૃતિક રૂપની પ્રત્યેક ખાદ્ય વસ્તુ એ કેવળ કેટલાક પોષક ઘટકોનો અલગ સમૂહ નથી બલ્કે તે પોતે એક આખું અલગ પાવર હાઉસ છે. તે માંહેના પોષક તત્વો એક આખા અલગ પદાર્થ તરીકે શરીરમાં કામગીરી કરે છે.

શેરડીનો (Sugarcane) રસ સામાન્ય લોકોની માન્યતાથી વિરુદ્ધ અદભુત ઔષધીય ગુણો ધરાવે છે. લીવર પર પાચન પર તેની અનન્ય અસર છે.તે ચામડીના રોગ મટાડી શકે છે. તે વૃદ્ધત્વને બ્રેક મારી શકે છે. પ્રાકૃતિક ચિકિત્સામાં ડાયાબિટીસના દર્દીને અમે ફક્ત શેરડીના (Sugarcane) રસ પર રાખી તે સંપૂર્ણ રીતે મટાડી છીએ…તે ત્વચાની કરચલીઓ દૂર કરે છે, તે કેન્સર અટકાવી શકે છે અને મટાડી શકે છે. તે દાંતનો સડો અટકાવે છે, તે કિડનીના રોગ મટાડે છે, તે ઝાડા અને કબજિયાત બન્ને મટાડે છે. આધુનિક ચિકિત્સા વિજ્ઞાન પાસે જેની કોઈ દવા નથી તે કમળો પણ શેરડીનો રસ મટાડે છે.

શેરડીના રસમાં પ્રોટીન છે, કાર્બોહાઇડ્રેટડ છે, તેમાં વિટામિન B9 એટલે કે ફોલિક એસિડ છે, તેથી તે સ્ત્રીઓ માટે વરદાન રૂપ છે, તેમાં કેલ્શિયમ મેગ્નેશિયમ આયર્ન અને પોટેશિયમ વિપુલ માત્રામાં છે.

આદુ સાથે, લીંબુ અને મસાલા વિનાનો શેરડીનો (Sugarcane) રસ રોજ નરણા કોઠે પીધા બાદ ચાર કલાક ન જમવામાં આવે તો અદભૂત સ્વાસ્થ્ય લાભ મળે છે. આ રીતે શેરડીનો (Sugarcane) રસ લેવાથી શરદી ઉધરસ તાવ પણ મટે છે. મોસંબી અને દાડમના રસ સાથે શેરડીનો રસ નિયમિત પીવાથી જીવનમાં સ્વાસ્થ્ય પ્રગટશે. જોકે અહિં ખાસ બાબત ધ્યાનમાં લેવી જોઇએ કે બજારમાં મળતા બીનસ્વાસ્થ્યપ્રદ હોય તેવા શેરડીનો રસ પીવાથી બચવું અથવા શેરડીનો રસ પીતી વખતે તે ધ્યાનમાં રાખવું જોઈએ કે સ્વાસ્થ્યપ્રદ પદ્ધતિથી તૈયાર કરવામાં અને રાખવામાં આવ્યો છે.

શેરડીનું (Sugarcane) મૂળ કયા દેશમાં?

ભારતના લોકો માટે શેરડી, શેરડીનો રસ બિલકુલ અજાણી બાબત નથી પરંતુ આ જગતમાં શેરડીના (Sugarcane) અસ્તિત્વના પ્રાચીનતમ અવશેષો ન્યુ ગુએનામાંથી મળી આવ્યા હતા જે આશરે 11000 વર્ષ પ્રાચીન હતા. આમ શેરડીનો મહત્તમ ઉપયોગ આજે ભારતમાં થતો હોવા છતાં સાચી વાત એ છે કે ભારત શેરડીનું મૂળ વતન નથી. ખેર, ગુએનાથી આ છોડ ધીરે ધીરે દક્ષિણ એશિયા થઈ ભારત સહિતના પૂર્વના દેશોમાં પહોંચ્યો.

ભારતમાં ખાંડના (Sugar) પદ્ધતિસરના ઉત્પાદનની શરૂઆત આજથી લગભગ 2100 વર્ષ પહેલાં થઈ હતી. ખાંડ (Sugar) બનાવવાની શરૂઆતની પ્રક્રિયા ઘણી અરુચિકર અને પ્રાથમિક સ્વરૂપની હતી. પરંતુ 5મી સદીમાં આપણા એક એક ભારતીય રસાયણશાસ્ત્રીએ શેરડીના રસમાંથી સુક્રોઝનું સ્ફટિકીકરણ કરવાની પધ્ધતિ શોધી કાઢી. આ રીતે ઘન સ્વરૂપની ખાંડના (Sugar) વિકાસના કારણે તેનું પરિવહન ઘણું સરળ બન્યું. આ મહાન શોધ સાથે ખાંડ (Sugar) ભારતની ખૂબ જ કિંમતી ટ્રેડિંગ આઇટમ બની ગઈ. તે સાથે જ શેરડીનો વ્યાપ મધ્ય પૂર્વમાં થઈ એશિયાના બીજા દેશો સુધી વિસ્તર્યો.

અરબી રાજ્યોએ શેરડીને બહુ ઝડપથી અપનાવી લીધી.. ત્યાંથી તે ભૂમધ્ય પ્રદેશો તરફ આગળ વધી.. ખાસ કરીને આરબોએ ઇજિપ્ત પર કબ્જો જમાવ્યા બાદ ઇસ્વિસં 713 માં તે સ્પેન પહોંચી. જો કે તે સમયે પણ કેટલાક રાજકીય કારણોસર મોટા ભાગના યુરોપિયન રાષ્ટ્રો સ્પેન થી ખાંડ (Sugar) લેવાને બદલે લેવાને બદલે મધ્યપૂર્વ થી આયાત કરતા. સ્પેન, પોર્ટુગલ, ઇટાલી, સાયપ્રસ અને એઝોર્સે 16 મી અને 17 મી સદીમાં શેરડી કેન્દ્રિત અર્થતંત્ર વિકસાવવાનો પ્રયાસ કર્યો.

અનેક દેશોમાં પહોંચતી શેરડી માટે નવી દુનિયામાં વિશાળ ખેતરો અને બહેતર વાતાવરણના કારણે અમેરિકા શેરડીનો ગઢ બન્યું. અમેરિકામાં શેરડીના એક નવા સામ્રાજ્યનો ઉદય થયો…અમેરિકાના ખેડૂતો માઈલો નાં માઈલો સુધી ફક્ત શેરડીનું વાવેતર કરતા..પરંતુ શેરડીની ખેતી અને તેમાંથી ખાંડ બનાવવાનું કામ ઘણું જટિલ છે..ઘણા બધા મજૂરો પણ જોઈએ..આ જરૂરિયાત પૂરી કરવા આફ્રિકામાંથી 18 મી સદીના અંતમાં અને ઓગણીસમી સદીની શરૂઆત વચ્ચેના ગાળામાં લગભગ 200000 જેટલા આફ્રિકી લોકોને બંદી બનાવી અમેરિકામાં ગુલામ તરીકે લઈ આવી ખાંડના કારખાનાઓમાં જોતરી દેવામાં આવ્યા હતા.

  • ડૉ. મનિષ આચાર્ય

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *