UCC
Spread the love

સમાન નાગરિક સંહિતા (UCC) ઉત્તરાખંડ, ગુજરાત અને અસમ પછી યુસીસી વિધેયક પસાર કરનાર ચોથું રાજ્ય બની ગયું છે. મધ્ય પ્રદેશ વિધાનસભાએ વિધેયકને મંજૂરી આપી દીધી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મધ્ય પ્રદેશ વિધાનસભાએ (Madhya Pradesh Assembly) સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયકને મંજૂરી આપી દીધી છે, ઉલ્લેખનીય છે કે તે ઉત્તરાખંડ (Uttarakhand), ગુજરાત (Gujarat) અને અસમ (Assam) પછી (UCC) વિધેયક પસાર કરનાર ચોથું રાજ્ય બની ગયું છે. આ પહેલા ગૃહમાં જે થયું ગૃહમાં હોબાળો, સૂત્રોચ્ચાર વચ્ચે કાર્યવાહી, સત્તાપક્ષે વિપક્ષ પર તુષ્ટિકરણનો આક્ષેપ લગાવ્યો. વિધાનસભા અધ્યક્ષે યુસીસી (UCC) બિલને ઐતિહાસિક ગણાવ્યું છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

યુસીસી (UCC) પર ચર્ચા વચ્ચે વિધાનસભામાં ભારે હોબાળો

યુસીસી (UCC) પર ચર્ચા વચ્ચે મધ્ય પ્રદેશ (Madhya Pradesh) વિધાનસભામાં ભારે હોબાળો જોવા મળ્યો, બંને તરફથી જોરદાર સૂત્રોચ્ચાર થયા તો બીજી તરફ મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે (Mohan Yadav) ગૃહમાં ‘જય જય શ્રી રામ’ના નારા લગાવ્યા. હોબાળા વચ્ચે યુસીસી પર મુખ્યમંત્રી (Chief Minister) ડૉ. મોહન યાદવે (Dr. Mohan Yadav) ગૃહમાં કહ્યું- ‘મુસ્લિમ તુષ્ટિકરણ બંધ કરો…વિધાનસભામાં એક સુવર્ણ અધ્યાય લખાયો, આજે ઐતિહાસિક દિવસ છે. ભગવાનના વિધાનમાં સૌ એક છે, મનુષ્યની નીતિ પણ એક સરખી હોવી જોઈએ. ગુલામી દરમિયાન કોંગ્રેસ (Congress) પાર્ટીએ દેશની સર્વભૌમત્વ સાથે સમજૂતી કરી, આજ પછી મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) ભેદભાવમાંથી મુક્તિ મળશે. ઉત્તરાખંડ (Uttarakhand), અસમ (Assam), ગુજરાત (Gujarat)પછી મધ્ય પ્રદેશ (Madhya Pradesh) યુસીસી (UCC) લાગુ કરનારા પસંદગીના રાજ્યોમાં સામેલ થશે.’

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

‘આપણે આપણા બે પુત્રોને અલગ અલગ દ્રષ્ટિકોણથી કેમ જોઈએ છીએ?’

મુખ્યમંત્રીએ કહ્યું- ‘રામથી રહીમ સુધી, રવિન્દરથી રોબિન સુધી, અમરથી એન્થોની અને અકબર સુધી દેશ એક બંધારણથી ચાલે. આજ પછી મધ્ય પ્રદેશમાં ભેદભાવમાંથી મુક્તિ મળશે. મધ્ય પ્રદેશમાં અલગ અલગ મઝહબી ત્રાજવાં નહીં હોય, સૌ એક જ કાંટા દ્વારા તોલવામાં આવશે.’ સીએમે વિપક્ષ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે વિપક્ષ જણાવે- ‘આપણે આપણા બે પુત્રોને અલગ અલગ દ્રષ્ટિકોણથી કેમ જોઈએ છીએ?’ સીએમે કોંગ્રેસને (Congress) કહ્યું- ‘તમારું પાખંડ નહીં ચાલે, બાબા સાહેબ માટે રજ માત્ર પણ સન્માન હોય તો યુસીસીનું સમર્થન કરવું જોઈએ.’

સીએમે 1959નો હવાલો આપતા કહ્યું- ‘કોંગ્રેસે આ જ વિધાનસભામાં ખેડૂતોની જમીનને લઈને સમાનતાનો કાયદો પાસ કરાવ્યો હતો.’ તેમણે કહ્યું- ‘કોંગ્રેસ હંમેશા વોટ બેંકનું રાજકારણ કરે છે, 76% મુસ્લિમ બહેનો અને 40% મુસ્લિમ ભાઈઓએ યુસીસીનું સમર્થન કર્યું છે.’

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

‘કાલ કરે સો આજ કર આજ કરે સો અબ’

સીએમે ‘જીવન નહીં મરા કરતા હૈ’ કવિતા ગૃહમાં વાંચી સંભળાવી… ‘કાલ કરે સો આજ કર આજ કરે સો અબ’ અમે આ જ અનુસાર આગળ વધી રહ્યા છીએ. રાખડીનો તહેવાર આવવાનો છે, રાખડી હિન્દુ કે મુસલમાનનો ફરક નથી જોતી.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *