મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) રાજ્યસભાની ચૂંટણી (Rajya Sabha Election) પહેલાં રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ (Congress) પોતાના ધારાસભ્યોને (MLA) બેંગલુરુ (Bengaluru) ખસેડવાની તૈયારીમાં હતી, પરંતુ ભોપાલ એરપોર્ટ (Bhopal Airport) પર જ તેમની યોજના અટકી ગઈ. ધારાસભ્યોને (MLS) લઈ જવા માટે તૈયાર કરાયેલા વિમાનને (Plane) એરપોર્ટ સત્તાવાળાઓએ (Airport Authority) ઉડાન ભરવાની મંજૂરી આપી નહોતી, જેના કારણે એરપોર્ટ પર કોંગ્રેસના (Congress) નેતાઓ, અધિકારીઓ અને પોલીસ (Police) વચ્ચે તંગદિલીનું વાતાવરણ સર્જાયું.

આ દરમિયાન ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર પણ તેજ બન્યો છે. બીજી તરફ ભોપાલ (Bhopal) સ્થિત વિધાનસભા (Vidhan Sabha) પરિસરમાં ભાજપ (BJP) અને કોંગ્રેસના (Congress) કેટલાક ધારાસભ્યો (MLS) વચ્ચે અથડામણ અને મારામારીની ઘટના પણ સામે આવી છે, જેનો વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થયો છે.
રાજ્યસભાની (Rajya Sabha) ત્રણ બેઠકો માટે 18 જૂને મતદાન
મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) રાજ્યસભાની (Rajya Sabha) ત્રણ બેઠકો માટે 18 જૂને મતદાન થવાનું છે. આ વખતે ચૂંટણી (Election) વધુ રસપ્રદ બની છે કારણ કે ચાર ઉમેદવારો મેદાનમાં છે. ભાજપે (BJP) ત્રીજો ઉમેદવાર ઉતારતાં રાજકીય સમીકરણોમાં નવી ગતિ આવી છે.

ત્રીજી બેઠક માટે ભાજપના (BJP) મહેશ કેવટ (Mahesh Kevat) અને કોંગ્રેસની (Congress) મીનાક્ષી નટરાજન (Meenakshi Natarajan) વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં ક્રોસ વોટિંગની (Cross Voting) શક્યતાઓ પણ ચર્ચાનો વિષય બની છે.
ધારાસભ્યોને બેંગલુરુ મોકલવાની તૈયારી
રાજ્યસભાની (Rajya Sabha) ચૂંટણીમાં સંભવિત ક્રોસ વોટિંગને (Cross Voting) અટકાવવા માટે કોંગ્રેસ (Congress) પોતાના ધારાસભ્યોને બેંગલુરુના (Bengaluru) વંડરલા રિસોર્ટમાં (Wonderla Resort) રાખવાની યોજના બનાવી રહી હતી. પરંતુ ધારાસભ્યોને લઈ જતું વિમાન ભોપાલ એરપોર્ટ (Bhopal Airport) પરથી ઉડાન ભરી શક્યું નહીં, જેના કારણે કોંગ્રેસની (Congress) વ્યૂહરચનાને ઝટકો લાગ્યો હોવાનું માનવામાં આવે છે.
DGCAની મંજૂરી વિના ઉડાન નહીં
એરપોર્ટ સત્તાવાળાઓએ (Airport Authority) સ્પષ્ટ કર્યું કે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ની જરૂરી મંજૂરી વિના વિમાનને ઉડાન ભરવાની મંજૂરી આપી શકાય નહીં. હાલમાં વિમાન ક્યારે રવાના થશે તે અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

કોંગ્રેસનો આરોપ
મધ્ય પ્રદેશના (Madhya Pradesh) પૂર્વ મંત્રી સજ્જન સિંહ વર્માએ (Sajjan Singh Verma) આરોપ લગાવ્યો કે કોંગ્રેસ (Congress) માટે તૈયાર કરાયેલા વિમાનને ઈરાદાપૂર્વક રોકવામાં આવ્યું છે. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસ ઉમેદવાર (Congress Candidate) મીનાક્ષી નટરાજનના (Meenakshi Natarajan) ઉમેદવારીપત્રને લઈને પણ દબાણ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને બિનજરૂરી વાંધાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે.

સુરજેવાલા પહોંચ્યા રિસોર્ટ
કોંગ્રેસના (Congress) રાજ્ય પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલા (Randeep Surjewala) તે રિસોર્ટ ખાતે પહોંચ્યા છે, જ્યાં મધ્ય પ્રદેશ (Madhya Pradesh) કોંગ્રેસના (Congress) ધારાસભ્યો આગામી કેટલાક દિવસો સુધી રોકાવાના છે. તેમના આગમન પર ધારાસભ્ય એચ.સી. બાલકૃષ્ણ (H. C. Balakrishna) દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજ્યસભાની ચૂંટણી (Rajya Sabha Election) પહેલાં બનેલા આ સમગ્ર ઘટનાક્રમે મધ્ય પ્રદેશની (Madhya PRadesh) રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે અને આગામી દિવસોમાં રાજકીય ખેંચતાણ વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
VIDEO | Bhopal, Madhya Pradesh: Congress leaders reach airport to leave for Bengaluru amid Rajya Sabha seat turmoil. Party leader Jaivardhan Singh said, "All the MLAs felt that since there were still a few days left before the voting, it would be a good idea to stay together for… pic.twitter.com/TjLm84g9J7
— Press Trust of India (@PTI_News) June 9, 2026

[…] મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) હેઠળ ડોક્ટરોની (Doctor) ભરતી પ્રક્રિયામાં (Recruitment) મોટા પાયે ગેરરીતિ સામે આવી છે. 81 ડોક્ટરોની ભરતી (Doctors Recruitment) માટે પસંદ કરાયેલા ઉમેદવારોના દસ્તાવેજોની તપાસ દરમિયાન 9 ઉમેદવારોના પ્રમાણપત્રો અને અન્ય દસ્તાવેજો નકલી (Fake Document) હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસ બાદ NHM દ્વારા સંબંધિત ઉમેદવારો સામે FIR નોંધાવવામાં આવી છે. […]