પાકિસ્તાનના પીઓકેના (PoK) મુઝફ્ફરાબાદથી (Muzaffarabad) એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અજાણ્યા હુમલાખોરોએ પુલવામા આતંકી હુમલાના (Pulwama Terror Attack) માસ્ટરમાઇન્ડ (Mastermind) હમઝા બુરહાનની (Hamza Burhan) ગોળી ધરબીને હત્યા કરી દીધી છે.

14 ફેબ્રુઆરી, 2019 ના રોજ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના (Pulwama Terror Attack) માસ્ટરમાઈન્ડ (Mastermind) માનવામાં આવતા આતંકવાદી હમઝા બુરહાનને (Hamza Burhan) પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (PoK) ગોળી મારીને ઠાર કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, હમઝા બુરહાનને (Hamza Burhan) પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (PoK) મુઝફ્ફરાબાદમાં (Muzaffarabad) અજાણ્યા હુમલાખોરોએ નિશાન બનાવ્યો હતો, જ્યાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પુલવામા આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ પીઓકેમાં (PoK) ઠાર
હમઝા બુરહાન (Hamza Burhan) પાકિસ્તાન (Pakistan) સ્થિત આતંકવાદી નેટવર્ક (Terrorist Network) સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે અને પુલવામા આતંકી હુમલામાં (Pulwama Terror Attack) તેણે જ મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. 14 ફેબ્રુઆરી, 2019 ના દિવસે જમ્મુ અને કાશ્મીરના (Jammu Kashmir) પુલવામા (Pulwama) હુમલો થયો હતો, જેમાં 40 CRPF જવાનો વીરગતિ પામ્યા હતા.
EXCLUSIVE: पुलवामा आतंकी हमले के मास्टरमाइंड हमजा बुरहान की PoK के मुजफ्फराबाद में हत्या
— AajTak (@aajtak) May 21, 2026
आतंकी हमजा बुरहान को अज्ञात हमलावरों ने मारी गोली#BreakingNews #PulwamaAttack #BurhanHamza #Pakistan | @SumitDefence | @arvindojha pic.twitter.com/FetnvPe4WG
આ હુમલાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો અને ત્યારબાદ ભારતે બાલાકોટમાં (Balakot) એરસ્ટ્રાઈક (Air Strike) કરીને આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા સાથે સાથે અનેક આતંકીઓના ઢીમ ઢાળી દીધા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, હમઝા બુરહાન (Hamza Burhan) લાંબા સમયથી સુરક્ષા એજન્સીઓના નિશાન પર હતો. પાકિસ્તાનમાં (Pakistan) આતંકવાદી સંગઠનો (Terrorist Organization) અને કટ્ટરપંથી નેટવર્ક સાથે જોડાયેલા વ્યક્તિઓ પર રહસ્યમય હુમલાઓની શ્રેણી વચ્ચે તેની હત્યા થઈ છે. તાજેતરના વર્ષોમાં, ઘણા આતંકવાદીઓ કાં તો ગેંગ વોરમાં મૃત્યુ પામ્યા છે અથવા અજાણ્યા હુમલાખોરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે.

