કેદારનાથના (Kedarnath) ગૌરીકુંડના જંગલોમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર છે. બચાવ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. અકસ્માતમાં સાત લોકોના મોતની આશંકા છે.
અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશની શાહી હજુ સુકાઈ નથી ત્યાં કેદારનાથથી (Kedarnath) શ્રદ્ધાળુઓને લઈને ગુપ્તકાશી પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગૌરીકુંડ નજીક ધુરી ખાર્ક પાસે ક્રેશ થયું હોવાની દુઘટના બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હેલિકોપ્ટર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં સાત લોકોના મોતની આશંકા છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારીએ અકસ્માતની પુષ્ટિ કરી છે.

કેદારનાથમાં (Kedarnath) હેલિકોપ્ટર થયું ક્રેશ
આ ઘટના આજે સવારે 5 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. હેલિકોપ્ટર આર્યન હેલી એવિએશનનું હોવાનું કહેવાય છે. આ હેલિકોપ્ટરમાં પાઇલટ સહિત છ લોકો સવાર હતા. ગૌરીકુંડમાં ઊંચાઈઓ પાસે ઘાસ એકઠું કરી રહેલી મહિલાઓ પાસેથી મળેલી માહિતી મુજબ, હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.
#BREAKING : केदारनाथ में एक और हेलीकॉप्टर क्रैश, गौरीकुंड के पास हादसा, 5 लोग हेलीकॉप्टर में थे सवार #Kedarnath #HelicopterCrash | #ZeeNews @akhileshanandd @_poojaLive pic.twitter.com/Jg0lJBVFfS
— Zee News (@ZeeNews) June 15, 2025
ઉત્તરાખંડના એડીજી કાયદો અને વ્યવસ્થા ડૉ. વી મુરુગેશને જણાવ્યું હતું કે, “દહેરાદૂનથી કેદારનાથ (Kedarnath) જઈ રહેલું એક હેલિકોપ્ટર ગૌરીકુંડમાં ગુમ થયું છે. હેલિકોપ્ટર ત્રિજુગીનારાયણ અને ગૌરીકુંડ વચ્ચે ગુમ થયું હતું.” તેમણે કહ્યું, “કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે NDRF અને SDRF ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.”

સીએમ ધામીએ ટ્વીટ કર્યું
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ ટ્વીટ કરતા લખ્યું, રુદ્રપ્રયાગ જિલ્લામાં હેલિકોપ્ટર દુર્ઘટનાના ખૂબ જ દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે. SDRF, સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય બચાવ ટીમો રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. હું બાબા કેદારને બધા મુસાફરોની સલામતી માટે પ્રાર્થના કરું છું.

અકસ્માતનું આ કારણ આવ્યું સામે
જણાવવામાં આવ્યું હતું કે આ અકસ્માત ટેકનિકલ સમસ્યા અને હવામાનને કારણે થયો હતો. 2 મેના રોજ હિમાલયના મંદિર કેદારનાથના (Kedarnath) દરવાજા ખોલવામાં આવ્યા પછી હેલિકોપ્ટર ક્રેશની આ પાંચમી ઘટના છે.