આજે મોદી કેબિનેટની (Cabinet) મીટીંગ મળી હતી જેમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા તેના વિશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે મોદી સરકાર દેશભરમાં જાતિગત વસ્તી ગણતરી કરશે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે ખેડૂતોના હિતમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ (Cabinet) બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકાર સમગ્ર દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવશે. આ ઉપરાંત ખેડૂતોના હિતમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે અને હાઇવે અંગે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

મોદી કેબિનેટનો (Cabinet) મોટો નિર્ણય: જાતિગત જનગણના
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મોદી સરકાર દેશભરમાં જાતિગત વસ્તી ગણતરી કરાવશે. વસ્તી ગણતરી સાથે જાતિગત ગણના પણ થશે. કેન્દ્રીય મંત્રીમંડળના આ નિર્ણય અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ નિર્ણય સામાજિક માળખાને ધ્યાનમાં રાખીને અને બંધારણમાં સ્પષ્ટ જોગવાઈઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
તેમણે જાતિગત વસ્તી ગણતરીના મુદ્દે કોંગ્રેસને ઘેરી લીધી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, કોંગ્રેસ સરકારોએ જાતિગત વસ્તી ગણતરીનો વિરોધ કર્યો. દરખાસ્ત હોવા છતાં, કોંગ્રેસે ફક્ત એક સર્વે હાથ ધર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસે જાતિગત વસ્તી ગણતરીનો ઉપયોગ પોતાના ફાયદા માટે કર્યો.
#WATCH | Delhi | "Cabinet Committee on Political Affairs has decided today that Caste enumeration should be included in the forthcoming census," says Union Minister Ashiwini Vaishnaw on Union Cabinet decisions. pic.twitter.com/0FtK0lg9q7
— ANI (@ANI) April 30, 2025
છેલ્લી જાતિગત વસ્તી ગણતરી 1931માં હાથ ધરવામાં આવી હતી. 94 વર્ષ પછી, સમગ્ર દેશમાં જાતિગત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. સ્વતંત્ર ભારતમાં પહેલી વાર કેન્દ્ર સરકાર જાતિગત વસ્તી ગણતરી કરશે.

166.8 કિમી લાંબા 4 લેન હાઈવેને મંજૂરી
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેબિનેટ (Cabinet) મીટીંગમાં શિલોંગથી સિલ્ચર કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે. જેનો કુલ ખર્ચ 22,864 કરોડ રૂપિયા થશે. 166.8 કિમી લાંબા 4 લેન હાઈવેને મંજૂરી આપવામાં આવી છે. મેઘાલયથી આસામ સુધીના નવા હાઈવેને મંજૂરી આપવામાં આવી છે.

શેરડીના FRPમાં વધારો
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે શેરડીના ખેડૂતોને મોટી રાહત આપવામાં આવી છે. શેરડીના FRPમાં વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતોને રાહત આપતા, 2025-26 શેરડીની સીઝન માટે પ્રતિ ક્વિન્ટલ 355 રૂપિયાના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ને પણ મંજૂરી આપવામાં આવી છે.

દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
પીએમ મોદીની અધ્યક્ષતામાં સુપર કેબિનેટ (Super Cabinet) બેઠક યોજાઈ
બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં એક સુપર કેબિનેટ (Cabinet) બેઠક યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય મંત્રીમંડળના કેટલાક ટોચના મંત્રીઓ હાજર રહ્યા હતા. રાજકીય બાબતોની કેબિનેટ (Cabinet) સમિતિને ‘સુપર કેબિનેટ’ કહેવામાં આવે છે અને તેમાં કેન્દ્રીય કેબિનેટના તમામ ટોચના મંત્રીઓનો સમાવેશ થાય છે.
આ સુપર કેબિનેટનું નેતૃત્વ પીએમ મોદી કરે છે. તેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલનો પણ આ મંત્રીમંડળમાં સમાવેશ થાય છે.
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો