પહેલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack) અંગે પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના ભાઈ અને કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય લક્ષ્મણ સિંહે પોતાની જ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. પહલગામ આતંકવાદી હુમલાથી (Pahalgam Terror Attack) વ્યથિત લક્ષ્મણ સિંહે ગુના જિલ્લાના તેમના વતન રાઘોગઢમાં બ્લોક કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કેન્ડલ માર્ચ પછી કિલા તિરાહા ખાતે પહલગામ આતંકી હુમલામાં (Pahalgam Terror Attack) મૃત્યુ પામેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપીને સભાને સંબોધતા લક્ષ્મણ સિંહે આરોપ લગાવ્યો કે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા આતંકવાદીઓ સાથે સાંઠગાંઠ ધરાવે છે.

ઓમર અબ્દુલ્લા સરકારને આપેલો ટેકો પાછો ખેંચે કોંગ્રેસ
કોંગ્રેસના નેતા લક્ષ્મણ સિંહે કહ્યું છે કે કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ સરકારને આપેલો ટેકો તાત્કાલિક પાછો ખેંચી લેવો જોઈએ. લક્ષ્મણ સિંહે કહ્યું કે રાહુલ ગાંધી અને તેમના જીજાજી રોબર્ટ વાડ્રાએ આ બાબતે સમજી વિચારીને બોલવું જોઈએ. લક્ષ્મણ સિંહે કહ્યું કે હું આ વાત ખુબ વિચારીને કેમેરા સામે કહી રહ્યો છું. જો પાર્ટીએ મને તગેડી મુકવો હોય તો તગેડી મુકે. લક્ષ્મણ સિંહે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખવાની પણ વાત કરી.

રાહુલ ગાંધી અને તેમના જીજાજી રોબર્ટ વાડ્રા સમજી વિચારીને બોલે
કોંગ્રેસ નેતા લક્ષ્મણ સિંહ આટલેથી નહોતા અટક્યા અને તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતા તથા લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું. લક્ષ્મણ સિંહે કહ્યું કે રાહુલ ગાંધીના જીજાજી રોબર્ટ વાડ્રા કહે છે કે મુસ્લિમોને રસ્તા પર નમાજ નથી પઢવા દેવાતી એટલે આતંકવાદીઓએ હુમલો કર્યો. વાડ્રા અને રાહુલ ગાંધીને સમજદારીપૂર્વક બોલવાની સલાહ આપતા લક્ષ્મણ સિંહે કહ્યું કે આવી ઘટનાઓ તેમની મૂર્ખાઈને કારણે બને છે.
"Omar Abdullah is with Terrorists. I will mail Kharge & Rahul to WITHDRAW Support from him. He should be DISMISSED.
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) April 26, 2025
~ Our Robert Vadra also gave CHILDISH statment."
: Digvijay Singh's brother Laxman Singh on #PahalgamTerrorAttack 😳 pic.twitter.com/dA1cIAFW8A
પહલગામ આતંકી હુમલાના (Pahalgam Terror Attack) મૃતકોને આપી શ્રદ્ધાંજલિ
પહલગામ આતંકી હુમલાના (Pahalgam Terror Attack) મૃતકોને શ્રદ્ધાંજલિ આપતી વખતે પોતાનો મુદ્દો રજૂ કરતા લક્ષ્મણ સિંહે ભારપૂર્વક કહ્યું કે તેઓ આ બધી વાતો કેમેરા સામે કહી રહ્યા હતા. લક્ષ્મણ સિંહે કહ્યું- “મારા માટે દેશ પહેલા છે”. જો પાર્ટીએ મને હાંકી કાઢવો હોય તો હાંકી કાઢે. કોંગ્રેસના નેતાઓએ બોલતા પહેલા 10 વાર વિચાર કરવો જોઈએ, નહીં તો તેમને ચૂંટણીમાં પરિણામ ભોગવવું પડશે.” લક્ષ્મણ સિંહે પહેલગામ આતંકી હુમલામાં ઓમર અબ્દુલ્લાની ભૂમિકાને શંકાસ્પદ ગણાવી હતી.

[…] પહેલગામ આતંકી હુમલામાં બૈસરન ખીણમાં 26 હિન્દુ પ્રવાસીઓના હત્યાકાંડ બાદ ભારતમાં શોક અને આક્રોશનું વાતાવરણ છે. ચારે બાજુથી બદલો લેવાના આહવાન થઈ રહ્યા છે. ભારતે પાકિસ્તાન સામે રાજદ્વારી કાર્યવાહી શરૂ કરી દીધી છે. ભારત દ્વારા સૌ પ્રથમ સિંધુ જળ સંધિ સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી. ત્યારબાદ ભારતમાં પાકિસ્તાની હાઈ કમિશનમાં તૈનાત તમામ સંરક્ષણ સલાહકારોને દેશ છોડવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું. તેમને 30 એપ્રિલ 2025 સુધીનો સમય આપવામાં આવ્યો છે. […]
[…] દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો […]
[…] રોબર્ટ વાડ્રા, દિગ્વિજયસિંહના ભાઈ લક્ષ્મણસિંહ, કર્ણાટકના મુખ્યમંત્રી, મણિશંકર ઐયર […]