મૈનપુરી (Mainpuri) દલિત હત્યાકાંડમાં કોર્ટે રામસેવક, કપ્તાન સિંહ, રામપાલને ફાંસીની સજા સંભળાવી છે, આ હત્યાકાંડના 17 આરોપીઓમાંથી 13 લોકો મૃત્યુ થઈ ચુક્યા છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના વી.પી. સિંહના કાર્યકાળમાં થયેલા દલિતોના હત્યાકાંડમાં પીડિતોને આખરે ભાજપના યોગી આદિત્યનાથના કાર્યકાળમાં ન્યાય મળ્યો છે.
ઉત્તર પ્રદેશના બહુચર્ચિત દિહુલી સામૂહિક હત્યાકાંડ કેસમાં કોર્ટે 44 વર્ષ બાદ પોતાનો ચુકાદો આપ્યો છે. આ હત્યાકાંડ કેસમાં કોર્ટે ત્રણ ગુનેગારોને ફાંસીની સજા ફટકારી છે. આ હિંસામાં દલિત સમુદાયના 24 લોકોની હત્યા કરવામાં આવી હતી. કોર્ટે 24 લોકોની હત્યાના ત્રણ આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે અને પ્રત્યેકને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
Breaking News: Dihuli massacre Case में सजा का हुआ ऐलान, 44 साल बाद Court ने सुनाई सजा |Mainpuri |UP#Mainpuri #DihuliMassacre #Justice #DeathSentence #CourtVerdict #UP #BreakingNews #PunjabKesariTv pic.twitter.com/C9VXpapRNH
— Punjab Kesari (@punjabkesari) March 18, 2025
મૈનપુરીના (Mainpuri) દલિતોને મોડો મોડો મળ્યો ન્યાય
કોર્ટે રામસેવક, કપ્તાન સિંહ, રામપાલને ફાંસીની સજા સંભળાવી છે, આ હત્યા કેસમાં 17 આરોપીઓમાંથી 13 લોકોના મોત થઈ ચૂક્યા છે. 1981માં મૈનપુરીના (Mainpuri) દિહુલી ગામમાં જાતિય હિંસામાં 24 દલિતોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ત્રણ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. સજાની તારીખ 18 માર્ચ, 2025 નક્કી કરવામાં આવી હતી, ત્યારબાદ આજે સજાની જાહેરાત કરવામાં આવી હતી. તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હોવા છતાં દલિતોને ન્યાય મળવામાં 44 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો.

18 નવેમ્બર 1981ના રોજ, ફિરોઝાબાદના જસરાના ગામ દિહુલીમાં જાતિ આધારિત હિંસામાં દલિત સમુદાયના 24 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ મામલે લાયકસિંહે જસરાણા પોલીસ સ્ટેશનમાં રાધેશ્યામ ઉર્ફે રાધે, સંતોષ ચૌહાણ ઉર્ફે સંતોષા, રામ સેવક, રવીન્દ્ર સિંહ, રામપાલ સિંહ, વેદ્રમ, મિઠ્ઠુ, ભૂપરામ, માનિક ચંદ્ર, લટુરી, રામ સિંહ, ચુન્નીલાલ, હોરી લાલ, સોનપાલ, લાયક સિંહ, બનવારી, જગદીશ, રેવતી દેવી, ફૂલદેવી, કપ્તાનસિંહ, કમરુદ્દીન, શ્યામવીર, કુંવરપાલ અને લક્ષ્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે પહેલા દિહુલી ગામ મૈનપુરી (Mainpuri) જિલ્લામાં હતું, તેથી મામલો મૈનપુરી (Mainpuri) જિલ્લા કોર્ટમાં ગયો. મૈનપુરીમાં કોઈ ડકૈતી કોર્ટ ન હોવાથી કેસ પ્રયાગરાજમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ત્યાં સુનાવણી બદ ફરીથી લગભગ 15 વર્ષ પહેલા મૈનપુરીની વિશેષ ન્યાયાધીશ ડકૈતી કોર્ટમાં મોકલવામાં આવ્યો હતો.