Spread the love

હિંદુ સમાજની શક્તિ તો હનુમાનજી જેવી છે પણ તેને જગાડવી પડે છે‘ – પ.પૂ. સ્વામી શ્રી માધવપ્રિયદાસજી

હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025 દરમિયાન હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનું (HSSF) આયોજન કરવામાં આવ્યું છે. આધ્યાત્મ અને સેવાનું ભવ્ય સંગમ એવો આ મેળો ગુજરાત યુનિવર્સિટી મેદાન, અમદાવાદ ખાતે યોજાશે. મેળાના સ્થાનનું ભૂમિ પૂજન કાર્યક્રમ આજરોજ અગ્રવાલ ગ્રુપના ચેરમેન ચીમનભાઈ અગ્રવાલના હસ્તે, પ.પૂ. સ્વામી શ્રી માધવપ્રિયદાસજી, SGVP-ગુરુકુળ, છારોડી, કર્ણાવતીની પ્રેરેક ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટી મેદાન પર સંપન્ન થયો.

આ અવસરે પ.પૂ. સ્વામી શ્રી માધવપ્રિયદાસજી આશીર્વચન આપતા કહ્યું હતું કે હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન આપણને એક સાથે ગૂંથે છે. હિંદુ સમાજની શક્તિ તો હનુમાનજી જેવી છે પણ તેને જગાડવી પડે છે અને હિંદુ સમાજની શક્તિને જગાડવા માટે આવા મેળા વારંવાર કરવા બહુજ જરૂરી છે. તેમણે કહ્યું કે હિંદુ ધર્મ જેવો વૈજ્ઞાનિક કોઈ ધર્મ નથી, જરૂરીયાત છે આપણે જાણવાની. મેળામાં વિજ્ઞાનનો સમન્વય ખુબજ આવકારદાયક છે.

સંસ્કૃતમાં જે અપાર વિજ્ઞાન પડ્યું છે તેની વૈજ્ઞાનિકોને ઓછી ખબર છે. જે સમસ્યાનું સમાધાન વિજ્ઞાન નથી કરી શકતું તેનું સમાધાન વેદ કઈ રીતે કરી શકે છે તે અંગેના સેમિનારો શરુ થઇ ચુક્યા છે. આપણે પરમ વૈજ્ઞાનિક ધર્મના વારસદારો છીએ આપણ ને લઘુતાગ્રંથીનો પોસાય. ક્યારેય નહિ માની લેવાનું કે હિંદુ ધર્મમાં અન્ય મિશનરી જેવી સેવા નથી. સેવાઓ તો અપરંપાર છે આપણ ને સ્મૃતિ નથી અને આવા મેળાઓ એ સ્મૃતિ ને જાગરણ કરશે એવો અમારા અંતરમાં વિશ્વાસ છે.

હિંદુ અધ્યાત્મિક અને સેવા સંસ્થાનના માર્ગદર્શક અને ગુજરાત સાહિત્ય એકાદમીના અધ્યક્ષ ભાગ્યેશભાઈ જહાએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે, હિંદુ સમાજ એક છે આપણે એનું પ્રદર્શન કરવાનું છે. ભૂમિ પૂજન એટલે પ્રકુતિ પૂજન ભૂમિ એ આપણી માતા છે. અને કંઈ પણ કામ કરતા પહેલા આપણે એની આજ્ઞા લઈએ છીએ.

હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાતના અધ્યક્ષ તુલસીરામ ટેકવાણી , હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાતના સચિવ મંચ પર ઉપસ્થિતિ રહ્યા.

હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, પશ્ચિમ ક્ષેત્રના પ્રભારી નારાયણભાઈ મેઘાણીએ મેળા સ્થળના નકશા દ્વારા સંપૂર્ણ મેળાની રચનાની માહિતી આપી હતી. આ અવસરે શ્રી એમ.પી. પંડ્યા શાળા,  જેતલપુરના વિદ્યાર્થીઓ દ્વારા ફ્લેશ મોબ/નાટિકાનું સુંદર મંચન કરવામાં આવ્યું. આ વિધાર્થીઓ દ્વારા અમદાવાદના 300થી વધુ સ્થાનો પર ફ્લેશ મોબ/નાટિકા દ્વારા મેળા વિશે માહિતી આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો સહીત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

3 thoughts on “Gujarat: ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે યોજાનારા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાના સ્થાનનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું”
  1. […] ગુજરાત રાજ્યમાં અનેક ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થયા બાદ ચૂંટણી યોજાવાની બાકી છે. પરંતુ, રિઝર્વેશનની કામગીરી ચાલુ હોય હાલ તેની જાહેરાત કરવામાં આવી નથી. રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલી ક્રિષ્નાએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત માટે રિઝર્વેશનની કામગીરી ચાલુ છે તે પૂરી થયા બાદ કરાશે. […]

  2. […] વિગતવાર માહિતી આપતા ઉમેર્યું હતું કે, ગુજરાતમાં કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *