Spread the love

  • રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક
  • સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,93,938 થઈ
  • રાજ્યમાં કુલ કોરોના સંક્રમિત એક્ટીવ કેસોની સંખ્યા 14,813 થઈ

રાજ્યમાં વધતું કોરોના સંક્રમણ ચિંતાજનક

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1512 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના જાણે અટકવાનું નામ લેતો નથી લઈ રહ્યો. છેલ્લા કેટલાક દિવસોથી રોજ પંદરસો જેટલા નવા કેસ નોંધાતા રહ્યા છે જે ખરેખર ચિંતાજનક છે. નવા નોંધાયેલા કેસની સંખ્યા ઉમેરતાં ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિત કેસની સંખ્યા 2,12,769 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1570 દર્દીઓએ સારવાર દરમિયાન કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,93,938 થતા રાજ્યનો રિકવરી રેટ 91.15% થયો છે. કારણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 14 દર્દીઓના મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક વધીને 4018 થયો છે. રાજ્યમાં કુલ એક્ટીવ કેસોની સંખ્યા 14,813 છે, 93 દર્દીઓને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવેલા છે જ્યારે 14,720 દર્દીઓ સ્ટેબલ છે.

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોનાની સ્થિતિ

રાજ્યના મોટા શહેરો ગણાતા ચાર શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કુલ 749 નવા કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે જે રાજ્યમાં નવા નોંધાયેલા કેસના લગભગ 50% થવા જાય છે. આ ચાર શહેરોમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કોરોના સંક્રમિત કેસો નોંધાયા છે. અમદાવાદ શહેરમાં કોરોના સતત ત્રણસો કેસ આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિત નવા 302 કેસ નોંધાયા છે, 309 દર્દીઓ સાજા થયા છે જ્યારે 8 દર્દીઓનું મૃત્યુ થયું છે. સુરત કોર્પોરેશનમાં કોરોના સંક્રમિત 204 નવા કેસ નોંધાયા છે, 256 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે જ્યારે 2 દર્દીઓનું મૃત્યુ થયું છે. વડોદરા શહેરમાં પણ કોરોના સતત પોતાનો પગ પ્રસરાવી રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 135 નવા કેસ નોંધાયા છે, 126 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજકોટ શહેરની સ્થિત પણ સારી કહી શકાય એવી નથી. રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ 108 નવા કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે અને 86 દર્દીઓ સાજા થયા છે અને 1 દર્દીનું મૃત્યુ થયું છે. છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠા, સુરત જીલ્લા તથા ગાંધીનગરમાં 1-1 દર્દીઓનું મૃત્યુ થયું છે.

રાજ્યમાં કોરોનાના ટેસ્ટ તથા ક્વોરંટીનની સ્થિતિ

કોરોનાના ટેસ્ટની ક્ષમતા વધારવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. રાજ્યમાં આજે કુલ 69,186 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યની વસ્તીના પ્રમાણમાં જોઈએ તો પ્રતિદિન 1064.40 ટેસ્ટ પ્રતિ મિલિયન વસ્તી થવા જાય છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 79,63,653 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જુદા જુદા જીલ્લાઓ અને શહેરોમાં કુલ 5,29,704 વ્યક્તિઓને ક્વોરંટીન કરવામાં આવ્યા છે જે પૈકી 5,29731 હોમ ક્વોરંટીન છે અને 173 વ્યક્તિઓને ફેસિલીટી ક્વોરંટીનમાં રાખવામાં આવ્યા છે.

રાજ્યના જુદા જુદા જીલ્લાઓ શહેરોમાં કોરોનાના નવા સંક્રમિત કેસ તથા સાજા થયેલા દર્દીઓની સંખ્યા.


Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *