Manmohan Singh
Spread the love

ટ્રાયલ કોર્ટે 2015માં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને (Manmohan Singh) સમન્સ જારી કર્યું હતું. પરંતુ ડિસેમ્બર 2024માં તેમનું નિધન થઈ ગયું હતું. કોર્ટ તરફથી સમન્સ પાછું ખેંચી લેવામાં આવ્યા બાદ પૂર્વ પીએમ મનમોહન સિંહ (Manmohan Singh) હવે UPA દૌરના સૌથી હાઈ-પ્રોફાઈલ ગુનાહિત કેસોમાંથી એકમાં ઔપચારિક રીતે દોષમુક્ત થઈ ગયા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સુપ્રીમ કોર્ટે આજે બુધવારે કોલસા બ્લોક ફાળવણી મામલે મહત્વનો ચુકાદો આપતા પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને (Dr. Manmohan Singh) સમન્સ મોકલનારા સ્પેશિયલ CBI કોર્ટના 2015ના આદેશને રદ કરી દીધો. કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે ટ્રાયલ કોર્ટ પાસે CBI ની ક્લોઝર રિપોર્ટને ફગાવવાનો અને તેમની વિરુદ્ધ નોંધ લેવાનો કોઈ આધાર નહોતો.

મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંત (Justice Suryakant) , જસ્ટિસ જોયમાલ્ય બાગચી (Justice Joymalya Bagchi) અને જસ્ટિસ વી. મોહનાની (Justice V. Mohana) બેંચે પૂર્વ વડાપ્રધાનની (Ex PM) અપીલને સ્વીકારી, તેમને ક્લીન ચિટ (Clean Chit) આપનારી સીબીઆઇની (CBI) ક્લોઝર રિપોર્ટને (Closer Report) સ્વીકારી લીધી અને કેસ સાથે જોડાયેલી કાર્યવાહી બંધ કરી દીધી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મનમોહન સિંહ (Manmohan Singh) વિરુદ્ધ કેટલીય પ્રતિકૂળ ટિપ્પણીઓ

જો કે ડૉક્ટર મનમોહન સિંહને (Dr. Manmohan Singh) નિધન ડિસેમ્બર 2024માં થઈ ગયું હતું, તેમ છતાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) ટ્રાયલ કોર્ટના આદેશની વૈધતાની તપાસ કરવાનો નિર્ણય કર્યો કારણ કે તેમાં તેમની વિરુદ્ધ કેટલીય પ્રતિકૂળ ટિપ્પણીઓ કરવામાં આવી હતી. સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ (Manmohan Singh) વતી રજૂ થયેલા સીનિયર એડવોકેટ કપિલ સિબ્બલે (Kapil Sibal) કહ્યું કે મનમોહન સિંહના (Manmohan Singh) નિધન પછી ભલે ટેકનિકલી આ અપીલ નિષ્પ્રભાવી થઈ ગઈ હતી, પરંતુ ટ્રાયલ કોર્ટની (Trial Court) ટિપ્પણીઓ પર ધ્યાન આપવું જરૂરી હતું.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સિબ્બલે (Kapil Sibal) બેંચને કહ્યું, “કેસોમાંથી એક ડૉ. મનમોહન સિંહ (Dr. Manmohan Singh) સાથે જોડાયેલો કેસ છે.” સાથે જ તેમણે કોર્ટને પૂર્વ વડાપ્રધાન વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓને હટાવવાનો અનુરોધ કર્યો. આના પર સીજેઆઈ સૂર્યકાંતે (CJI Suryakant) કહ્યું કે કેસનો નિકાલ કરી શકાય છે, જેના પર સિબ્બલે (Kapil Sibal) જવાબ આપ્યો કે મામલામાં ટ્રાયલ કોર્ટે (Trial Court) સંજ્ઞાન લીધું હતું અને પ્રતિકૂળ ટિપ્પણીઓ કરી હતી જેને હટાવવી જોઈએ.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ટ્રાયલ કોર્ટે 2015 માં જારી કર્યું હતું સમન્સ

સીબીઆઈ (CBI) વતી રજૂ થયેલા સીનિયર એડવોકેટ આર.એસ. ચીમાએ જણાવ્યું કે સંબંધિત કેસોમાં કેટલીક જોગવાઈઓની વૈધતા સાથે જોડાયેલા મુદ્દાઓ હજુ પણ બાકી છે. સીનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ (Abhishek Manu Singhvi) કહ્યું કે ઓછામાં ઓછું ડૉ. મનમોહન સિંહના (Dr. Manmohan Singh) કેસમાં ટિપ્પણીઓને હટાવી શકાય છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સુપ્રીમ કોર્ટે (Supreme Court) પોતાના આદેશમાં નોંધ્યું કે અપીલ કરનારના દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુના કારણે, આ અપીલને નિષ્ફળ માનીને નિકાલ કરી શકાઈ હોત. પરંતુ સ્પેશિયલ જજ દ્વારા મામલા પર નોંધ લેવા અને અપીલ કરનારને સમન્સ મોકલવાના પાસા પર વિચાર કરવા માટે, અમે સીબીઆઈ (CBI) વતી દાખલ કરાયેલી બંને ક્લોઝર રિપોર્ટ (Closer Report) જોઈ છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કોર્ટે કહ્યું, “તપાસ એજન્સીની રિપોર્ટ સ્વીકારવાના સંબંધમાં આ કોર્ટ દ્વારા સતત નક્કી કરવામાં આવેલા સંબંધિત માપદંડોને ધ્યાનમાં રાખતા, અમે આ વાતથી સંતુષ્ટ છીએ કે જજ પાસે સીબીઆઇની (CBI) ક્લોઝર રિપોર્ટને (Closer Report) ફગાવવાનું અને મામલાની નોંધ લેવાનું કોઈ કારણ નહોતું.”

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કોર્ટે આગળ કહ્યું, “અમે અપીલ સ્વીકારીએ છીએ અને વિવાદિત ચુકાદાને રદ કરીએ છીએ. પરિણામે, અમે સીબીઆઈની (CBI) ક્લોઝર રિપોર્ટ(Closer Report) સ્વીકારીએ છીએ અને કેસને બંધ કરીએ છીએ.” 2015માં ટ્રાયલ કોર્ટે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને (Manmohan Singh) સમન્સ જારી કર્યું હતું. પરંતુ ડિસેમ્બર 2024 માં તેમનું નિધન થઈ ગયું હતું. કોર્ટ તરફથી સમન્સ પાછું ખેંચી લેવામાં આવ્યા બાદ પૂર્વ પીએમ હવે યુપીએ (UPA) દૌરના સૌથી હાઈ-પ્રોફાઈલ ગુનાહિત કેસોમાંથી એકમાં ઔપચારિક રીતે દોષમુક્ત થઈ ગયા છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *