Champat Rai
Spread the love

રામ મંદિરમાં (Ram Mandir) દાન ચોરીના કેસમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના (Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust) પૂર્વ મહાસચિવ ચંપત રાયે (Champat Rai) રાજીનામું મંજૂર થયાના એક દિવસ બાદ મંગળવારે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સ્થિત અયોધ્યાના (Ayodhya) રામ મંદિરમાં દાન ચોરીના (Ram Mandir Donation Theft) મામલામાં વિવિધ આરોપોથી ઘેરાયેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના (Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust) પૂર્વ મહાસચિવ ચંપત રાયે (Champat Rai) રાજીનામું સ્વીકારવામાં આવ્યા બાદ પ્રથમ પ્રતિક્રિયા આપી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ચંપત રાયના (Champat Rai) સત્તાવાર એક્સ (X) હેન્ડલ પરથી તેમના હાથથી લખાયેલા એક પત્રની તસવીર શેર કરવામાં આવી છે. આ સાથે ગોસ્વામી તુલસીદાસ રચિત શ્રીરામચરિતમાનસના (Ramcharitmanas) અયોધ્યાકાંડની (Ayodhya Kand) ચોપાઈ- ‘धीरज धर्म मित्र अरु नारी, आपद काल परिखिअहिं चारी’ (ધીરજ, ધર્મ, મિત્ર અને સ્ત્રી- આ ચારેયની પરીક્ષા આપત્તિના સમયે જ થાય છે)- પણ લખવામાં આવી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ પત્રમાં ચંપત રાયે (Champat Rai) લખ્યું છે કે- ‘છેલ્લા 7 જૂન 2026 થી શ્રી રામજન્મભૂમિ મંદિર પરિસરના દાનપાત્રની ગણતરી વખતના સમયગાળામાં થયેલી ચોરીના સંબંધમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.’

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મારા પર પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા- ચંપત રાય (Champat Rai)

ચંપત રાયે (Champat Rai) પત્રમાં લખ્યું છે- ‘વ્યક્તિગત રીતે મારા પર અનેક લોકોએ પાયાવિહોણા આક્ષેપો લગાવ્યા છે, મેં મૌન ધારણ કરી લીધું છે. મંદિર ટ્રસ્ટની 6 જુલાઈએ યોજાયેલી બેઠકમાં એસઆઈટી (SIT) નો પ્રાથમિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, આ અહેવાલ હવે સાર્વજનિક થઈ ચૂક્યો છે. જો કે આ અત્યંત ગોપનીય હતો.’

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ચંપત રાયે (Champat Rai) આગળ લખ્યું છે કે, ‘હું આપ સૌને ખાતરી આપું છું કે એસઆઈટી (SIT) નો અંતિમ અહેવાલ આવ્યા પછી, ફેલાવવામાં આવી રહેલા તમામ મુદ્દાઓ પર પોતાનો ઉત્તર ક્રમશઃ આપીશ, સત્ય સામે આવી જશે.’

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રાયે લખ્યું છે કે, ‘હું વર્ષ ઓક્ટોબર 1991 થી સંગઠન દ્વારા અયોધ્યા (Ayodhya) મોકલવામાં આવ્યો હતો. મારું પ્રચારક તરીકેનું જીવન 45 વર્ષનું છે. હું જ્યાં-જ્યાં રહ્યો છું, ત્યાં ખુલ્લી કિતાબ સમાન છું. સૌને આદરપૂર્વક નમસ્કાર.’

26 જૂને આપ્યું હતું રાજીનામું

ઉલ્લેખનીય છે કે રામ મંદિર દાન ચોરીના કેસમાં (Ram Mandir Donation Theft Case) સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav) દ્વારા પ્રથમ દાવો કરવામાં આવ્યા બાદ ચંપત રાયે (Champat Rai) જ કહ્યું હતું કે એવું કંઈ થયું નથી અને આરોપો પાયાવિહોણા છે. જો કે, બાદમાં ચંપત રાયની જ માંગ પર ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સરકારે વિશેષ તપાસ સમિતિ એટલે કે એસઆઈટી (SIT) ની રચના કરી હતી, જેનો હાલમાં પ્રાથમિક અહેવાલ આવ્યો છે. અંતિમ અહેવાલ જુલાઈના અંતિમ અઠવાડિયામાં આવી શકે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ મામલાએ જોર પકડ્યાના આશરે 20 દિવસ બાદ ચંપત રાયે 26 જૂને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. ટ્રસ્ટની 6 જુલાઈએ યોજાયેલી બેઠકમાં, એટલે કે આશરે 10 દિવસ બાદ, તેમના રાજીનામાને મંજૂરી આપી દેવામાં આવી હતી.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *