Kar Seva
Spread the love

સંત-મહંતોએ શ્રીકૃષ્ણ જન્મસ્થાન (Shri Krishna Janmasthan) પર કારસેવાની (Kar Seva) જાહેરાત કરી છે, જેના હેઠળ 9 ઓગસ્ટે શિલાપૂજન અને પથ્થર કોતરવાનું કામ શરૂ થશે. અયોધ્યાની (Ayodhya) જેમ ગુલાબી પથ્થર ભરતપુરથી મગાવવામાં આવ્યો છે, જેનો ઉપયોગ નવા મંદિર નિર્માણમાં (Mandir Nirman) કરવામાં આવશે અને વિવાદિત ઘુંમટ હટાવવાની વાત કહેવામાં આવી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

શ્રીકૃષ્ણ જન્મસ્થાનની મુક્તિ (Shrikrishna Janmasthan Mukti) માટે તેમની જ ધરા પરથી સંત-મહંતો કારસેવાની (Kar Seva) હુંકાર ભરશે. નવ ઓગસ્ટે ગોવર્ધન ક્ષેત્રના (Govardha Kshetra) ઝુલહૈંડી (Julhendi) સ્થિત શ્રી ચિત્રગુપ્ત પીઠ (Shri Chitragupt Peeth) પર દેશભરના બે ડઝનથી વધુ અખાડાના (Akhada) મહામંડલેશ્વર (Mahamandaleshwar) સામેલ થશે. અહીં કારસેવાની (Kar Seva) હુંકાર ભરવાની સાથે જ શ્રીકૃષ્ણ જન્મસ્થાન (Shri Krishna Janmasthan) પર નવા મંદિરમાં લગાવવા માટે પથ્થર કોતરવાનું કામ શિલાપૂજનથી શરૂ થશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

9 ઑગસ્ટે થશે કાર સેવા (Kar Seva)?

પહેલી ખેપમાં રાજસ્થાનના (Rajasthan) ભરતપુરથી (Bharatpur) પાંચ હજાર ઘનમીટર પથ્થર મગાવવામાં આવ્યો છે. જો કે અખાડા સંયુક્ત રીતે પછીથી કારસેવાની (Kar Seva) તારીખની જાહેરાત કરશે. શ્રી ચિત્રગુપ્ત પીઠાધીશ્વર (Shri Chitragupt Pithadhishwar) સ્વામી ડૉ. સચ્ચિદાનંદ મહારાજે (Dr. Sadchidanand Maharaj) ચાર જુલાઈએ રામ મંદિર આંદોલનની (Ram Mandir) જેમ શ્રીકૃષ્ણ જન્મસ્થાન મુક્તિ (Shri Krishna Janmasthan Mukti) માટે કારસેવા (Kar Seva) નવ ઓગસ્ટે કરવાની જાહેરાત કરી. તેમણે સમર્થન મેળવવા માટે અખિલ ભારતીય અખાડા પરિષદનો સંપર્ક કર્યો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આના પર અખાડા પરિષદના (Akhada Parishad) અધ્યક્ષ શ્રી મહંત રવીન્દ્ર પુરીએ (Shri Mahant Ravindra Puri) આને સમર્થન આપતા કારસેવાની (Kar Seva) જાહેરાત કરી. આ દરમિયાન શ્રાવણમાં કાવડ યાત્રાને (Kanwar Yatra) જોઈને હાલમાં નવ ઓગસ્ટની તારીખ પાછી ઠેલવવામાં આવી. અહીં, શ્રી ચિત્રગુપ્ત પીઠાધીશ્વર સ્વામી (Shri Chitragupt Peethadheeshwar) ડૉ. સચ્ચિદાનંદ મહારાજે (Dr. Swami Sachchidanand) નવ ઓગસ્ટે કારસેવાની (Kar Seva) પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી. નવ ઓગસ્ટે તેમના આશ્રમમાં એક કાર્યશાળા (Workshop) સ્થાપિત કરવામાં આવશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આમાં વિવિધ અખાડાના (Akhada) સંત-મહંતોની ઉપસ્થિતિમાં તે પથ્થરોની શિલાનું પૂજન કરવામાં આવશે, જેને કારસેવા (Kar Seva) દરમિયાન શ્રીકૃષ્ણ જન્મસ્થાન (Shrikrishana Janmasthan) પર નવું મંદિર બનાવવા માટે લગાવવાના છે. તેમણે જણાવ્યું કે એક ઓગસ્ટથી તેમના આશ્રમમાં શ્રીમદ્ ભાગવત કથા શરૂ થઈ ગઈ છે. આઠે કથાનું સમાપન થશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

તેમણે કહ્યું કે અયોધ્યાના (Ayodhya) રામ મંદિરમાં (Ram Mandir) જે પથ્થર લાગ્યો છે, એ જ ગુલાબી રંગનો પથ્થર શ્રીકૃષ્ણ જન્મસ્થાન (Shrikrishana Janmasthan) પર નવું મંદિર બનાવવામાં લગાવવામાં આવશે. આના માટે તેમણે ભરતપુરના (Bharatpur) બંશી પહાડપુરથી પહેલી ખેપ તરીકે પાંચ હજાર ઘનમીટર પથ્થર મગાવ્યો છે. આ પથ્થર છ ઓગસ્ટની રાત્રે આશ્રમમાં પહોંચી જશે. તેમણે જણાવ્યું કે આઠ ઓગસ્ટથી મંદિરમાં સંકીર્તન શરૂ થશે, જ્યારે નવ ઓગસ્ટની સવારે નવ વાગ્યે સંત-મહંતોની ઉપસ્થિતિમાં કાર્યશાળાના શંખનાદ માટે શિલાપૂજન થશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અમે વિવાદિત સ્થળનો ઘુંમટ તોડી પાડીશું

સ્વામી ડૉ. સચ્ચિદાનંદ મહારાજે (Dr. Swami Sachchidanand) કહ્યું કે જન્મસ્થાન પર કારસેવા કરવાની તારીખની જાહેરાત પણ ટૂંક સમયમાં જ તમામ અખાડાના સંત-મહંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે કારસેવા દરમિયાન અમે શ્રીકૃષ્ણ જન્મસ્થાન (Shrikrishna Janmasthan) પર સ્થિત વિવાદિત સ્થળનો ઘુંમટ પણ તોડી પાડીશું. અમે ત્યાં ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર બનાવીને જ રહીશું.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *