Ram Mandir Donation Theft
Spread the love

અયોધ્યાના (Ayodhya) રામ મંદિરમાં દાન ચોરીની (Ram Mandir Donation Theft) તપાસમાં પોલીસે એક નવો ખુલાસો કર્યો છે. અહીં ચોરી કરવામાં આવેલા ધનનો એક હિસ્સો શેર બજાર (Share Market) માં રોકવામાં આવ્યો હતો અને વ્યાજ પર ઉધાર આપવામાં આવ્યો હતો. પોલીસે (Police) ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમના સંબંધીઓના 30 બેંક ખાતાઓ ફ્રીઝ કર્યા છે. એસઆઈટી (SIT) ની તપાસ બાદ એફઆઈઆર (FIR) નોંધવામાં આવી હતી અને કેટલીય ધરપકડો થઈ હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અયોધ્યા (Ayodhya) સ્થિત રામ મંદિરમાં દાન ચોરીની (Ram Mandir Donation Theft) તપાસ કરી રહેલી પોલીસે (Police) શોધી કાઢ્યું છે કે કથિત રીતે ચોરાયેલા રૂપિયાનો એક હિસ્સો શેર બજારમાં રોકવામાં આવ્યો હતો અને વ્યાજ પર ઉધાર આપવામાં આવ્યો હતો. પોલીસ તરફથી ગુરુવારે આ અંગેની માહિતી આપવામાં આવી હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રામ મંદિરમાં દાન ચોરીના (Ram Mandir Donation Theft) આરોપીઓએ ખોલ્યા રહસ્યો

પોલીસના જણાવ્યા અનુસાર, કેટલાય વ્યવહારો સંબંધીઓ અને નજીકના સાથીદારોના બેંક ખાતાઓ (Bank Accounts) દ્વારા કરવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે તપાસના ભાગરૂપે પોલીસ રામ મંદિરમાં દાન ચોરીના (Ram Mandir Donation Theft) આરોપી અનુકલ્પ મિશ્રાને (Anukalp Mishra) તેના ઘરે લઈ ગઈ હતી અને આશરે 20 મિનિટ સુધી સર્ચ ઓપરેશન (Search Operation) હાથ ધર્યું હતું. આ દરમિયાન તેના પરિવારના સભ્યોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ પહેલા બુધવારે પોલીસ આ જ રીતે રામ મંદિરમાં દાન કથિત ચોરીના (Ram Mandir Donation Theft) સહ-આરોપીઓ લવકુશ મિશ્રા (Lavkush Mishra) અને કરુણેશ પાંડેને (Karunesh Pandey) તેમના ઘરે લઈ ગઈ હતી, જ્યાં તલાશી લેવામાં આવી હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રામ મંદિરમાં દાન ચોરીના (Ram Mandir Donation Theft) ત્રણેય આરોપીઓ કરુણેશ પાંડે (Karunesh Pandey), અનુકલ્પ મિશ્રા (Anukalp Mishra) અને લવકુશ મિશ્રાના (Lavkush Mishra) સંબંધીઓના 30 બેંક ખાતાઓમાં લેણ-દેણ પર પોલીસે રોક લગાવી દીધી છે. સૂત્રોએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આ ખાતાઓમાં ખાતાધારકોની જાણીતી આવકના સ્ત્રોતો કરતાં વધુ નાણાકીય વ્યવહારો નોંધાયેલા જોવા મળ્યા છે. ત્રણેય આરોપીઓના ઘરો પર લેવાયેલી તલાશી દરમિયાન રોકડના બંડલ, ઝુમખા અને લોકેટ સહિતના સોનાના દાગીના તેમજ એક કાર જપ્ત કરવામાં આવી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કેટલી રોકડ છે, તેનો ખુલાસો નહીં

પોલીસે જો કે, જપ્ત કરાયેલી રોકડની ચોક્કસ રકમનો ખુલાસો કર્યો નથી અને એ પણ જણાવ્યું નથી કે જપ્ત કરાયેલી વસ્તુઓ કયા આરોપીના નિવાસસ્થાનેથી મળી આવી છે. સૂત્રોએ જણાવ્યું કે પૂછપરછ દરમિયાન અનુકલ્પ મિશ્રા (Anukalp Mishra) અને સહ-આરોપી અવિનાશે (Avinash Shukla) કથિત રીતે સ્વીકાર્યું છે કે ચોરી કરેલા રૂપિયા શેર બજારમાં (Share Market) રોકવામાં આવ્યા હતા અને વ્યાજ પર ઉધાર પણ આપવામાં આવ્યા હતા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે રામ મંદિર દાન ચોરીના રૂપિયા નજીકના સાથીદારો અને સંબંધીઓ વચ્ચે વહેંચવામાં આવ્યું હતું અને બાદમાં નાણાકીય વ્યવહારો છુપાવવા માટે રકમ પોતાના બેંક ખાતાઓમાં પાછી ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. અનુકલ્પ મિશ્રાની (Anukalp Mishra) પૂછપરછ બાદ પોલીસે અયોધ્યા (Ayodhya) સ્થિત તેના ઘર પર દરોડો પાડ્યો હતો, જ્યાં તેના નામે એક એકર જમીનની ખરીદી સાથે જોડાયેલા દસ્તાવેજો મળી આવ્યા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

એક એકરની કિંમત કેટલી?

દસ્તાવેજો અનુસાર, આ જમીન આશરે 6.7 લાખ રૂપિયામાં ખરીદવામાં આવી હતી. જો કે, તેની વર્તમાન બજાર કિંમત ઘણી ગણી વધારે હોવાનો અંદાજ છે. જૂનના પ્રથમ અઠવાડિયામાં અયોધ્યા સ્થિત રામ મંદિરમાં ચઢાવાની રકમની ગણતરીમાં કથિત ગેરરીતિઓ સામે આવ્યા બાદ વિવાદ ઊભો થયો હતો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ટ્રસ્ટની ભલામણ પછી ઉત્તર પ્રદેશ (Uttar PRadesh) સરકારે રામ મંદિરમાં દાન ચોરીના (Ram Mandir Donation Theft) કેસની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી હતી. એસઆઈટીને પ્રાથમિક દૃષ્ટિએ ઉચાપતના પુરાવા મળ્યા હતા, જેના પછી એફઆઈઆर (FIR) નોંધવામાં આવી હતી અને રામ મંદિરના (Ram Mandir) દાનની ગણતરી સાથે જોડાયેલા આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આ મામલે તપાસ હજુ ચાલુ છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *