વકફ સુધારા બિલ (Waqf Amendment Bill) અંગે અરશદ મદનીએ કહ્યું કે આ મુસ્લિમો સાથે વિશ્વાસઘાત છે. દેશના બંધારણ અને કાયદાઓ સાથે પણ રમત રમાઈ રહી છે. આજે દેશમાં જે કંઈ થઈ રહ્યું છે, તેમાં સેક્યુલર પક્ષો પણ દોષિત છે.
વકફ સુધારા બિલ (Waqf Amendment Bill) વિરુદ્ધ નવી દિલ્હીમાં જંતર-મંતર ખાતે 13 માર્ચે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) અને અન્ય ધાર્મિક મિલ્લી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનને જમીયત ઉલમા-એ-હિંદે સમર્થન આપ્યું છે. જમીયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ કહ્યું કે મુસ્લિમોને તેમના અધિકારોની પુનઃસ્થાપના માટે રસ્તા પર ઉતરવાની ફરજ પાડવામાં આવી રહી છે.
વકફ સુધારા બિલ (Waqf Amendment Bill) અંગે અરશદ મદનીએ શું કહ્યું?
અરશદ મદનીએ કહ્યું કે, ‘છેલ્લા બાર વર્ષથી મુસ્લિમો ધીરજ અને સંયમ બતાવી રહ્યા છે, પરંતુ હવે જ્યારે વકફ પ્રોપર્ટી અંગે મુસ્લિમોની ચિંતાઓ અને વાંધાઓને અવગણીને બળજબરીથી ગેરબંધારણીય કાયદાઓ લાવવામાં આવી રહ્યા છે ત્યારે વિરોધ સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. ખાસ કરીને તેમના ધાર્મિક અધિકારો માટે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાનો દેશના દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે.’
મૌલાના મદનીએ કહ્યું, ‘જ્યારથી આ વકફ સંશોધન બિલ (Waqf Amendment Bill) લાવવામાં આવ્યું છે, અમે સરકારને લોકતાંત્રિક રીતે સમજાવવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા છે કે વકફ સંપૂર્ણપણે ધાર્મિક બાબત છે. વકફ પ્રોપર્ટી એ દાન છે જે અમારા વડીલોએ સમુદાયની ભલાઈ અને કલ્યાણ માટે આપ્યું છે, તેથી અમે તેમાં કોઈપણ પ્રકારની સરકારી દખલગીરી સહન કરી શકીએ નહીં.’

‘વકફ કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં જઈશું’
વકફ સંશોધન બિલ (Waqf Amendment Bill) અંગે મૌલાના અરશદ મદનીએ આગળ કહ્યું કે ‘બિલ (Waqf Amendment Bill) ને સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને મોકલવાનો દેખાડો કરવામાં આવ્યો પરંતુ વિરોધ પક્ષોના સૂચનો અને ભલામણોને નકારી કાઢવામાં આવી. જે ચૌદ સુધારા કરવામાં આવ્યા તેમાં ચતુરાઈપૂર્વક એવી કલમો ઉમેરવામાં આવી હતી જેનાથી સરકાર માટે વકફ મિલકતોનો કબજો લેવામાં સરળતા રહે.’
તેમણે વધુમાં કહ્યું, ’13 ફેબ્રુઆરી 2025ના રોજ જમીયત ઉલેમા-એ-હિંદની કાર્યકારી સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જો નવો વકફ કાયદો (Waqf Amendment Bill) પસાર થશે તો જમિયત ઉલમા-એ-હિંદના તમામ પ્રાંતીય એકમો તેને પોતપોતાના રાજ્યોની હાઈકોર્ટમાં પડકારશે અને અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. અમને વિશ્વાસ છે કે અમને ચોક્કસ ન્યાય મળશે, કારણ કે અમારા માટે અદાલતો છેલ્લો ઉપાય છે.’

‘મુસ્લિમ દરેક બાબત સાથે સમાધાન કરી શકે છે પરંતુ શરિયત સાથે નહીં’
મદનીએ કહ્યું, ‘અમે એવા કોઈ કાયદાને સ્વીકારીશું નહીં જે શરિયતની વિરુદ્ધ હોય. એક મુસ્લિમ દરેક વસ્તુ સાથે સમાધાન કરી શકે છે પરંતુ તેની શરિયત સાથે નહીં. આ મુસલમાનોના અસ્તિત્વનો નહી પરંતુ તેમના અધિકારોનો પ્રશ્ન છે. નવા વકફ સુધારા કાયદા દ્વારા, વર્તમાન સરકાર મુસ્લિમો પાસેથી દેશના બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારો છીનવી લેવા માંગે છે. જમિયત ઉલેમા-એ-હિંદ કાયદાકીય લડતની સાથે સાથે મુસ્લિમો, અન્ય લઘુમતીઓ અને ન્યાય-પ્રેમી નાગરિકોને સાથે રાખીને તમામ લોકતાંત્રિક અને બંધારણીય ઉપાયોનો ઉપયોગ કરશે.’
Saharanpur, Uttar Pradesh: The All India Muslim Personal Law Board (AIMPLB) has announced a protest against the Waqf Bill on March 13 at Jantar Mantar, Delhi, Jamiat Ulema-e-Hind President Arshad Madani says, "It seems that anti-democratic parties are trying to suppress Muslim… pic.twitter.com/o23wApVM8V
— IANS (@ians_india) March 8, 2025
‘સેક્યુલર પક્ષો પોતપોતાના સ્વાર્થને ચાહે છે’
મૌલાના મદનીએ કહ્યું, ‘સરકારમાં જેઓ પોતાને બિનસાંપ્રદાયિક કહે છે અને જેની જીતમાં મુસ્લિમોનો પણ ફાળો છે તે પક્ષોને અમે વિવિધ સ્થળોએ ‘સંવિધાન બચાવો પરિષદ’નું આયોજન કરીને ચેતવણી આપી કે જે કંઈ થઈ રહ્યું છે તે ખૂબ જ ખોટું છે. પરંતુ હવે કેન્દ્રીય કેબિનેટે પણ આ બિલને મંજૂરી આપી દીધી છે, જેનો સ્પષ્ટ અર્થ છે કે આ પક્ષોએ આ બિલને ખુલ્લું સમર્થન આપ્યું છે. આ મુસ્લિમો સાથે વિશ્વાસઘાત છે અને દેશના બંધારણ અને કાયદા સાથે પણ રમત છે. આ પક્ષોને દેશના બિનસાંપ્રદાયિક બંધારણ અને મુસ્લિમો કરતાં તેમના રાજકીય હિતો વધુ પ્રિય છે, તેથી આજે દેશમાં જે કંઈ થઈ રહ્યું છે તેમાં આ બિનસાંપ્રદાયિક પક્ષો પણ એટલા જ દોષિત છે.’
મૌલાના મદનીએ કહ્યું, ‘અલબત્ત, સાંપ્રદાયિકતા અને ધર્મના નામે નફરત ફેલાવવાના કારણે દેશમાં સ્થિતિ અત્યંત ચિંતાજનક છે, પરંતુ આપણે નિરાશ થવાની જરૂર નથી. હકારાત્મક બાબત એ છે કે તમામ ષડયંત્રો છતાં દેશના બહુમતી લોકો કોમવાદની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે, આપણે એક જીવંત સમુદાય છીએ, અને જીવંત સમુદાયો સંજોગોની દયા પર રહેતા નથી પરંતુ તેમના કાર્યો અને ચરિત્રથી સંજોગોની દિશા બદલી નાખે છે. આ આપણી ધીરજ, પ્રમાણિકતા અને સંઘર્ષની કસોટીનો સમય છે.’

[…] જે વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે તે ઉત્તરપ્રદેશના ગોંડાનો હોવાનું જણાવાઈ રહ્યું છે. […]
[…] વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં કથાકારો પર હુમલાનો મામલો જોર પકડી […]