Spread the love

  • એક મહિનામાં સરેરાશ બે વખત મ્યુટેટ થાય છે કોરોના વાયરસ, લક્ષણ નથી બદલ્યા
  • વાયરસમાં મ્યુટેશન થવું ચિંતાજનક નથી
  • બ્રિટનમાં મળેલો કોરોનાનો નવો સ્ટ્રેન 70% વધુ સંક્રમક

કોરોનાના નવા સ્ટ્રેનથી કારણ વગર ડરવાની જરૂર નથી ?

બ્રિટનમાં જોવા મળેલા કોરોનાના નવા સ્ટ્રેનથી કારણ વગર ડરવાની જરૂર નથી આમ જણાવ્યું છે દિલ્હી એઈમ્સના ( AIIMS ) ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ. શુક્રવારે એક ડૉ. ગુલેરિયાએ એક અખબારને જણાવ્યું હતું કે, મ્યુટેશનના કારણે લક્ષણો તથા ઈલાજ કરવાની રણનીતિમાં કોઈ બદલાવ આવ્યો નથી. હમણાં જે ડેટા ઉપલબ્ધ છે તે જોતા ટ્રાયલ ફેઝમાં જે વેક્સિન છે, જેને ઈમરજન્સી ઓથોરાઈઝેશન મળવાનું છે તે બ્રિટનમાં મળી આવેલા કોરોનાના નવા સ્ટ્રેન સામે પણ અસરકારક રહેવી જોઈએ.

શા માટે ઈન્ટરપોલે નકલી વેક્સિનના માફિયાઓ વિશે એલર્ટ જાહેર કર્યુ

કોરોના વાયરસમાં થયેલા બદલાવથી વેક્સિન ઉપર કોઈ અસર થશે ?

બ્રિટનમાં મળી આવેલા કોરોનાના નવા અને વધારે ઝડપથી ફેલાતા સ્ટ્રેનથી સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ સર્જાયો છે. અનેક દેશોએ બ્રિટનથી આવતી ફ્લાઇટ બંધ કરી દીધી છે. ભારતીય સરકારે પણ તકેદારીના ભાગરૂપે બ્રિટનથી આવતી ફ્લાઇટ બંધ કરી દીધી છે. આ પરિસ્થિતિમાં એ આશંકા સૌથી વધુ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે કોરોનાની વેક્સિન નવા સ્ટ્રેન ઉપર અસરકારક રહેશે કે નહીં ? ડૉ. ગુલેરિયાએ કોરોના વાયરસના મ્યુટેશનથી કોરોના વિરોધી વેક્સિન પર કોઈ અસર પડશે તે બાબતને નકારી કાઢી છે. ડૉ. ગુલેરિયાએ જણાવ્યું કે જો જરૂર લાગે તો વેક્સિન નિર્માતાઓ વેક્સિનમાં બદલાવ કરીને નવા સ્ટ્રેન સામે પ્રભાવી બનાવી શકે છે. અત્યારે વાયરસ માં કોઈ મોટા બદલાવ જોવા નથી મળતા તેથી મને નથી લાગતું કે આપણે વેક્સિનમાં કોઈ બદલાવ કરવો જોઈએ.

ક્યાં દેશમાં કોરોના વાયરસ વિરોધી વેક્સિન આપ્યા બાદ આરોગ્ય કર્મીને રિએક્શન આવ્યું ?

ભારતની કોરોના વાયરસ સામેની લડાઈ કેેેેેેવી રહેશેે

રશિયા કોરોના વાયરસ વિરોધી વેક્સિનના કેટલા મિલિયન ડોઝ ભારતને આપશે ?

ડૉ. ગુલેરિયાનુ માનવું છે કે આવનારા 6 થી 8 મહિના કોરોના વાયરસ સામેની લડાઇમાં અગત્યના રહેશે કારણકે ભારતમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા તથા કોરોનાથી થતા મૃત્યુ દરમાં ઘટાડો થયો છે. બ્રીટનમાં દેખાયેલા મ્યુટેટ નવીન સ્ટ્રેન કોરોના વાયરસ માટે વધારે એલર્ટ એટલે જ છે કારણકે તે વધુ સંક્રમક છે, વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે, ફેલાય છે. ડૉ. ગુલેરિયાએ જણાવ્યું કે છેલ્લા 10 મહીનામાં વાયરસમાં ઘણા મ્યુટેશન થયા છે અને તે સામાન્ય બાબત છે. ભારતમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ચાલુ રાખવા માટે ડૉ. ગુલેરિયાનુ માનવું છે કે, જો તે ચાલુ કરવામાં આવે તો ભારતમાં આવીને કોરોના પોઝિટિવ થતાં દર્દીઓમાંથી 10% જેટલા દર્દીઓનું જીન્સ સિકવન્સિગ થવું જોઈએ. વર્તમાનમાં 6-7 લેબોરેટરીમાં જીન્સ સિકવન્સિગ થઈ રહ્યું છે. ડૉ. ગુલેરીયાએ જણાવ્યું કે અમે દેશ આધારિત મ્યુટેશનનો ડેટા ભારતની લેબોરેટરીમાં આપવાનું વિચારી રહ્યા છીએ.

ક્યા વાયરોલોજીસ્ટે કહ્યું કોરોના વાયરસ વુહાનની લેબમાં બનાવાયો છે ?

ભારતમાં કોરોના વાયરસ વિરોધી વેક્સિનની સ્થિતિ

ક્યારે આવશે ભારતમાં કોરોના વાયરસ વિરોધી વેક્સિન ?

વર્તમાનમાં વૈશ્વિક સ્તરે કોરોના વાયરસ વિરોધી વેક્સિન વિકસાવવાની પ્રક્રિયા ઉપર સંશોધન કાર્ય ચાલી રહ્યું છે. કેટલીક વેક્સિનને ઈમરજન્સી ઉપયોગની પરવાનગી પણ મળી છે, 50 થી વધારે વેક્સિન ક્લિનિકન ટ્રાયલ ઉપર છે ત્યારે ભારતમાં કોરોના વાયરસ વિરોધી વેક્સિનની સ્થિતિ કેવી રહેશે એ વિશે જણાવતા ડૉ. ગુલેરિયાએ જણાવ્યું કે આગામી જુલાઈ મહિના સુધી ભારતમાં લગભગ 6-7 કોરોના વાયરસ વિરોધી વેક્સિન ઉપલબ્ધ થઈ જવાની ધારણા છે. કોરોના વાયરસ સામે હર્ડ ઈમ્યુનિટી વિશે જણાવતા કહ્યું કે રાજ્યોમાં સીરોલોજીકલ સર્વે કરાવવાની યોજના છે જેનાથી એ જાણી શકાય કે કેટલા લોકોમાં કોરોના વાયરસ વિરોધી એન્ટીબોડી વિકસી ચૂકી છે.


Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.