બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ (BLA) દાવો કર્યો છે કે બલૂચિસ્તાનના (Balochistan) મસ્તુંગ જિલ્લામાં પાકિસ્તાન આર્મીના (Pakistan Army) જવાનોને લઈ જઈ રહેલા એક કાફલા પર હુમલો કર્યો છે. આ હુમલામાં 45 થી વધુ પાકિસ્તાની સૈનિકો (Pakistani Soldiers) માર્યા ગયા છે, જ્યારે ડઝનબંધ ઈજાગ્રસ્ત થયા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન શહબાઝ શરીફ (Shehbaz Sharif) અને ફિલ્ડ માર્શલ આસિમ મુનીરની (Asim Munir) મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એક તરફ પીઓકે (POK) માં પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન (Pakistan) વિરુદ્ધ મોરચો ખોલ્યો છે તો બીજી તરફ બલૂચિસ્તાને (Balochistan) પોતાને આઝાદ દેશ જ જાહેર કરી દીધો છે. આ દરમિયાન બલૂચિસ્તાન લિબરેશન આર્મી (Balochistan Liberation Army) એટલે કે બીએલએ (BLA) એ દાવો કર્યો છે કે તેણે મસ્તુંગમાં (Mastung) પાકિસ્તાન આર્મીના (Pakistan Army) કાફલા પર એટેક કર્યો છે, જેમાં 45 સૈનિકો માર્યા ગયા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

બીએલેએ (BLA) એ દાવો કર્યો કે બલૂચિસ્તાનના (Balochistan) મસ્તુંગ જિલ્લામાં (Mastung district) પાકિસ્તાન આર્મીના (Pakistan Army) જવાનોને લઈ જઈ રહેલા એક કાફલા પર એટેક કર્યો છે. આ હુમલામાં 45 થી વધુ પાકિસ્તાન આર્મીના સૈનિકો માર્યા (Pakistani Soldiers Killed) ગયા, જ્યારે ડઝનબંધ ઘાયલ છે. પાકિસ્તાન આર્મી (Pakistan Army) તરફથી કાફલા પર એટેકની પુષ્ટિ કરવામાં આવી છે, જો કે કેટલા જવાનો માર્યા ગયા છે, તેના પર કોઈ માહિતી આપવામાં આવી નથી. આ હુમલો ગુરુવારે ક્વેટા-કરાચી હાઈવે (Queta-Karanchi Highway) પર ખદકુચા (Khadkocha) પાસે થયો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

BLA એ હુમલા અંગે નિવેદન જારી કર્યું
બીએલએના પ્રવક્તા (BLA spokesperson) જીયાંદ બલૂચે (Jeeyand Baloch) મીડિયામાં નિવેદન જારી કરીને જણાવ્યું કે હુમલામાં કાફલાને, તેની સુરક્ષા ટીમને અને ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલી સેનાની બીજી ટુકડીઓને નિશાન બનાવવામાં આવી હતી. આ હુમલાને ‘ફતેહ સ્ક્વોડ’ (Fatah Squad) દ્વારા અંજામ આપવામાં આવ્યો છે. બીએલએ (BLA) એ આ હુમલાને સુઆયોજિત અને જબરદસ્ત હુમલો ગણાવ્યો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
પાકિસ્તાનના (Pakistan) આ બળવાખોર સંગઠને કહ્યું કે નિવેદન જારી થવાના સમયે પણ પાકિસ્તાન આર્મી સાથે જબરદસ્ત મુઠભેડ ચાલી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પરિસ્થિતિને જોતા મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.

લડાઈ સમાપ્ત થયા બાદ BLA નવું નિવેદન જાહેર કરશે
બીએલએ (BLA)એ કહ્યું કે ટૂંક સમયમાં જ મીડિયાને વિગતવાર એક નિવેદન જારી કરવામાં આવશે. આ નિવેદનમાં, જેને તેઓ એક મોટી લડાઈ ગણાવી રહ્યા છે, તેની સાથે જોડાયેલી અંતિમ ઓપરેશનલ માહિતી અને પાકિસ્તાની સેનાને થયેલા જાન-માલના નુકસાનનું તેમનું મૂલ્યાંકન સામેલ હશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
બલૂચિસ્તાનને આઝાદ દેશ જાહેર કર્યો હતો
તાજેતરમાં જ બીએલએ (BLA) એ બલૂચિસ્તાનને (Balochistan) એક આઝાદ દેશ જાહેર કર્યો હતો. સામે આવેલા પત્રમાં બલૂચિસ્તાન પ્રાંતને ‘રિપબ્લિક ઓફ બલૂચિસ્તાન’ ના (Republic of Balochistan) નામે નવો દેશ ગણાવવામાં આવ્યો હતો. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે બલૂચિસ્તાનની સેનાએ (Balochistan Army) આ વિસ્તારના 85 ટકા હિસ્સા પર કબ્જો જમાવી લીધો છે. એટલું જ નહીં, દેશનો ઝંડો, રાષ્ટ્રગીત, નવી કરન્સી (ચલણ) અને વહીવટી વ્યવસ્થા લાગુ કરવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.
🔴 #BREAKING | बलूचिस्तान में BLA का बड़ा अटैक, 45 पाक सैनिकों को मारने का दावा#Pakistan | #BLA | @tabishh_husain pic.twitter.com/8WtNofUyZ8
— NDTV India (@ndtvindia) July 17, 2026
