મોદી સરકારને (Modi Sarkar) ઘેરવા ane દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને 2029ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના ઘડવા માટે ઈન્ડિ ગઠબંધનની (INDI Alliance) મહત્વપૂર્ણ બેઠક સોમવાર, 8 જૂન 2026ના રોજ નવી દિલ્હીના (New Delhi) સંવિધાન ક્લબ (Samvidhan Club) ખાતે યોજાનાર છે. આ બેઠકમાં વિપક્ષી એકતાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો તેમજ કેન્દ્રની મોદી સરકાર (Modi Sarkar) સામે સંયુક્ત રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે.

બેઠકમાં કયા નેતાઓ રહેશે હાજર?
આ બેઠકમાં કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge), લોકસભામાં વિપક્ષના નેતા (LoP) રાહુલ ગાંધી (Rahul Gandhi), સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav), તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જી (Mamata Banerjee), રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવ (Tejaswi Yadav), શિવસેના (Shivsena UBT) તરફથી સંજય રાઉત (Sanjay Raut) તેમજ એનસીપી (NCP-SP) તરફથી સુપ્રિયા સુલે (Supriya Sule) સહિત 23 રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે.

ડીએમકે બેઠકથી રહેશે દૂર
જોકે, ઈન્ડિ ગઠબંધનનો (INDI Alliance) ભાગ રહેલી એમ.કે. સ્ટાલિનની (M K Stalin) દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) આ બેઠકમાં સામેલ નહીં થાય. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડીએમકેએ (DMK) હાલ માટે આ બેઠકથી પોતાને અલગ રાખવાનો નિર્ણય કર્યો છે અને હાજરી નહીં આપે.
23 પક્ષોએ ભાગીદારીની પુષ્ટિ કરી
કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ જયરામ રમેશે (Jairam Ramesh) જણાવ્યું કે ઈન્ડિ ગઠબંધનની (INDI Alliance) બેઠકમાં 23 રાજકીય પક્ષોએ ભાગ લેવા માટે પુષ્ટિ આપી છે. તેમણે કહ્યું કે કેટલાક પક્ષો પોતાના કારણોસર આ ખાસ બેઠકમાં હાજરી આપી શકશે નહીં, પરંતુ તેઓ પણ મોદી સરકારની (Modi Sarkar) નીતિઓ અને કાર્યશૈલીનો સમાન રીતે વિરોધ કરે છે.

મોદી સરકાર (Modi Sarkar) પર ગંભીર આક્ષેપો
જયરામ રમેશે (Jairam Ramesh) મોદી સરકાર (Modi Sarkar) પર આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારની (Central Government) નીતિઓ લાખો લોકોના મતાધિકારને અસર કરી રહી છે અને સંવિધાન (Constitution) પર સતત હુમલા થઈ રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે તપાસ એજન્સીઓનો ઉપયોગ વિપક્ષી નેતાઓને નિશાન બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે.
તેમણે દાવો કર્યો કે મોંઘવારી (Price Rise), બેરોજગારી (Unemployment) અને આર્થિક પડકારોના કારણે સામાન્ય લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સરકારની નીતિઓ કરોડો ભારતીયોની રોજીરોટીને અસર પહોંચાડી રહી છે, સતત વધતી મોંઘવારીના કારણે ઘરેલુ બજેટ ખોરવાઈ રહ્યું છે અને લાખો યુવાનોની (Youth) આશાઓ તથા અપેક્ષાઓ સાથે વિશ્વાસઘાત થઈ રહ્યો છે.

વિદેશ નીતિ પર પણ સવાલ
જયરામ રમેશે (Jairam Ramesh) એમ પણ કહ્યું કે સરકારની વિદેશ નીતિ (Foreign Policy) રાષ્ટ્રીય હિતોને (National Interest) અનુરૂપ નથી અને તેના કારણે દેશમાં રોકાણનું વાતાવરણ પણ પ્રભાવિત થયું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતની જેમ જ ઈન્ડિ ગઠબંધન (INDI Alliance) પણ પોતાના સહિત એકજૂટ રહીને કાર્ય કરી રહ્યું છે.
देश के 23 विपक्षी दल सोमवार को दिल्ली में एक बड़ी बैठक करने जा रहे हैं. ये वो दल हैं जो INDIA गठबंधन का हिस्सा हैं और BJP को 2029 के लोकसभा चुनाव में टक्कर देना चाहते हैं. लेकिन हाल ही में हुए कुछ राज्यों के चुनावों में बड़े नुकसान के बाद गठबंधन के अंदर ही खींचतान शुरू हो गई है.… pic.twitter.com/H35xokk3xd
— AajTak (@aajtak) June 7, 2026
