ચોમાસાની (Monsoon) ઋતુમાં જીવજંતુઓના કારણે અનેક સમસ્યાઓ થતી હોય છે. આ ઋતુમાં ભેજ અને ગંદકીના કારણે જીવજંતુઓનો પ્રકોપ વધી જાય છે. ઘરમાં આવી ગયેલા આ જીવજંતુઓના કારણે ઘણી તકલીફ તો પડે છે સાથે-સાથે આ જીવજંતુઓથી બીમારી ફેલાવાનો ખતરો પણ રહે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ચોમાસાની (Monsoon) ઋતુમાં મચ્છર, માખી, ગરોળી અને વંદા પણ ઘરમાં પ્રવેશવા લાગે છે. ઘણી વખત તે ભોજનમાં પણ પડે છે, જેના કારણે પણ ઘણી તકલીફ થાય છે.

જોકે ઘરે આવેલા આ જીવાતોને સરળતાથી ભગાડી શકાય છે. તે માટે કેટલીક સરળ ટિપ્સને ફોલો કરી શકાય.
ચોમાસામાં (Monsoon) જીવાત દૂર રાખતો લીમડો
ખાસ કરીને ચોમાસામાં (Monsoon) ઘરે આવતા જંતુઓને લીમડા દ્વારા સરળતાથી દૂર કરી શકાય છે. લીમડાના પાનમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે મચ્છર અને અન્ય જીવાતોને દૂર રાખવામાં મદદ કરે છે. લીમડાના તેલને પાણીમાં મિક્સ કરીને તેને આખા ઘરમાં છાંટવાથી પણ ફાયદો થાય છે. લીમડાના પાનને સળગાવીને ધુમાડો કરવાથી જીવજંતુ દૂર રહે છે. તેનાથી ઘરે આવતી જીવાતો સરળતાથી ભાગી જશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ચોમાસાની (Monsoon) ઋતુમાં વરસાદને કારણે ઘણી વખત ઘરની અંદર જીવજંતુઓ મોટા પ્રમાણમાં આવવા લાગે છે. આવી સ્થિતિમાં તેમને ઘરની બહાર રોકી શકાય છે. આ માટે તમે બારી અને દરવાજા પર જાળીનો ઉપયોગ પણ કરી શકાય છે. જીવાતોને ભગાડવા માટે આ એકદમ અસરકારક ઉપાય છે. તેનાથી ઘરની અંદર તાજી હવા પણ આવશે અને ઘરની અંદર જીવાત પણ નહીં આવી શકે.

ઘરમાંથી જીવાતોને દૂર કરવા માટે કપૂરનો ઉપયોગ કરી શકાય છે. આ માટે કપૂર લઈને સળગાવી તેને ઘરની ચારેબાજુ ફેરવવું જોઈએ. કપૂરની તીવ્ર ગંધ જંતુઓને દૂર કરવામાં મદદ કરે છે. તે ઘરના ખૂણામાં છુપાયેલા મચ્છરોને પણ સરળતાથી દૂર કરે છે.

આમ નાનકડી રીતો અજમાવવાથી ચોમાસામાં વરસાદને કારણે ઘરમાં આવતા જીવજંતુઓને દૂર રાખી શકાય છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો