એફિલ ટાવરથી (Eiffel Tower) પ્રેરિત બે ભવ્ય ઓબ્ઝર્વેટરી ટાવર (Observatory Towers) ભારતમાં બનવા જઈ રહ્યા છે. આ સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ લગભગ 270.07 કરોડ રૂપિયા થશે. ઉપરાંત, તેને નિર્માણ કરવામાં લગભગ 5 વર્ષનો સમય લાગશે. આ ઓબ્ઝર્વેટરી ટાવર્સની (Observatory Towers) ડિઝાઇન પેરિસના પ્રખ્યાત એફિલ ટાવર જેવી હશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ટૂંક સમયમાં ગોવાની સુંદરતામાં બીજી એક અદ્ભુત વસ્તુ ઉમેરવામાં આવનાર છે. ગોવાના ન્યૂ ઝુઆરી બ્રિજ પર એફિલ ટાવરથી પ્રેરિત બે ભવ્ય ઓબ્ઝર્વેટરી ટાવર (Observatory Towers) બનાવવામાં આવશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી 23 મેના રોજ આ ટાવર્સનો શિલાન્યાસ કરશે. આ સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ લગભગ 270.07 કરોડ રૂપિયા થશે. ઉપરાંત, તેને બનાવવામાં લગભગ 5 વર્ષનો સમય લાગશે. વિશેષ વાત એ છે કે આ માટે સરકારને એક પણ પૈસો ખર્ચ કરવો પડશે નહીં.

કોણ નિર્માણ કરશે ઓબ્ઝર્વેટરી ટાવર્સ (Observatory Towers)
આ ઓબ્ઝર્વેટરી ટાવર્સનું (Observatory Towers) નિર્માણ અને સંચાલન એક ખાનગી કંપની કરશે. પછી 50 વર્ષ પછી કંપની આ ઓબ્ઝર્વેટરી ટાવર્સ (Observatory Towers) સરકારને સોંપશે. આ ઓબ્ઝર્વેટરી ટાવર્સની ડિઝાઇન પેરિસના પ્રખ્યાત એફિલ ટાવર જેવી હશે. દરેક ટાવરની ઊંચાઈ 125 મીટર હશે. ઉપરના માળે એક ફરતું રેસ્ટોરન્ટ, આર્ટ ગેલેરી, કાફે અને વ્યુ પોઈન્ટ હશે જ્યાંથી લોકો ગોવાના દૃશ્યોનો આનંદ માણી શકશે. ટોચ પર જવા માટે એક ખાસ કેપ્સ્યુલ લિફ્ટ સ્થાપિત કરવામાં આવશે.

India is set to welcome its first iconic Observatory Towers atop the #NewZuariBridge! 🗼 With a revolving restaurant and art gallery, this marvel will transform Goa’s cityscape into a global tourism magnet!#NewZuariBridgeObservatoryTowers #GatiShakti @DrPramodPSawant pic.twitter.com/EQLZXY8ASX
— Nitin Gadkari (@nitin_gadkari) May 21, 2025
પ્રવાસીઓ માટે સંપૂર્ણ વોકવે અને પાર્કિંગ સુવિધા
આ ઓબ્ઝર્વેટરી ટાવર્સના (Observatory Towers) નિર્માણમાં પ્રવાસીઓની સુવિધાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પુલની બંને બાજુ 7.5 મીટર પહોળો વોકવે બનાવવામાં આવશે, જેથી લોકો આરામથી ટાવર સુધી પહોંચી શકે. આ ઉપરાંત, પુલના બંને છેડે પાર્કિંગની સુવિધા પણ હશે. આ ભારત અને વિદેશથી આવતા પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણનું સ્થળ બનશે. આનાથી હોટલ, ટેક્સી, રેસ્ટોરન્ટ અને દુકાનો જેવા ઘણા ક્ષેત્રોમાં રોજગાર અને વ્યવસાયના નવા રસ્તા ખુલશે.

ન્યુ ઝુઆરી બ્રિજ, જેને મનોહર સેતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્તર અને દક્ષિણ ગોવાને જોડે છે. તે ભારતનો બીજો સૌથી લાંબો કેબલ-સ્ટેડ બ્રિજ છે. તેના પ્રથમ તબક્કાનું ડિસેમ્બર 2022 માં અને બીજા તબક્કાનું ડિસેમ્બર 2023 માં ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો