Pahalgam Terrorist Attack: કાશ્મીરના પહેલગામની બૈસરન ખીણમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સાનો માહોલ છે. 28 ભારતીયોના મૃત્યુથી સમગ્ર દેશ આઘાત અને ગુસ્સામાં લાલચોળ થઈ ઉઠ્યો છે. આ જઘન્ય હત્યાકાંડનો બદલો લેવાની ઈચ્છા સેનામાં સળવળી રહી છે.
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના સાઉદી અરેબિયા પ્રવાસથી અધવચ્ચે જ પાછા ફર્યા છે અને સુરક્ષા બાબતો પર સતત ઉચ્ચ સ્તરીય બેઠકો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ એવું વિચિત્ર નિવેદન આપ્યું છે કે બધા ચોંકી ગયા છે.

પહલગામ આતંકી હુમલા (Pahalgam Terrorist Attack) પર રોબર્ટ વાડ્રાનુ નિવેદન
રોબર્ટ વાડ્રાએ પહલગામ આતંકી હુમલા (Pahalgam Terrorist Attack) પર નિવેદન આપતા કહ્યું કે ‘તેઓએ ખૂબ જ કમજોર પદ્ધતિ અપનાવી છે… નિઃશસ્ત્ર લોકો પર હુમલો કરવો ખોટું છે.’ મને હંમેશા લાગ્યું છે કે આ મારો વિચાર છે, કોંગ્રેસ કે મારા પરિવારનો નહીં; હું લોકો પાસેથી શીખું છું… મુસ્લિમો સાથે જે ખોટું થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે… જે લોકો રસ્તા પર આવીને નમાઝ પઢે છે તેમને રોકવામાં આવે છે. કોઈ સર્વે કરવામાં આવે છે, જેમ કે સંભલમાં થઈ રહ્યું છે, અથવા તમે બાબર અને ઔરંગઝેબ વિશે વાત કરો છો, તો લઘુમતીને ખરાબ લાગે છે. પરંતુ જ્યાં સુધી આપણે ધર્મ અને રાજકારણને અલગ નહીં કરીએ ત્યાં સુધી ખોટા આતંકવાદી હુમલાઓ થતા રહેશે. જે એ વાતનો પુરાવો છે કે તેમણે તે જોયું જ્યાંથી આ થઈ રહ્યું છે. કારણ કે તેમને લાગે છે કે મુસ્લિમોને દબાવવામાં આવી રહ્યા છે. લઘુમતીઓ અલગ થઈ રહ્યા છે તે નુકસાનકારક છે, કોઈ ભેદભાવ ન હોવો જોઈએ…’
#WATCH | #PahalgamTerroristAttack | Delhi | Businessman Robert Vadra says, "I feel terrible and my deepest condolences are for the people who have died in this terrorist act…In our country, we see that this government will talk about Hindutva, and the minorities feel… pic.twitter.com/Hi45M88xaK
— ANI (@ANI) April 23, 2025
નિશિકાંત દુબેનો રોબર્ટ વાડ્રા ઉપર પ્રહાર
ભાજપના નિશિકાંત દુબેએ પહલગામ આતંકી હુમલા (Pahalgam Terrorist Attack) ઉપર રોબર્ટ વાડ્રાના નિવેદન ઉપર પ્રહાર કરતા કહ્યું કે ‘દુઃખની આ ઘડીમાં પણ ગાંધી પરિવારને મુસલમાન દેખાય છે, કોંગ્રેસની આ માનસિકતાએ આજે દેશમાં નફરતના બીજ રોપ્યા છે.’ સનાતન ધર્મના કારણે જ ભારત કાશ્મીરથી કન્યાકુમારી સુધી એક થયું છે. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારત મજબૂત અને સફળ છે અને રહેશે. આતંકવાદીઓ અને તેમના સમર્થકો નશ્યત થશે, ભારતની બહાર બેઠેલા દુશ્મનો અને દેશની અંદર મુસ્લિમોને ઉશ્કેરનારા દુશ્મનો નેસ્તનાબૂદ થશે.

ભાજપનો રોબર્ટ વાડ્રા પર હુમલો
ભાજપના પ્રવક્તા પ્રેમ શુક્લાએ પહલગામ આતંકી હુમલા (Pahalgam Terrorist Attack) ઉપર રોબર્ટ વાડ્રાના નિવેદન બાદ રોબર્ટ વાડ્રા પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે પહલગામમાં 28 નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી. નિર્દોષોનું લોહી હજુ સુકાયું નથી અને કોંગ્રેસના જમાઈ જેહાદીઓના સમર્થન ઉભા થઈ ગયા છે. તેને હિન્દુત્વ સાથે જોડીને તેઓ આતંકવાદીઓના કાર્યોને ઉચિત ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ દરમિયાન, ભાજપના આઇટી મીડિયા સેલના વડા અમિત માલવિયાએ કહ્યું, ‘આઘાતજનક!’ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા બેશરમીથી આતંકવાદી કૃત્યનો બચાવ કરી રહ્યા છે, આતંકવાદીઓને વખોડવાને બદલે તેમને કવર આપી રહ્યા છે. તે આટલે જ ન અટકતા પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતા અત્યાચાર માટે ભારતને દોષી ઠેરવી રહ્યા છે.
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
[…] અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં (Pahalgam Terror Attack) થયેલા આતંકવાદી હુમલા […]
[…] પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ (Pahalgam Terrorist Attack) ફરી એકવાર ભારત અને પાકિસ્તાન (Pakistan) […]
[…] સિંહે કહ્યું કે રાહુલ ગાંધીના જીજાજી રોબર્ટ વાડ્રા કહે છે કે મુસ્લિમોને રસ્તા પર નમાજ […]
[…] વિવાદીત વક્તવ્ય બંધ નથી થઈ રહ્યા. રોબર્ટ વાડ્રા, દિગ્વિજયસિંહના ભાઈ લક્ષ્મણસિંહ, […]