જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો છે. આ ઘટનામાં બે પ્રવાસીઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સૈનિકોએ વિસ્તારમાં આતંકવાદીઓની શોધ શરૂ કરી દીધી છે.
દેવલિપિ ન્યુઝ વોટસએપ ચેનલ ફોલો કરો
સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ અને કાશ્મીરના (Jammu Kashmir) પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં (Terrorist Attack) કેટલાક પ્રવાસીઓને ગોળી પણ વાગી છે. આ હુમલામાં એક પ્રવાસીનું મોત થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઘટનાની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આ ઘટનામાં ઘાયલ થયેલા પ્રવાસીઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ પહેલી ઘટના છે જ્યારે આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા હોય.

નામ, ધર્મ પુછીને મારી ગોળી
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 10 પ્રવાસીઓ ઘાયલ થયા હોઈ શકે છે. 6 પ્રવાસીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘાયલોની સંખ્યા વધવાની આશંકા છે. આ હુમલામાં પ્રવાસીઓની સાથે કેટલાક સ્થાનિક લોકો પણ ઘાયલ થયા છે. છેલ્લે મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્ત નહિલાના કહેવા મુજબ તેના હાથમાં બંગડી જોઇ, નામ પુછ્યું, ધર્મ પુછ્યો અને પછી ગોળી મારી હતી.
#WATCH जम्मू-कश्मीर के पहलगाम में गोलीबारी की घटना की सूचना मिली है; पुलिस और सुरक्षा बल मौके पर मौजूद हैं।
— ANI_HindiNews (@AHindinews) April 22, 2025
विवरण की प्रतीक्षा है। pic.twitter.com/h6IzEhVfpm
જમ્મુ કાશ્મીરનું (Jammu Kashmir) પહલગામ પ્રવાસીઓનું પ્રિય સ્થળ
છેલ્લા કેટલાક મહિનાઓથી જમ્મુ અને કાશ્મીરમાં (Jammu Kashmir) આતંકવાદીઓને ખતમ કરવા માટે મોટા પાયે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે સુરક્ષા દળોની કાર્યવાહીથી આતંકવાદીઓ ડરી ગયા છે. એટલા માટે તેઓ કાયરતાપૂર્વક સામાન્ય જનતાને નિશાન બનાવી રહ્યા છે. ઉનાળાની રજાઓ પણ શરૂ થવાની છે, તેથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેમના પરિવાર સાથે ફરવા માટે નીકળે છે. ઉનાળાની રજાઓમાં પહેલગામમાં પ્રવાસીઓની નોંધપાત્ર હાજરી હોય છે.

અન્ય પ્રવાસીઓને પહેલગામ જતા અટકાવવામાં આવ્યા
સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો અને સ્થાનિક પોલીસે અન્ય પ્રવાસીઓને પહેલગામ જવા પર અસ્થાયી રૂપે રોકી દેવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યો છે અને દરેક ખૂણે સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવી રહ્યા છે જેથી ત્યાં છુપાયેલા આતંકવાદીઓને ખતમ કરી શકાય.
Pahalgam Terrorist Attack : आतंकियों ने पूछा नाम, हिंदू होने पर मार दी गोली, पहलगाम हमले पर बोले घायल#JammuKashmir #IndianArmy #Pahalgam #PahalgamTerroristAttack
— Zee News (@ZeeNews) April 22, 2025
जम्मू-कश्मीर के पहलगाम (Pahalgam attack) में बड़ा आतंकवादी हमला हुआ है. यहां आतंकवादियों के एक गुट ने सैर-सपाटा के… pic.twitter.com/FAClguqN5V
રવિન્દ્ર રૈનાએ કહ્યું- આતંકવાદીઓને ચોડવામાં નહી આવે
જમ્મુ અને કાશ્મીરમાં (Jammu Kashmir) ભાજપના નેતા રવિન્દ્ર રૈનાએ કહ્યું છે કે દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓનો ટૂંક સમયમાં જ સફાયો કરવામાં આવશે. આતંકવાદીઓને મદદ કરનારાઓને પણ છોડવામાં આવશે નહીં. આ હુમલાને કાયરતાપૂર્ણ ગણાવતા તેમણે કહ્યું કે આ કાયર પાકિસ્તાની આતંકવાદીઓએ કાશ્મીરની મુલાકાતે આવેલા નિઃશસ્ત્ર અને નિર્દોષ પ્રવાસીઓને નિશાન બનાવ્યા છે. કેટલાક પ્રવાસીઓને ઘાયલ હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આર્મી પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે.
દેવલિપિ ન્યુઝ વોટસએપ ચેનલ ફોલો કરો

[…] ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. પહેલગામ હુમલા બાદ સોશિયલ મીડિયા અને સંરક્ષણ […]
[…] તાજેતરમાં તેના 15 વર્ષના પુત્ર સાથે જમ્મુ કાશ્મીરના કારગિલ ફરવા આવી હતી. જ્યાં તે એક […]