Patanjali
Spread the love

બાબા રામદેવની પતંજલિ (Patanjali) આયુર્વેદ અને રજનીગંધા બ્રાન્ડની માલિકી ધરાવતું DS ગ્રુપ હવે વીમા ક્ષેત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. અદાર પૂનાવાલાની સનોતી પ્રોપર્ટીઝે મેગ્મા જનરલ ઈન્સ્યોરન્સમાં પોતાનો હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે એવી માહિતી એક્સચેન્જ ફાઈલિંગમાં આપવામાં આવી છે.

કોવિડ મહામારી દરમિયાન કોવિડ વેક્સિનના ભારતીય નિર્માતા સીરમ ઈન્સ્ટીટ્યુટના સીઈઓ અદાર પૂનાવાલાની (Adar Poonawalla) સનોતી પ્રોપર્ટીઝે (Sanoti Properties) ઈન્સ્યોરન્સ સબસિડીયરી મેગ્મા જનરલ ઈન્સ્યોરન્સમાંથી તેમનો હિસ્સો બાબા રામદેવની પતંજલિ (Patanjali) આયુર્વેદ અને અન્ય સંસ્થાઓને વેચવાનો નિર્ણય કર્યો છે. આ સોદો પાર પડ્યા બાદ આ વીમા કંપનીમાં પતંજલિની ભાગીદારી વધીને 98 ટકા થઈ જશે અને સોદા મુજબ તેની વેલ્યુ 4500 કરોડ રૂપિયા થશે. પતંજલિ (Patanjali) ઉપરાંત રજનીગંધા બ્રાન્ડની માલિકી ધરાવનાર ધરમપાલ સત્યપાલ ગ્રુપ (DS Group) પણ તેમાં હિસ્સો ખરીદશે.

જો કે, આ ખરીદી માટે હજુ પણ વીમા નિયમનકારી સંસ્થા ઈરડા (IRDAI) પાસેથી મંજૂરી લેવી પડશે. આ સિવાય કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI), કંપનીના ડિબેન્ચરધારકો અને અન્ય નિયમનકારી સત્તાવાળાઓ પાસેથી પણ મંજૂરી લેવી પડશે.

સનોતી પ્રોપર્ટીઝમાં અદાર પૂનાવાલાનો 90% હિસ્સો

મેગ્મા જનરલ ઈન્સ્યોરન્સમાંથી સનોતી પ્રોપર્ટીઝ પોતાનો હિસ્સો ઘટાડી રહી છે અને અદાર પૂનાવાલા સનોતી પ્રોપર્ટીઝમાં 90 ટકા હિસ્સો ધરાવે છે. સનોતી પ્રોપર્ટીઝ વિશે વાત કરીએ તો, નવેમ્બર 2024 સુધીના ડેટા અનુસાર, સનોતી અને સાયરસ પૂનાવાલા જૂથની હોલ્ડિંગ કંપની રાઇઝિંગ સન હોલ્ડિંગ્સ મેગ્મા જનરલ ઇન્શ્યોરન્સમાં 72.49 ટકા હિસ્સો ધરાવે છે.

કઈ કઈ કંપનીઓ મેગ્મા જનરલ ઈન્સ્યોરન્સમાંથી પોતાનો હિસ્સો વેચશે

માત્ર સનોતી પ્રોપર્ટીઝ જ નહી આ સિવાય અન્ય કેટલીક કંપનીઓ પણ મેગ્મા જનરલ ઈન્સ્યોરન્સમાંથી પોતાનો હિસ્સો વેચી રહી છે. પોતાનો હિસ્સો વેચનારી કંપનીઓમાં સનોતી સિવાય સેલિકા ડેવલપર્સ પ્રા. લિ. (Celica Developers Pvt Ltd), જેગુઆર એડવાઈઝરી સર્વિસીઝ પ્રા. લિ. (Jaguar Advisory Services Pvt Ltd), HDFC ના ભૂતપૂર્વ ચેરમેન કેકી મિસ્ત્રી, અતુલ ડીપી ફેમિલી ટ્રસ્ટ, શાહી સ્ટર્લિંગ એક્સપોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ, QRG ઈન્વેસ્ટમેન્ટ્સ એન્ડ હોલ્ડિંગ્સ લિમિટેડનો પણ સમાવેશ થાય છે.

પતંજલિ (Patanjali) સિવાય અન્ય કોણ ખરીદશે મેગ્મા ઈન્સ્યોરન્સમાં હિસ્સો

બીજી બાજુ, મેગ્મા જનરલ ઈન્સ્યોરન્સમાં હિસ્સો ખરીદનારા વિશે વાત કરીએ, તો માત્ર પતંજલિ આયુર્વેદ લિમિટેડ જ હિસ્સો નથી ખરીદી રહી પરંતુ એસઆર ફાઉન્ડેશન, રિતિ ફાઉન્ડેશન, આરઆર ફાઉન્ડેશન, સુરુચી ફાઉન્ડેશન અને સ્વાતિ ફાઉન્ડેશન આ સોદામાં ખરીદદારો છે. બીએસઈ (BSE) ફાઇલિંગ અનુસાર, ખરીદદારોએ જેટલા શેર ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો કે તેનાથી તેમનો હિસ્સો 98.055% થઈ જશે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *