હિંદ મહાસાગરમાં ભારતીય નૌકાદળની તાકાત સતત વધી રહી છે. ત્યારે આ શ્રેણીમાં નૌકાદળને ટૂંક સમયમાં યુદ્ધ જહાજો માટે મધ્યમ રેન્જની સપાટીથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલો મળવાની તૈયારીઓ થઈ રહી છે જેનાથી માત્ર ભારતીય નૌકાદળની સંરક્ષણ પ્રણાલી જ મજબુત નહીં બને, ભારત દરિયાઈ ક્ષેત્રમાં પોતાની સ્થિતિને વધુ મજબૂત કરી શકશે.
ચીનની નજર હિંદ મહાસાગર પર છે અને તે પોતાના યુદ્ધ જહાજો વધારી રહ્યું છે. જમીન અને આકાશની સાથે તે સમુદ્રમાં પણ પોતાની તાકાત વધારી રહ્યું છે ત્યારે ભારત તેની સૈન્ય ક્ષમતા જમીન, આકાશ અને સમુદ્ર વધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. તમામ પ્રકારના ખતરાનો સામનો કરવામાં અસરકારક સાબિત થાય તે રીતે સમુદ્રમાં પોતાની શક્તિ વધારવા માટે ભારતે નેવીને, તેના યુદ્ધ જહાજોને ઘાતક અને શક્તિશાળી હથિયારોથી સજ્જ કરવાની યોજના બનાવી છે.
ભારતે નેવીને ઘાતક અને શક્તિશાળી હથિયારોથી સજ્જ કરવા સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે નેવીના ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો માટે ઇઝરાયેલ સાથે સંયુક્ત રીતે વિકસિત 70 થી વધુ સપાટીથી હવામાં મધ્યમ-અંતરની પ્રહાર ક્ષમતા ધરાવતી મિસાઇલો (MR-SAM) ની આપૂર્તિ કરવા સરકારની માલિકીની ભારત ડાયનેમિક્સ લિમિટેડ સાથે રૂ. 2,960 કરોડના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવા અને અદ્યતન લશ્કરી તકનીકને સ્વદેશી બનાવવાના ભારતના ચાલુ પ્રયાસોમાં સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહની હાજરીમાં હસ્તાક્ષર કરાયેલા આ કરાર “એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ” છે.
#AatmanirbharBharat: Ministry of Defence inks Rs 2,960 crore contract with BDL for Medium-Range Surface-to-Air Missiles for Indian Navy
— PIB in Maharashtra 🇮🇳 (@PIBMumbai) January 16, 2025
📘https://t.co/6H4NYjkITt@bharat_dynamics @indiannavy pic.twitter.com/IrHypqf3rR
ત્રણ કરોડની ડીલમાં શું ખરીદાશે?
ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “એમઆર-એસએએમ સિસ્ટમ હવે ઘણા ભારતીય યુદ્ધ જહાજો પર પ્રમાણભૂત છે અને સંપાદન ભવિષ્ય માટે આયોજન કરાયેલા મોટાભાગના પ્લેટફોર્મ પર ફીટ કરવાની યોજના છે.” જેને નેક્સ્ટ જનરેશન બરાક-8 તરીકે પણ ઓળખવામાં આવે છે તેવી MR-SAM સિસ્ટમનો નેવી, એરફોર્સ અને આર્મીએ સમાવેશ કર્યો છે. ઘણા વર્ષો પહેલા DRDO અને ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે રૂ. 30,000 કરોડથી વધુના પ્રારંભિક ખર્ચે ત્રિ-પાંખીય સંયુક્ત પ્રોજેક્ટ હેઠળ સહયોગ બાદ નિર્માણ કરવામાં આવી છે.
MR-SAM શું છે?
MR-SAM 70 કિલોમીટરની રેન્જમાં દુશ્મનના એરક્રાફ્ટ, હેલિકોપ્ટર, ક્રુઝ મિસાઈલ અને ડ્રોનને નષ્ટ કરવા માટે નિર્માણ કરવામાં આવી છે. બુધવારે કાર્યરત થયેલા INS સુરત સિવાય આ મિસાઈલ નેવીમાં, સિસ્ટમ એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત, ત્રણ કોલકાતા-ક્લાસ વિનાશક અને ચાર વિશાખાપટ્ટનમ-ક્લાસ વિનાશક પર તૈનાત કરવામાં આવી છે.
નેવી અને એરફોર્સ પછી, આર્મીએ ફેબ્રુઆરી 2023 માં તેની પ્રથમ ‘અભ્રા’ એમઆર-એસએએમ રેજિમેન્ટને સિક્કિમ અને સિલિગુડી કોરિડોરમાં ચીન સાથેની સરહદની રક્ષા કરતી 33 કોર્પ્સમાં સામેલ કરી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “MR-SAM સિસ્ટમ ફાઇટર એરક્રાફ્ટ, UAVs, હેલિકોપ્ટર, ગાઇડેડ અને અનગાઇડેડ યુદ્ધ સામગ્રી, સબસોનિક અને સુપરસોનિક ક્રૂઝ મિસાઇલો સહિત વિવિધ પ્રકારના જોખમો સામે પોઇન્ટ અને એરિયા એર ડિફેન્સ પ્રદાન કરે છે.”
“તે ગંભીર સંતૃપ્તિની પરિસ્થિતિઓમાં 70 કિલોમીટર સુધીની રેન્જમાં બહુવિધ લક્ષ્યોને ભેદવા સક્ષમ છે. મિસાઇલ ટર્મિનલ તબક્કા દરમિયાન ઉચ્ચ મનુવરેબિલિટી હાંસલ કરવા માટે સ્વદેશી રીતે વિકસિત રોકેટ મોટર અને નિયંત્રણ સિસ્ટમ દ્વારા સંચાલિત છે.”
સમુદ્રમાં વધશે ભારતની શક્તિ
ઉલ્લેખનીય છે કે ચીન જેવા દગાબાજ દેશનો સામનો કરવા માટે ભારત પોતાની નૌકાદળ પર વિશેષ ધ્યાન આપી રહ્યું છે. આ માટે ભારત પોતાના કાફલામાં ઘણી નવી સબમરીનનો સમાવેશ કરીને સેનાના સાધનોને આધુનિક બનાવી રહ્યું છે. આ ઉપરાંત ઉલ્લેખનીય છે કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છે.