Kerala
Spread the love

કેરળમાંથી (Kerala) એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વીજળી પડવાથી એક ક્રિકેટરનું મૃત્યુ થયું છે. આ મામલો કેરળના અલપ્પુઝા શહેરનો છે, જ્યાં 28 વર્ષીય ક્રિકેટર અખિલ પી શ્રીનિવાસનનું 16 માર્ચ, રવિવારના રોજ ક્રિકેટ રમતી વખતે વિજળી ત્રાટકતા મૃત્યુ થયું હતું.

અખિલ પી શ્રીનિવાસન સાંજે તેના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે આકાશમાંથી તેના પર વીજળી પડી. તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ ડોકટરો તેનો જીવ બચાવી શક્યા ન હતા.

કેરલ (Kerala) ની દુર્ઘટના

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું કે અખિલ પી શ્રીનિવાસન કેરળના (Kerala) કોડુપુન્ના, પુથુવલ લક્ષમવીડુ કોલોનીનો રહેવાસી હતો. વીજળી પડતાં તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેની સારવાર કરી હતી. અખિલના કાન, માથા અને છાતીના ભાગે દાઝી ગયેલા નિશાન જોવા મળ્યા હતા. કમનસીબે, હોસ્પિટલ પહોંચ્યા પછી તરત જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

વીજળી પડવાને કારણે ફોનના ફુરચા ઉડી ગયા હતા

આ ઘટના રવિવારે સાંજે 3.30 કલાકે બની હતી. ફિલ્ડિંગ કરતી વખતે અખિલને કોઈનો ફોન આવ્યો હતો. અખિલે ફોન ઉપાડ્યો એજ વખતે વીજળી પડતા ફોનના ફુરચા ઉડી ગયા હતા. અખિલના મિત્ર શરણે જણાવ્યું કે તેનું મોત ફોન ને કારણે જ થયું હતું. આ દુર્ઘટનામાં શરણને પણ ઈજા થઈ હતી, પરંતુ તેની ઈજા ગંભીર નથી. અખિલ વેલ્ડીંગનું કામ કરતો હતો.

ગત વર્ષે પણ કેટલીક આવી ઘટનાઓ બની હતી જેમાં ક્રિકેટ રમતા લોકોના મોત થયા હતા જે સમાચારે લોકોને ચોંકાવી દીધા હતા. ડિસેમ્બર 2024માં પુણેમાં ક્રિકેટ રમતી વખતે રમત દરમિયાન એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો. આ સિવાય ગયા વર્ષે ડિસેમ્બરમાં બંગાળ માટે રણજી ટ્રોફી રમી ચૂકેલા સુવોજિત બેનર્જીનું 39 વર્ષની વયે ક્રિકેટ રમતી વખતે અવસાન થયું હતું.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

2 thoughts on “કેરળમાં (Kerala) આકાશમાંથી વીજળી ત્રાટકતા, ફોનના ઉડયા ફુરચા, ક્રિકેટરનું દુઃખદ મોત, માથા અને છાતી પર બળવાના નિશાન”
  1. […] કેરળના કોલ્લમ જિલ્લાના કોટ્ટુક્કલમાં ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB) દ્વારા સંચાલિત મંદિરમાં આયોજિત સંગીત ઉત્સવ દરમિયાન RSSના ‘ગણ ગીતમ’ (પ્રાર્થના ગીત)ના ગાવાને લઈને વિવાદ થયો હોવાના અહેવાલ આવી રહ્યા છે. કોંગ્રેસે આ મામલામાં દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. રવિવારે સવારે મંદિરમાં આયોજિત ‘ગણ મેળા’ (સંગીત સમારોહ) દરમિયાન એક વ્યાવસાયિક સંગીત મંડળીના સભ્યો દ્વારા ગીત રજૂ કરવામાં આવ્યું હતું. […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *