Waqf Act
Spread the love

Waqf Act: ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે (AIMPLB) એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) અને પરિણામે દેશમાં સર્જાયેલી કટોકટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વક્ફ બચાવો અભિયાન સંબંધિત જાહેર કાર્યક્રમો, જે 16 મે સુધી મુલતવી રાખવામાં આવ્યા હતા, હવે ફરી શરૂ થઈ ગયા છે. 22 મેના રોજ, હૈદરાબાદમાં એક મહિલા સંમેલન યોજાશે જેમાં બોર્ડ એક લાખ મહિલાઓને એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહિં ક્લિક કરો

સંસદના બંને ગૃહો દ્વારા વક્ફ સુધારા કાયદો (Waqf Act) પસાર થયા પછી, આ વક્ફ કાયદો (Waqf Act) સમગ્ર દેશમાં અમલમાં આવ્યો. જોકે, મુસ્લિમ સંગઠનો સાથે ઘણા રાજકીય પક્ષો પણ નવા વકફ કાયદાનો (Waqf Act) વિરોધ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ શરૂ કરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) અને ભારત-પાકિસ્તાન તણાવને ધ્યાનમાં રાખીને, વક્ફ કાયદા (Waqf Act) સામેનો વિરોધ ઠંડો પડી ગયો હતો, જે હવે ફરીથી શરૂ કરવામાં આવી રહ્યો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે (AIMPLB) આ જાહેરાત કરી છે.

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે (AIMPLB) એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) અને તેના પરિણામે દેશમાં સર્જાયેલી કટોકટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વક્ફ બચાવો અભિયાન સંબંધિત જાહેર કાર્યક્રમો, જે 16 મે સુધી મુલતવી રાખવામાં આવ્યા હતા, હવે ફરી શરૂ થઈ ગયા છે.

દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહિં ક્લિક કરો

22 મેના રોજ, હૈદરાબાદમાં એક મહિલા સંમેલન યોજાશે જેમાં બોર્ડ એક લાખ મહિલાઓને એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. 20 મેના રોજ વારંગલ, 23 મેના રોજ મહારાષ્ટ્રના જલગાંવ, 24 મેના રોજ નાંદેડ, 25 મેના રોજ ઔરંગાબાદ અને 30 મેના રોજ તેલંગાણાના નિઝામાબાદમાં જાહેર સભાઓ યોજાશે.

વક્ફ કાયદા (Waqf Act) ના વિરોધની તમામ પ્રવૃત્તિઓ ફરી શરૂ

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના (AIMPLB) રાષ્ટ્રીય પ્રવક્તા અને ઓલ ઈન્ડિયા સેવ વક્ફ અભિયાનના કન્વીનર ડૉ. એસ.ક્યુ.આર. ઈલ્યાસે એક નિવેદન જારી કરીને કહ્યું કે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) અને દેશમાં સર્જાયેલી કટોકટીની પરિસ્થિતિને કારણે વકફ સુરક્ષા અભિયાન હેઠળ બોર્ડે યાજાનાર જાહેર સભાઓ, વિરોધ પ્રદર્શનો અને રેલીઓ વગેરે જેવા જાહેર કાર્યક્રમોને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધા હતા.

જોકે, સદનસીબે આજથી આ બધી પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, નાગરિક સમાજ સાથે રાઉન્ડ ટેબલ મીટિંગ્સ, સર્વધર્મ મીટિંગ્સ, પ્રેસ કોન્ફરન્સ અને કલેક્ટર અથવા જિલ્લા મેજિસ્ટ્રેટના માધ્યમથી રાષ્ટ્રપતિને મેમોરેન્ડમ સુપરત કરવા જેવા ઇન્ડોર કાર્યક્રમો રાબેતા મુજબ ચાલુ રહ્યા.

દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહિં ક્લિક કરો

સમિતિના કન્વીનરે જણાવ્યું હતું કે આ કાર્યક્રમો સરકારી ખોટી માહિતીને કારણે સાથી નાગરિકોમાં ફેલાયેલી ગેરસમજોને દૂર કરવાની તક પૂરી પાડી રહ્યા છે અને મુસ્લિમ સમુદાયને (Muslim) સરકારના દુર્ભાવનાપૂર્ણ ઈરાદાઓથી વાકેફ પણ કરાવી રહ્યા છે. તેમણે કહ્યું કે ભેદભાવપૂર્ણ અને ગેરબંધારણીય સુધારાઓ સામે જનમત વધી રહ્યો છે અને લોકોમાં બેચેની અને અશાંતિમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

ડૉ. ઇલ્યાસે આશા વ્યક્ત કરી કે સુપ્રીમ કોર્ટ (Supreme Court) સરકારના ભેદભાવપૂર્ણ સુધારાઓ અને ભારતના બંધારણ સાથેના તેમના સંઘર્ષની નોંધ લેશે અને જરૂરી સુધારાત્મક પગલાં લેશે. તેમણે વધુમાં કહ્યું કે એવી અપેક્ષા છે કે સુપ્રીમ કોર્ટ (Supreme Court) 20 મેના રોજ અનેક સુધારાઓ પર વચગાળાની રાહત આપશે.

દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહિં ક્લિક કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “વક્ફ કાયદા (Waqf Act) વિરુદ્ધ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ફરી ઉતરશે રસ્તા પર, દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન”
  1. […] કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા વકફ કાયદા (Waqf Act) પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *