પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, બાંગ્લાદેશ અને ભારત વચ્ચે કોઈ તફાવત નથી. આપણે લઘુમતીઓને પરેશાન કરીશું, તેમની મસ્જિદો તોડીશું અને શિવલિંગની શોધ કરીશું, બાંગ્લાદેશમાં જો કોઈ આપણો હિંદુ ભાઈ ત્યાંના અત્યાચારની વાત કરશે તો તેને જેલમાં પુરી દેવામાં આવશે, અહીં ઉમર ખાલિદને જેલમાં પૂરવામાં આવ્યો છે, તો પછી ત્યાંના અને અહિંના અત્યાચાર વચ્ચે તફાવત શું છે?
PDP ચીફ મહેબૂબા મુફ્તીએ બાંગ્લાદેશ અને ભારતને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું, જુઓ અત્યારે બાંગ્લાદેશની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આપણા હિંદુ ભાઈઓ સાથે ભારે અન્યાય થઈ રહ્યો છે, અત્યાચાર થઈ રહ્યો છે, તો અહીં લઘુમતીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે એમાં ફરક શું છે?
મહેબૂબા મુફ્તી સંભલ હિંસા અને અજમેરમાં દરગાહમાં મંદિરના દાવા અંગે વાત કરી રહ્યા હતા, આ દરમિયાન તેમણે તેને બાંગ્લાદેશ સાથે જોડીને કહ્યું કે, આપણે આટલો મોટો બિનસાંપ્રદાયિક દેશ દેશ છીએ તેથી જ્યારે આપણી અને બાંગ્લાદેશ વચ્ચે કોઈ ભેદ નહીં રહે, આપણે લઘુમતીઓને હેરાન કરીશું. અમે તેમની મસ્જિદો તોડીને તેમાં શિવલિંગ શોધીશું, બાંગ્લાદેશમાં જો આપણો કોઈ હિંદુ ભાઈ ત્યાં અત્યાચારની વાત કરશે તો તેને જેલમાં પુરી દેવામાં આવે છે, અહીં ઉમર ખાલિદને જેલમાં પુરી દેવામાં આવ્યો છે, તો શું ફરક છે, મને લાગે છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોઈ તફાવત નથી.
ભાજપે કર્યો વળતો પ્રહાર?
મહેબૂબા મુફ્તીના નિવેદન પર ભાજપના નેતા રવિન્દર રૈનાએ વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, ભારતની તુલના બાંગ્લાદેશ સાથે કરતું મહેબૂબા મુફ્તીનું નિવેદન ખૂબ જ વિવાદાસ્પદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. હાલમાં બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયોને વીણી-વીણીને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. મહેબૂબા મુફ્તીનું બાંગ્લાદેશને લઈને ભારત વિરુદ્ધનું નિવેદન દેશદ્રોહ છે. ભારતમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી બધા સુરક્ષિત છે. તેમણે એમ પણ કહ્યું કે, મહેબૂબા મુફ્તીનું નિવેદન બેજવાબદારીભર્યું છે, તેને દેશદ્રોહ તરીકે જોવું જોઈએ અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.
#WATCH जम्मू: भाजपा नेता रविंदर रैना ने कहा, "महबूबा मुफ्ती का बांग्लादेश के साथ तुलना वाला दिया गया बयान बहुत विवादास्पद, दुर्भाग्यपूर्ण है। बांग्लादेश में इस वक्त अल्पसंख्यक समुदायों को चुन-चुनकर निशाना बनाया जा रहा है… जिस प्रकार का अत्याचार बांग्लादेश में हुआ, महबूबा मुफ्ती… https://t.co/QPiCaNaGz5 pic.twitter.com/ljO3yhTHEp
— ANI_HindiNews (@AHindinews) December 1, 2024
“અંદરોઅંદર લડાવાઈ રહ્યા છે”
પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, સ્થિતિ સારી નથી, ગાંધીજીથી લઈને જવાહર લાલ નેહરુ સુધી આપણા તમામ નેતાઓએ આ દેશને હિંદુઓ, મુસ્લિમો, શીખો, ઈસાઈઓનું ઘર બનાવ્યું છે. તેમણે આગળ કહ્યું, જે સ્થિતિ બની રહી છે, અંદરોઅંદર લડાવાઈ રહ્યા છે અને મને ડર છે કે આ પરિસ્થિતિ આપણને એ જ દિશામાં લઈ જઈ રહી છે જે સ્થિતિ 1947માં હતી. મહેબૂબા મુફ્તીએ વધુમાં કહ્યું કે, યુવાનો નોકરીની માંગ કરે છે તો તેમને નોકરી નથી મળતી, લોકો સારી હોસ્પિટલની માંગ કરે છે પરંતુ સારી હોસ્પિટલ નથી, સારું શિક્ષણ નથી. તમે આપણી શેરીઓ, રસ્તાઓ ઠીક નથી કરી રહ્યા તો તમે કરી શું રહ્યા છો? તો તમે મસ્જિદ તોડીને તેમાં મંદિર શોધો. આ શું થઈ રહ્યું છે?
#WATCH | Jammu, J&K: PDP chief Mehbooba Mufti says, "…Today, I am afraid that the situation which was during 1947, we are being taken towards that direction. When the youth talk of jobs, they don't get it. We don't have good hospitals, education…They are not improving the… pic.twitter.com/JwdT8RG1xv
— ANI (@ANI) December 1, 2024
સંભલનો ઉલ્લેખ કરતાં મહેબૂબા મુફ્તીએ કહ્યું, જરા જુઓ કે સંભલમાં કેટલો ખરાબ અકસ્માત થયો. ગરીબ લોકો જેમને તેની સાથે કોઈ લેવાદેવા ન હતી, કેટલાક દુકાનમાં કામ કરતા હતા, કેટલાક રોજમદારી પર કામ કરતા હતા, તેમને ગોળી મારી દેવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે, જો તમે આ વિશે વાત કરશો તો તમને જેલમાં ધકેલી દેવામાં આવશે.
અજમેરની દરગાહનો ઉલ્લેખ કરતાં મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, હવે 800 વર્ષ જૂની અજમેર શરીફ દરગાહ, જ્યાં હિન્દુ, મુસ્લિમ, શીખ બધા જાય છે અને તે આપણા ભાઈચારા અને સંસ્કૃતિની નિશાની છે. તેની પાછળ પડી ગયા છે. તેને પણ ખોદી નાખો, તેમની નીચે પણ જુઓ, કદાચ મંદિર નીકળશે. તેમણે આગળ કહ્યું, મને સમજાતું નથી કે આવું ક્યાં સુધી ચાલશે.
મહેબૂબા મુફ્તીએ ચૂંટણીમાં થયેલા મતદાન પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, મતદાન દરમિયાન ચૂંટણીની ટકાવારી અલગ હોય છે અને પરિણામો દરમિયાન અલગ હોય છે, અમને આ અંગે પણ શંકા છે. તેઓ એક રાજ્ય છોડી દે છે જેથી વિપક્ષ બોલી ન શકે. જો 6 વાગ્યે મતદાન બંધ થયું ત્યારે 58 ટકા મતદાન થયું તો 3 કલાક પછી 68 ટકા કેવી રીતે થયું અને ગણતરી પહેલા 70 ટકા કેવી રીતે થઈ ગયું.