આ સંયુક્ત કવાયત (Joint Exercise) અને પેટ્રોલિંગ ભારત અને બાંગ્લાદેશની નૌકાદળોએ બંગાળની ખાડીમાં હાથ ધર્યું હતું. આ સૈન્ય કવાયતનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે દરિયાઈ સુરક્ષા સહયોગને મજબૂત કરવાનો, સંયુક્ત કામગીરીમાં સંકલન વધારવાનો અને પરસ્પર માહિતીના આદાનપ્રદાનની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો છે. બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલું સત્તા પરિવર્તન અને ત્યારબાદ બાંગ્લાદેશની પાકિસ્તાન અને ચીન સાથે વધતી નિકટતા વચ્ચે આ સંયુક્ત કવાયત ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

‘બોંગોસાગર 2025’ નામની આ વર્ષની સંયુક્ત કવાયતમાં (Joint Exercise) ભારતીય નૌકાદળના INS રણવીર અને બાંગ્લાદેશ નેવીના BNS અબુ ઉબૈદાએ ભાગ લીધો હતો. આ કવાયત 2019 થી સતત કરવામાં આવી રહી છે અને બંને દેશોની સંરક્ષણ ભાગીદારીને નવી દિશા આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
The India-Bangladesh Naval Exercise Bongosagar 2025 and Coordinated Patrol was conducted in Bay of Bengal this week. The exercise saw participation of INS Ranvir from Indian Navy and BNS Abu Ubaidah from Bangladesh Navy.
— DD News (@DDNewslive) March 13, 2025
The exercise enhanced interoperability between the two… pic.twitter.com/2f7GjlDKpl
સંયુક્ત કવાયત (Joint Exercise) વ્યૂહાત્મક સહકારનો નવો તબક્કો
ભારતીય નૌકાદળના સત્તાવાર નિવેદન અનુસાર, આ સંયુક્ત કવાયત (Joint Exercise) દરિયાઈ સુરક્ષા અને સ્થિરતાને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ કવાયતમાં સપાટી પર ફાયરિંગ, વ્યૂહાત્મક દાવપેચ, દરિયાઈ લોજિસ્ટિક્સ સપ્લાય અને ક્રોસ બોર્ડિંગ જેવી વિવિધ કામગીરીનો સમાવેશ થાય છે. આ કવાયતથી બંને દેશોની નૌકાદળને ન માત્ર તેમની વ્યૂહાત્મક કૌશલ્યની ચકાસણી કરવાની તક મળી સાથે સાથે દરિયાઈ પડકારોનો સામનો કરવા માટે તેમની ક્ષમતાઓમાં પણ સુધારો થયો છે.

નૌકાદળની તત્પરતાનું પરીક્ષણ
નૌકાદળની તૈયારીની ચકાસણી કરવા માટે આ કવાયત દરમિયાન, એક વિશેષ સંચાર કવાયત પણ હાથ ધરવામાં આવી હતી. વધુમાં, બંને દેશોની ઓપરેશનલ ટીમો અને જુનિયર અધિકારીઓને તેમના દરિયાઈ જ્ઞાનને વધારવા અને વ્યૂહાત્મક વિચારોનું આદાનપ્રદાન કરવાની તક મળી શકે. નિષ્ણાતોનું માનવું છે કે ભારત અને બાંગ્લાદેશ, તેમની ભૌગોલિક નિકટતાને કારણે, સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે ગાઢ સહકારથી લાભ મેળવી શકે છે.

બદલાતા પ્રાદેશિક સમીકરણો
તાજેતરના વર્ષોમાં દરિયાઈ સુરક્ષા સંબંધિત પડકારો વધ્યા છે ત્યારે આ કવાયત ખાસ કરીને ભારત અને બાંગ્લાદેશ માટે મહત્વપૂર્ણ છે. બાંગ્લાદેશમાં તાજેતરના રાજકીય ફેરફારો અને સત્તાના પ્રાદેશિક સંતુલનમાં ફેરફારથી ભારતની વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ પ્રભાવિત થઈ છે. બાંગ્લાદેશના પાકિસ્તાન સાથેના સંબંધોમાં સુધારાના સંકેતો પણ ભારત માટે મહત્વનો વિષય બની ગયા છે. આવી સ્થિતિમાં ભારત માટે તેના નજીકના પાડોશી બાંગ્લાદેશ સાથે મજબૂત સંબંધો જાળવી રાખવા જરૂરી બની ગયું છે.
