તાજેતરમાં જ NIA કોર્ટે કાસગંજ ચંદન ગુપ્તા હત્યા કેસમાં 28 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી. હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. ચંદન ગુપ્તા હત્યા કેસના આરોપીઓને કાયદાકીય અને કૌટુંબિક સહાય પૂરી પાડવા માટે વિદેશી ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. NIAની વિશેષ અદાલતે આ અંગે આદેશ જારી કર્યો છે. જેમાં ન્યૂયોર્ક, લંડન અને ભારતમાંથી ચાલતી એનજીઓના નામ લેવામાં આવ્યા છે.
ચંદન ગુપ્તાના હત્યારાઓને મદદ માટે વિદેશી મુસ્લિમ સંસ્થાઓ પાસેથી આવતું હતું ફંડ
ન્યુયોર્કના એલાયન્સ ફોર જસ્ટીસ એન્ડ એકાઉન્ટેબિલિટી (Alliance for justice and accountability), વોશિંગ્ટન સ્થિત ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ (Indian American Muslim council) અને લંડન સ્થિત સાઉથ એશિયા સોલિડેરિટી ગ્રૂપે (South Asia solidarity Group) ચંદન ગુપ્તાના હત્યારાઓને મદદ કરવા માટે ભંડોળ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત 3 ભારતીય એન.જી.ઓ. મુંબઈ સ્થિત એનજીઓ સિટિઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ (Citizens for justice and Peace), નવી દિલ્હી સ્થિત એનજીઓ પીપલ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (People Union for civil liberties) અને લખનૌ સ્થિત રિહાઈ (Rihai) મંચે આરોપીઓને મદદ કરી હતી.
રિહાઈ મંચના પ્રમુખ મોહમ્મદ શોએબે કહ્યું હતું કે રિહાઈ મંચ પાસે પોતાનું કોઈ ફંડ નથી. રિહાઈ મંચ પાસે કોઈ બેંક ખાતું નથી. રિહાઈ મંચમાં કામ કરતા લોકો પોતાની અથવા તેમના મિત્રો પાસેથી પૈસા લઈને કામ કરે છે.
#ChandanGupta
— Zee Uttar Pradesh Uttarakhand (@ZEEUPUK) January 5, 2025
चंदन गुप्ता हत्याकांड में बड़ा खुलासा
दोषियों के लिए 7 NGO ने की फंडिंग
लखनऊ से लंदन तक दोषियों के मददगार #NGO #zeeupuk @anchalkadyan07 pic.twitter.com/E1VA4Xr7X0
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને રિપોર્ટ મોકલાશે
NIA કોર્ટના આદેશની નકલ ગૃહ મંત્રાલય તેમજ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને મોકલવામાં આવશે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે આ તમામ એજન્સીઓનું ફંડિંગ ક્યાંથી આવે છે અને તેમનો સામૂહિક ઉદ્દેશ્ય શું છે? આ અંગે ગંભીરતાથી તપાસ થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કાસગંજના ચંદન ગુપ્તા હત્યા કેસમાં NIA કોર્ટે 28 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી.
[…] ખેતરો અને બહેતર વાતાવરણના કારણે અમેરિકા શેરડીનો ગઢ બન્યું. અમેરિકામાં […]