યુનેસ્કોએ (Unesco) 17 એપ્રિલના રોજ તેના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં 74 નવા દસ્તાવેજી વારસા સંગ્રહ ઉમેર્યા છે, હવે કુલ કોતરેલા સંગ્રહોની સંખ્યા 570 થઈ ગઈ; હાલમાં, યાદીમાં ભારતના 14 અભિલેખ સામેલ છે.
યુનેસ્કોના (Unesco) મેમરી ઓફ વર્લ્ડ રજિસ્ટરમાં ભગવદ ગીતા, નાટ્યશાસ્ત્ર
યુનેસ્કોના (Unesco) જે વૈશ્વિક પ્રતિષ્ઠાના વારસા સંગ્રહને સાચવે છે એવા મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં 74 નવા દસ્તાવેજી વારસા સંગ્રહ ઉમેરવામાં આવ્યા છે જેમાં ભગવદ ગીતા અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રની હસ્તપ્રતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગીતા અને નાટ્યશાસ્ત્રના સમાવેશ કરવામાં આવતા હવે આ યાદીમાં ભારતના કુલ 14 અભિલેખ થયા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સિદ્ધિને “વિશ્વભરના દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ” ગણાવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X ઉપર કેન્દ્રિય મંત્રી ગજેન્દ્ર શેખાવતની પોસ્ટને રીપોસ્ટ કરતા લખ્યું કે, “યુનેસ્કોના મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને નાટ્યશાસ્ત્રનો સમાવેશ એ આપણી શાશ્વત બુદ્ધિમતા અને સમૃદ્ધ સંસ્કૃતિની વૈશ્વિક માન્યતા છે. ગીતા અને નાટ્યશાસ્ત્રે સદીઓથી સભ્યતા અને ચેતનાનું પોષણ કર્યું છે. તેમની આંતરદૃષ્ટિ વિશ્વને પ્રેરણા આપતી રહે છે.”
A proud moment for every Indian across the world!
— Narendra Modi (@narendramodi) April 18, 2025
The inclusion of the Gita and Natyashastra in UNESCO’s Memory of the World Register is a global recognition of our timeless wisdom and rich culture.
The Gita and Natyashastra have nurtured civilisation, and consciousness for… https://t.co/ZPutb5heUT
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X ઉપર જાણકારી આપતી પોસ્ટ કરતા લખ્યું કે આ “ભારતના સાંસ્કૃતિક વારસા માટે ઐતિહાસિક ક્ષણ” છે. તેમણે આગળ લખ્યું કે, “આ સાથે, હવે આ આંતરરાષ્ટ્રીય રજિસ્ટરમાં આપણા દેશના 14 અભિલેખો છે.”

17 એપ્રિલના રોજ, યુનેસ્કોએ (Unesco) તેના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં 74 નવા દસ્તાવેજી વારસા સંગ્રહ ઉમેર્યા, જેનાથી કુલ અભિલેખ સંગ્રહોની સંખ્યા 570 થઈ ગઈ.
યુનેસ્કોના (Unesco) જણાવ્યા અનુસાર, નવા અભિલેખ સંગ્રહોમાં, 14 વૈજ્ઞાનિક દસ્તાવેજી વારસા સાથે સંબંધિત છે, ઉપરાંત ગુલામીની યાદગીરી અને અગ્રણી ઐતિહાસિક મહિલાઓ સંબંધિત આર્કાઇવ્સ સાથે સંબંધિત સંગ્રહો પણ છે.
ભગવદ ગીતા એક શાશ્વત દાર્શનિક અને આધ્યાત્મિક માર્ગદર્શક ગ્રંથ છે અને તેનો લગભગ 80 ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે, જ્યારે નાટ્યશાસ્ત્ર એ નાટ્યશાસ્ત્ર, અભિનય, સૌંદર્ય શાસ્ત્ર અને શાસ્ત્રીય કળાઓ પરનો એક ગ્રંથ છે, અને તે રંગભૂમિ અને અભિનય પરંપરાઓ પરના સૌથી વ્યાપક દસ્તાવેજોમાંનો એક છે.
યુનેસ્કોના (Unesco) નિવેદન મુજબ, 72 દેશો અને ચાર આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી વૈજ્ઞાનિક ક્રાંતિ, ઈતિહાસમાં મહિલાઓના યોગદાન અને બહુપક્ષીયતાના મુખ્ય સીમાચિહ્નો પરની એન્ટ્રીઓનો રજિસ્ટરમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય સલાહકાર સમિતિ દ્વારા નામાંકનોના મૂલ્યાંકન બાદ યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બોર્ડના નિર્ણય દ્વારા રજિસ્ટરમાં સંગ્રહ ઉમેરવામાં આવતા હોય છે.
યુનેસ્કો (Unesco) દ્વારા ૭૪ નવી એન્ટ્રીઓની જાહેરાત બાદ, યુનેસ્કોના ડાયરેક્ટર-જનરલ, ઓડ્રે અઝોલેએ જણાવ્યું હતું કે, “દસ્તાવેજી વારસો એ વિશ્વની સ્મૃતિનું એક આવશ્યક છતાં નાજુક તત્વ છે. આ જ કારણ છે કે યુનેસ્કો મોરિટાનિયામાં ચિંગુએટ્ટીની લાઇબ્રેરીઓ અથવા કોટે ડી’આઇવોરમાં અમાડોઉ હેમ્પેટ બાના આર્કાઇવ્સ જેવા રક્ષણમાં રોકાણ કરે છે, શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરે છે અને આ રજિસ્ટર જાળવી રાખે છે જે માનવ ઈતિહાસના વ્યાપક સમયગાળાને રેકોર્ડ કરે છે.”