Covid Vaccine: કોરોના મહામારી પછી, હૃદયરોગના હુમલાના (Heart Attack) કેસોમાં ઝડપથી વધારો થયો છે. આ સાથે, લોકોના અચાનક મૃત્યુએ લોકોને ડરાવી દીધા. ઘણા લોકોએ આ માટે કોવિડ વેક્સીનને (Covid Vaccine) જવાબદાર ઠેરવી હતી. પરંતુ, ICMR અને AIIMS ના તાજેતરના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે કોવિડ વેકસીન (Covid Vaccine) અને હૃદયરોગના હુમલા વચ્ચે કોઈ સીધો સંબંધ છે કે નહી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
કોરોના પછી, હાર્ટ એટેકના (Heart Attack) કેસ ઝડપથી વધી રહ્યા છે. કેટલાકને ચાલતી વખતે અને કેટલાકને બેઠા બેઠા હાર્ટ એટેક આવી રહ્યો છે. આ સતત વધી રહેલા કેસ અંગે દાવો કરવામાં આવ્યો હતો કે કોવિડ વેક્સીનને (Covid Vaccine) કારણે આવું થઈ રહ્યું છે. જોકે, આ દાવાઓ અંગે ICMR અને AIIMSના રિપોર્ટમાં એક મોટો ખુલાસો થયો છે.

છેલ્લા કેટલાક સમયથી દેશમાં ચર્ચા ચાલી રહી હતી કે કોવિડ-19 વેક્સીન (Covid Vaccine) લીધા પછી ઘણા યુવાનો અચાનક મૃત્યુ પામી રહ્યા છે. આ અંગે અનેક પ્રકારની અફવાઓ અને ભય ફેલાઈ રહ્યા હતા, પરંતુ હવે દેશની બે સૌથી મોટી તબીબી સંસ્થાઓ ICMR (Indian Council of Medical Research) અને AIIMS (All India Institute of Medical Sciences) એ આ મુદ્દા પર એક મોટી અને ઊંડી તપાસ કરી છે, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કોવિડ વેક્સીન (Covid Vaccine) અને અચાનક મૃત્યુ (Sudden Death) વચ્ચે કોઈ સીધો સંબંધ નથી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ICMR-NIE એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિઓલોજી (National Institute of Epidemiology) સાથે મળીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિસર્ચમાં, 18 થી 45 વર્ષની વયના લોકો જેમનું 1 ઓક્ટોબર, 2021 થી 31 માર્ચ, 2023 ની વચ્ચે અચાનક મૃત્યુ (sudden Death) થયું હોય તેમના નમૂના લેવામાં આવ્યા છે.

અચાનક મૃત્યુ અને કોવિડ વેક્સીન (Covid Vaccine) વચ્ચે કોઈ સંબંધ નથી
ICMR અને AIIMSનો રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે ટીવી અભિનેત્રી શેફાલી જરીવાલાના (Shefali Jariwala) મૃત્યુનો મામલો ચર્ચામાં છે. તેમના અચાનક મૃત્યુને કારણે ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. કોવિડ વેક્સીનને (Covid Vaccine) મૃત્યુનું કારણ માનવામાં આવી રહ્યું હતું. આ ઉપરાંત, કર્ણાટકના (Karnataka) હસન (Hasan) જિલ્લામાં થઈ રહેલા મૃત્યુથી દરેક વ્યક્તિ ડરી ગયો હતો. છેલ્લા 40 દિવસમાં અહીં 22 લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃત્યુ પામેલા મોટાભાગના લોકો કાં તો યુવાન હતા કે પછી આધેડ.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ અહેવાલ અંગે, આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશમાં ઘણી એજન્સીઓ દ્વારા અચાનક મૃત્યુના કેસોની તપાસ કરવામાં આવી છે, જેનાથી સાબિત થયું છે કે કોવિડ-19 રસીકરણ (Covid Vaccine) અને દેશમાં અચાનક મૃત્યુના સમાચાર વચ્ચે કોઈ સીધો સંબંધ નથી.
Extensive studies by ICMR (Indian Council of Medical Research) and AIIMS on sudden deaths among adults post-COVID have conclusively established no linkage between COVID-19 vaccines and sudden deaths: Ministry of Health and Family Welfare.
— ANI (@ANI) July 2, 2025
Studies by ICMR and the National Centre… pic.twitter.com/f5NcZ9x1Oq
તો પછી કેમ થઈ રહ્યા છે અચાનક મૃત્યુ?
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે યુવાન મૃત્યુમાં તાજેતરમાં વધારો આનુવંશિકતા, જીવનશૈલી, પહેલાથી અસ્તિત્વમાં રહેલી પરિસ્થિતિઓ અને કોવિડ પછીની જટીલતા વગેરે જેવા વિવિધ પરિબળોનું પરિણામ હોઈ શકે છે.

આ અહેવાલ પહેલા, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ (JP Nadda) પણ કહ્યું હતું કે અચાનક મૃત્યુનું કારણ કોવિડ વેક્સીન (Covid Vaccine) નથી. તે દરમિયાન, નડ્ડાએ ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) ના એક અહેવાલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રસીકરણથી જોખમ વધ્યું નથી પરંતુ ઘટ્યુ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો