Turkey
Spread the love

તુર્કીયે (Turkey) પર અમદાવાદમાં (Ahmedabad) વિમાન તુટી (Plane Crash) પડવાની દુર્ઘટના બાદ બાબા રામદેવ (Baba Ramdev) દ્વારા લગાવવામાં આવેલા આરોપો ઉપર તુર્કીયેએ (Turkey) પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તુર્કીના માહિતી વિભાગે સ્પષ્ટતા કરી છે કે ટર્કિશ ટેકનિક (Turkish Technic) કંપનીએ ક્રેશ થયેલા બોઇંગ 787-8 (Boeing 787-8) વિમાનની જાળવણી કરતી નહોતી. તેમણે આગળ કહ્યું કે આ આરોપ ભારત-તુર્કી સંબંધોને પ્રભાવિત કરવાનો પ્રયાસ છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ગુરુવારે ગુજરાતના અમદાવાદમાં વિમાન તુટી (Plane Crash) પડવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 275 લોકોના મૃત્યુ થયા છે. મૃતકોના મૃતદેહોની ઓળખ ડીએનએની મદદથી કરવામાં આવી રહી છે. ઓળખ બાદ કેટલાક મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે. દરમિયાન, શનિવારે બાબા રામદેવે (Baba Ramdev) એર ઈન્ડિયાના (Air India) વિમાન તુટી પડવાના અકસ્માત અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે વિમાન તુટી પડવાની (Plane Crash) દુર્ઘટનામાં તુર્કીની (Turkey) એજન્સી દ્વારા કાવતરું હોવાની શંકા પણ વ્યક્ત કરી હતી. આ આરોપો પછી, તુર્કીએ (Turkey) હવે પોતાનો પક્ષ રજૂ કર્યો છે.

તુર્કીયેના (Turkey) માહિતી વિભાગે એ દાવાને ફગાવી દીધો છે કે એર ઇન્ડિયાના (Air India) બોઇંગ 787-8 (Boeing 787-8) વિમાનની જાળવણી ટર્કિશ ટેકનિક (Turkish Technic) કંપની દ્વારા કરવામાં આવતી હતી. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X ઉપર એક પોસ્ટ કરતા, વિભાગે કહ્યું કે આવો દાવો કરવો એ જનતાને ગેરમાર્ગે દોરવાનો અને ભારત-તુર્કી સંબંધોને અસર કરવાનો પ્રયાસ છે.

તુર્કીયેએ (Turkey) કહ્યું અમારી કંપનીએ વિમાનની જાળવણી નહોતી કરી

એર ઈન્ડિયા (Air India) અને ટર્કિશ ટેકનિક (Turkish Technic) વચ્ચેનો કરાર ફક્ત B777 વિમાનના જાળવણી માટે હતો, બોઇંગ 787-8 (Boeing 787-8) માટે નહીં. ટર્કિશ ટેકનિકે (Turkish Technic) ક્યારેય અકસ્માતનો ભોગ બનેલા વિમાનની જાળવણીનું કાર્ય હાથ ધર્યું ન હતું.

તુર્કીયેએ (Turkey) પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી ટર્કિશ ટેકનિકે (Turkish Technic) એર ઈન્ડિયાના (Air India) કોઈપણ બોઇંગ 787-8 (Boeing 787-8) વિમાનની સર્વિસ કરી નથી. અમે જાણીએ છીએ કે કઈ કંપનીએ છેલ્લે તે વિમાનની સર્વિસ કરી હતી, પરંતુ ગેરસમજ ન ફેલાય તે માટે અમે તેના વિશે કંઈ કહીશુ નહી. અમારી સંસ્થા આવા ખોટા દાવાઓ પર નજર રાખશે અને તુર્કીયેની છબી ખરાબ કરનારાઓ સામે આવ્શ્યક પગલા લેશે.

તુર્કીયે (Turkey) સામે કયા આરોપો લાગ્યા?

અમદાવાદ (Ahmedabad) વિમાન તુટી (Plane Crash) પડવાની દુર્ઘટના બાદ બાબા રામદેવે (Baba Ramdev) તુર્કીયે પર શંકા વ્યક્ત કરી હતી. તેમણે તુર્કીયેની કંપની ટર્કિશ ટેકનિક (Turkish Technic) પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. બાબાએ આરોપ લગાવ્યો હતો કે આ દુર્ઘટના દ્વારા તુર્કીયેની કંપનીએ ભારત સાથેની પોતાની દુશ્મનાવટ બહાર કાઢી છે. આ સાથે બાબા રામદેવે ભારતે ઓછામાં ઓછું સંવેદનશીલ ક્ષેત્રોમાં વિદેશી હસ્તક્ષેપ દૂર કરવો જોઈએ તેમ જણાવ્યું હતુ.

અમદાવાદ પ્લેન ક્રેશમાં 275 લોકોના થયા મૃત્યુ

અમદાવાદ (Ahmedabad) વિમાન તુટી (Plane Crash) પડવાની દુઘટનામાં વિમાનમાં સવાર 242 મુસાફરોમાંથી 241 લોકોના મોત થયા છે. વિમાનમાં સવાર ફક્ત 1 યુવાન બચી ગયા છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ આ અકસ્માતમાં મૃત્યુ થયું છે. આગમાં દાઝી જવાને કારણે મૃતકોની ઓળખ કરવી મુશ્કેલ બની છે. આ કારણથી મૃતદેહોની ઓળખ માટે ડીએનએ (DNA) નમૂનાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં કેટલાક મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. મૃતકો માટે 1 કરોડ રૂપિયાનું વળતર પણ જાહેર કરવામાં આવ્યું છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *