હૈદરાબાદના (Hyderabad) ગુલઝાર હાઉસમાં લાગેલી ભીષણ આગમાં 17 લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગના બાળકો હતા. ઘણા બાળકો ફક્ત 1-2 વર્ષના હતા. પશ્ચિમ બંગાળના ઘણા પરિવારો રજાઓનો આનંદ માણી રહ્યા હતા, પરંતુ આ ઘટના દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ. સરકારે વળતરની જાહેરાત કરી છે, પરંતુ આ ઘટનાએ બધાને હચમચાવી દીધા છે. આગ લાગવાના કારણની તપાસ ચાલુ છે.
દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા માટે વોટ્સએપ ચેનલ ફોલો કરો
રવિવારે (18 મે) સવારે હૈદરાબાદના (Hyderabad) ચારમિનાર સ્થિત ગુલઝાર હાઉસ પાસેની એક ઈમારતમાં ભીષણ આગ લાગવાથી 17 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોના બાળકો પણ શામેલ છે. તેમાંના ઘણા ફક્ત 1 કે 2 વર્ષના છે. મૃત્યુ પામેલા મોટાભાગના લોકો પશ્ચિમ બંગાળના હતા અને રજાઓ ગાળવા હૈદરાબાદ આવ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીથી લઈને અન્ય તમામ નેતાઓએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પણ વળતરની જાહેરાત કરી છે.

હૈદરાબાદના (Hyderabad) ગુલઝાર હાઉસમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા મોટાભાગના બાળકો હતા. જેમાં કેટલાકની ઉંમર 2 વર્ષ છે અને કેટલાક તેનાથી પણ નાના છે. આ બાળકો પોતાના પરિવાર સાથે રજાઓ માણવા આવ્યા હતા, પરંતુ આ આગજનીની ઘટનાએ બધાને હચમચાવી દીધા છે. ઘટના સમયે ઈમારતમાં 30 થી વધુ લોકો હાજર હતા. આમાંથી 15 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
17 persons died and several others were injured when a fire broke out in a residential place near Gulzar House near #Charminar in #Hyderabad. The injured have been shifted to nearby hospitals. 11 fire tenders have been pressed into service immediately on the information. pic.twitter.com/xsMgcFvPUI
— DD News (@DDNewslive) May 18, 2025
ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તેમને DRDO હોસ્પિટલ, ઉસ્માનિયા જનરલ હોસ્પિટલ અને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક ડઝનથી વધુ ફાયર ફાઈટર્સ અને બે કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જોકે, આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે.

હજુ તો જીવન આરંભ થયુ ત્યાં મોત આવી પહોંચ્યું
હૈદ્રાબાદના (Hyderabad) ગુલઝાર હાઉસમાં આજે લાગેલી આગમાં 8 બાળકોના મોત થયા છે. તેમાં એક બાળક ફક્ત દોઢ વર્ષનો હતો. તે પણ મૃત્યુ પામ્યો છે. અન્ય બાળકોમાં ઈરાજ (2 વર્ષ), અનુયાન (3 વર્ષ), આરુષિ (3), ઈડ્ડુ (4 વર્ષ), ઋષભ (4), પ્રિયાંશ (4 વર્ષ) અને હામે હતો જે ફક્ત 7 વર્ષનો હતો. આ બાળકો આ આગમાં મૃત્યુ પામ્યા. હાલમાં તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ હાઉસમાં રાખવામાં આવ્યા છે.

હૈદ્રાબાદની (Hyderabad) ઘટના પર પીએમ નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ
પીએમ મોદીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમજ મૃતકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરતા લખ્યું, તેલંગાણાના હૈદરાબાદમાં આગની ઘટનામાં લોકોના મોતથી હું ખૂબ જ દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની હું પ્રાર્થના કરું છું. દરેક મૃતકના પરિવારના સભ્યોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા માટે વોટ્સએપ ચેનલ ફોલો કરો