કર્ણાટકમાં ભાજપ આઈટી સેલના (BJP IT Cell) વડા અમિત માલવિયા અને પત્રકાર અર્નબ ગોસ્વામી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. ફરિયાદીએ બંને પર ગુનાહિત ઝુંબેશ ચલાવવાનો આરોપ લગાવાયો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે બંનેએ તુર્કીયેના ઈસ્તંબુલ કોંગ્રેસ સેન્ટરને કોંગ્રેસનું કાર્યાલય ગણાવીને દુર્ભાવનાપૂર્ણ અને ખોટા દાવા કર્યા હતા.
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો
મંગળવારે બેંગલુરુમાં ભાજપ આઈટી સેલના (BJP IT Cell) વડા અમિત માલવિયા અને રિપબ્લિક ટીવીના (Republic TV) મુખ્ય સંપાદક અર્નબ ગોસ્વામી વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ભારતીય યુવા કોંગ્રેસ (IYC) ના કાનૂની સેલના વડા શ્રીકાંત સ્વરૂપ બીએનની ફરિયાદ પર હાઇ ગ્રાઉન્ડ્સ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો. ફરિયાદમાં માલવિયા અને ગોસ્વામી પર BNS ની કલમ 192 (હુલ્લડો કરવાના ઈરાદાથી ઉશ્કેરણી) અને 352 (શાંતિનો ભંગ કરવાના ઈરાદાથી ઈરાદાપૂર્વક અપમાન) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો.
Under the direction of @IYC In-charge Shri @Allavaru Ji, National President @UdayBhanuIYC Ji, and Our Chairman @RoopeshINC Ji, an FIR has been registered under non-bailable sections against @amitmalviya and Arnab Goswami Editor-in-Chief, @republic for defaming the constitutional… pic.twitter.com/nlTxoPO8RD
— IYC Legal Cell (@IYCLegalCell) May 20, 2025
BJP IT સેલના પ્રમુખ અને અર્નબ ઉપર ગુનાહિત ઝુંબેશ ચલાવવાના આરોપો
સ્વરૂપે આરોપ લગાવ્યો કે ભાજપ આઈટી સેલના (BJP IT Cell) પ્રમુખ માલવિયા અને ગોસ્વામીએ ખોટી માહિતી ફેલાવવા માટે એક ઘૃણાસ્પદ અને ગુનાહિત અભિયાન શરૂ કર્યું. તેમણે દાવો કર્યો હતો કે બંનેએ તુર્કીયેના ઈસ્તંબુલ કોંગ્રેસ સેન્ટરને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) ના કાર્યાલય તરીકે વર્ણવીને દુર્ભાવનાપૂર્ણ રીતે ખોટા દાવા ફેલાવ્યા હતા.

ફરિયાદી શ્રીકાંત સ્વરૂપે જણાવ્યું હતું કે ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતી ફેલાવવાનો હેતુ ભારતના લોકોને છેતરવાનો, એક મુખ્ય રાજકીય સંસ્થાને બદનામ કરવાનો, રાષ્ટ્રીય લાગણીઓને ઉશ્કેરવાનો, જાહેર અશાંતિને પ્રોત્સાહન આપવાનો અને રાષ્ટ્રીય સુરક્ષા અને લોકશાહી અખંડિતતાને નબળી પાડવાનો હતો.

ફરિયાદને કટોકટી તરીકે સ્વીકારવાની અપીલ
ભાજપ આઈટી સેલના (BJP IT Cell) પ્રમુખ અમિત માલવિયા અને અર્નબ ગોસ્વામી સામે દાખલ કરાયેલી ફરિયાદમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “ભારત અને તુર્કી વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે, માલવિયા અને ગોસ્વામીના કાર્યોએ ભારતના લોકશાહી પાયા, જાહેર સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા પર અભૂતપૂર્વ હુમલો કર્યો છે.” સ્વરૂપે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, માહિતી અને પ્રસારણ મંત્રાલય, સીબીઆઈ અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓને ફરિયાદને કટોકટી ની સ્થિતિ તરીકે ગણવા અપીલ કરી હતી.
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો