કેરળના (Kerala) દરિયાકાંઠે સિંગાપોરનો ધ્વજ ધરાવતા કન્ટેનર જહાજ MV WAN HAI 503 માં આગ લાગી હતી. વિસ્ફોટ બાદ બચાવ કામગીરી વધુ તીવ્ર બનાવવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 20 કન્ટેનર દરિયામાં ખાબક્યા છે. રેસ્ક્યુ બોટમાં 18 ક્રૂ સભ્યો સમુદ્રમાં ઉતર્યા છે.
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો
કેરળ (Kerala) કિનારે નવી મુંબઈ જઈ રહેલા સિંગાપોરના ધ્વજવાળા કન્ટેનર જહાજમાં આગ લાગી હતી. આ જહાજની ઓળખ MV WAN HAI 503 તરીકે થઈ છે. આ જહાજ 7 જૂને શ્રીલંકાના કોલંબોથી નીકળ્યું હતું અને 10 જૂને NPC મુંબઈ પહોંચવાનું હતું. મળતી જાણકારી મુજબ સોમવારે સવારે લગભગ 10:30 વાગ્યે, નૌકાદળને જહાજના અંડરડેકમાં આગ લાગવાની માહિતી મળી હતી.

કેરળ (Kerala) દરિયાકિનારાથી 130 નોટિકલ માઈલ દૂર થયા વિસ્ફોટ
ભારતીય કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે કેરળ (Kerala) કિનારાથી 130 નોટિકલ માઇલ ઉત્તર પશ્ચિમમાં સિંગાપોર-ધ્વજવાળા MV WAN HAI 503 જહાજ પર વિસ્ફોટ થયા પછી ભારતીય કોસ્ટ ગાર્ડે તરત જ પ્રતિક્રિયા આપી હતી. ICG વિમાને ઘટનાસ્થળનું મૂલ્યાંકન કર્યું અને હવાથી ફેંકી શકાય તેવી સામગ્રી ફેંકી હતી. ઉપરાંત, 4 ICG જહાજોને બચાવ માટે મોકલવામાં આવ્યા હતા.
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો

નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “પશ્ચિમ નૌકાદળ કમાન્ડ દ્વારા સવારે 11 વાગ્યે સંકટગ્રસ્ત જહાજને મદદ કરવા માટે INS સુરત મોકલવામાં આવ્યું હતું,” કેરળ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (SDMA) એ જણાવ્યું હતું કે આ ઘટના કોઝિકોડ જિલ્લામાં બેપોર કિનારાથી 78 નોટિકલ માઇલ દૂર બની હતી.
Quick response by @IndiaCoastGuard after explosion on #Singapore flagged MV #WANHAI503, 130 NM NW of #Kerala coast.
— Indian Coast Guard (@IndiaCoastGuard) June 9, 2025#ICG aircraft assessed the scene & dropped air-droppable
04 #ICG ships diverted for rescue.#MaritimeSafety #ICG #SearchAndRescue pic.twitter.com/xVPEShbU8h
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો
ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં જણાવવામાં આવ્યા અનુસાર જહાજમાંથી 20 કન્ટેનર દરિયામાં પડી ગયા હતા અને અનેક વિસ્ફોટ થયા હતા. ઘટના સમયે જહાજમાં 22 ક્રૂ મેમ્બર્સ હતા, જેમાંથી 18 લોકોએ રેસ્ક્યુ બોટ સાથે દરિયામાં કૂદી પડ્યા હતા.

દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો