Ahmedabad
Spread the love

અમદાવાદ (Ahmedabad) શહેરના મેઘાણીનગર (Meghaninagar) આઈજીપી કમ્પાઉન્ડમાં એર ઇન્ડિયાનું (Air India) પ્લેન ક્રેશ થયું છે. પ્લેન ક્રેશ થતા આસપાસના વિસ્તારમાં નાસભાગ થઈ છે.

અમદાવાદના (Ahmedabad) મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ

અમદાવાદના (Ahmedabad) મેઘાણીનગરમાં (Meghaninagar) એર ઈન્ડિયાનું (Air India) પેસેન્જર પ્લેન AI171 ક્રેશ (Plane Crashed) થયુ હોવાની ઘટના બની છે. પ્લેન ક્રેશ (Plane Crashed) થતા આસપાસના વિસ્તારમાં નાસભાગ થઈ છે. મળતી માહિતી અનુસાર ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થતા ફાયર વિભાદની ત્રણ ટીમો ઘટના સ્થળે પહોંચી છે.

IGB કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું છે. જેના પગલે આસપાસના વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. દુર્ઘટના બાદ રસ્તાઓ બંધ થયા છે. મળતી માહિતી અનુસાર ટેક ઓફ કરતા સમયે પ્લેન ક્રેશ (Plane Crashed) થયું હોવાનું સામે આવ્યું છે.

ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે. જેને પગલે તેઓ ઘટનાસ્થળે જવા રવાના થયા છે. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. જો કે સૌથી વધુ જે ચોંકાવનારી વિગતો મળી રહી છે તે એ છે કે ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણી પણ આ પ્લેનમાં સવાર હોવાની આશંકા સેવાઈ રહી છે.

ગુજરાતના (Gujarat) અમદાવાદના (Ahmedabad) મેઘાણીનગર (Meghaninagar) પાસે અમદાવાદથી લંડન (London) જતા પ્લેન ક્રેશ (Plane Crashed) થયું હતું. જો કે ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરી છે. પ્લેનમાં કેટલાક પેસેન્જર હાજર હતા તેની કોઈ પણ પ્રાથમિક માહિતી સામે આવી નથી.

આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

4 thoughts on “Breaking: અમદાવાદના (Ahmedabad)મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, લંડન જતા પ્લેનમાં 242 પેસેન્જર હતા સવાર”
  1. […] પહોંચ્યા છે. તેમજ વડોદરાની 2 NDRFની ટીમ અમદાવાદ આવવામાટે રવાના થયા છે. સિવિલ હોસ્પિટલ […]

  2. […] સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય […]

  3. […] અમદાવાદ પ્લેન ક્રેશ (Ahmedabad Plane Crash) દુર્ઘટનાની તપાસમાં NIA (નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી)ની ટીમ પણ જોડાઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. અન્ય એજન્સીઓ સાથે પણ NIA ટીમ સંકલન કરી રહી હોવાની વિગત જાણવા મળી છે. મળતી માહિતી મુજબ આજે NIAની ટીમ દુર્ઘટના સ્થળે જઈને તપાસ કરી છે અને હજી સાંજે ફરીથી તપાસ માટે આવે તેવી સંભાવના દર્શાવાઈ રહી છે. […]

  4. […] ગુજરાતના અમદાવાદમાં વિમાન તુટી (Plane Crash) પડવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 275 […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *