Air India
Spread the love

અમદાવાદમાં એર ઇન્ડિયાનું (Air India) પ્લેન ક્રેશ થયું છે.  ગુજસેલ એરપોર્ટ ઉપર પ્લેન ક્રેશ થયું  છે. પ્લેન ક્રેશ થયાની જાણ થતા જ ફાયરવિભાગની 3 ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ છે. ટેક ઓફની 2 જ મિનિટમાં જ પ્લેન ક્રેશ થયું હોવાની વિગતો મળી રહી છે. ફાયર અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

પ્લેન ક્રેશનો એક્સ્ક્લુસીવ વિડીયો

મુખ્યમંત્રી તાબડતોબ સુરતથી અમદાવાદ જવા રવાના થયા હોવાની પણ વિગતો મળી રહી છે. પ્લેનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોવાની શક્યતા. અમદાવાદમાં એર ઇન્ડિયાનું (Air India) પ્લેન ક્રેશમાં 128 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. air india 110ના મોતનું કન્ફર્મ કર્યું છે.

NDRFની 3 ટીમ ઘટના સ્થળે પહોંચ્યા છે. તેમજ વડોદરાની 2 NDRFની ટીમ અમદાવાદ આવવામાટે રવાના થયા છે. સિવિલ હોસ્પિટલ સુધીની ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર ઘટના સ્થળ પર હાજર છે. એર ઈન્ડિયાએ આ દુર્ઘટના માટે ઈમરજન્સી હેલ્પલાઈન નંબર 1800-5691-444 જાહેર કર્યો છે.

એર ઈન્ડિયાના (Air India) પ્લેનમાં હતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી

મળતી માહિતી આ એર ઈન્ડિયાના (Air India) આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ CM વિજય રુપાણી હોવાની આશંકા જતાવાઈ રહી હતી હવે પુષ્ટિ થઈ છે આ પૂર્વ CM વિજય રુપાણી દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં સવાર હતા. મળતી માહિતી મુજબ રુપાણીની ટિકિટ સામે આવી છે અને માહિતી મળી રહી છે પૂર્વ CM પોતાની દિકરીને લંડન મળવા જઈ રહ્યા હતા. તેમજ આ પ્લેનમાં તેઓ પરિવાર માંથી એકલા સવાર હતા.

NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. આ પ્લેનમાં પેસેન્જર્સ ,ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા જેમાં 133 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ આ ઘટનામાં મોટી જાનહાનીની આશંકા જતાવાઈ છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *