રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના (Shri Ram Janmabhoomi Teerth Kshetra) મહાસચિવ ચંપત રાય (Champat Rai) રામ મંદિર (Ram Mandir) સાથે જોડાયેલા ચઢાવાની ઉચાપતના આરોપો વચ્ચે રાજીનામું આપવાના દબાણ કરવામાં આવ્યું હતું.

‘ટાઇમ્સ નાઉ ડિજિટલ’ ના (Times Now Digital) જણાવ્યા અનુસાર, રામ મંદિર ચઢાવા ચોરીના (Ram Mandir Donation Theft) ચાલી રહેલા વિવાદ વચ્ચે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના (Shri ram Janmabhoomi Teerth Kshetra) મહાસચિવ ચંપત રાયને (Champat Rai) કથિત રીતે પોતાના પદ પરથી હટી જવા અથવા ટ્રસ્ટ દ્વારા હટાવવામાં આવવા અંગેનું અલ્ટીમેટમ (Ultimetam) આપવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચંપત રાયને (Champat Rai) જાણ કરવામાં આવી હતી કે જો તેઓ સ્વેચ્છાએ રાજીનામું (Resignation) નહીં આપે, તો ટ્રસ્ટ જાહેરમાં તેમને પદ પરથી હટાવવાની જાહેરાત કરશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે રામ મંદિર (Ram Mandir) માટે મળેલા દાનની કથિત ઉચાપત અને મંદિરની નાણાકીય વ્યવસ્થા સંભાળવા માટે જવાબદાર લોકોની ભૂમિકા અંગે તપાસ તેજ થઈ ગઈ છે.
‘રાજીનામું આપો અથવા હટાવવામાં આવશે’
સૂત્રોએ જણાવ્યું કે, નાણાકીય ગેરરીતિઓના (Financial Irregularities) આરોપો સામે આવ્યાના ટૂંક સમયમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ચંપત રાયના (Champat Rai) રાજીનામાની તરફેણમાં હતું. જો કે, ચંપત રાયે (Champat Rai) કથિત રીતે શુક્રવાર રાત સુધી પદ છોડવાની માંગનો વિરોધ કર્યો હતો. શનિવારે તેમને કથિત રીતે આખરી સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો કે તેઓ રાજીનામું આપી દે અથવા ટ્રસ્ટ તરફથી જાહેરમાં હટાવવાનો સામનો કરે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચઢાવા ચોરીના કેસની અસરો અંગે થયેલી આંતરિક ચર્ચા બાદ આ ચેતવણી આપવામાં આવી હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ચંપત રાય (Champat Rai) પોતાનો પક્ષ રજૂ કરશે
સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, આ મહિનાના અંતમાં વિશેષ તપાસ ટીમ (SIT) પોતાનો અંતિમ અહેવાલ સોંપે તે પછી ચંપત રાય (Champat Rai) મીડિયા (Media) સમક્ષ પોતાની વાત રાખે તેવી અપેક્ષા છે. તેઓ આ ઘટનાઓ અંગે પોતાનો પક્ષ રજૂ કરે અને કથિત ચઢાવા ઉચાપત સંબંધિત સવાલોના જવાબ આપે તેવી સંભાવના છે.
આ વિવાદ રામ મંદિરમાં (Ram Mandir) આવેલા રોકડ ચઢાવાને મંદિરના ફંડની જવાબદારી સંભાળતી વ્યક્તિઓ દ્વારા કથિત રીતે સગેવગે કરવાના આરોપોની આસપાસ કેન્દ્રિત છે. તપાસકર્તાઓ આ કેસમાં ટિન્નુ યાદવની (Tinu Yadav) કથિત ભૂમિકાની તપાસ કરી રહ્યા છે, જે કથિત રીતે ચઢાવા એકત્ર કરવા અને તેની ગણતરીમાં સામેલ હતો અને ચંપત રાયની (Champat Rai) ખૂબ નજીક હોવાનું કહેવાય છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
સૂત્રોના જણાવ્યા અનુસાર, એવા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે કે શું ટ્રસ્ટના વરિષ્ઠ હોદ્દેદારોની જાણ બહાર આવી કથિત ગેરરીતિઓ થઈ શકે ખરી?
સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે જ્યારે શરૂઆતમાં આ આરોપો સામે આવ્યા ત્યારે રાયે એવો મત રાખ્યો હતો કે ટ્રસ્ટ આ મામલાની આંતરિક તપાસ કરશે. જો કે, વિપક્ષી નેતાઓએ આ મુદ્દો જાહેરમાં ઉઠાવ્યા બાદ સ્વતંત્ર તપાસની માંગ તેજ થઈ ગઈ હતી.

વિશેષ તપાસ ટીમ (SIT) આ મહિનાના અંતમાં પોતાનો બીજો અને અંતિમ અહેવાલ સોંપે તેવી અપેક્ષા છે. સૂત્રોએ જણાવ્યું કે તપાસકર્તાઓ એ બાબતની તપાસ કરી રહ્યા છે કે કથિત ઉચાપત સાથે જોડાયેલા લોકો સામે વધુ કોઈ કાર્યવાહીની જરૂર છે કે નહીં. હવે એ જોવાનું બાકી રહે છે કે એસઆઈટી (SIT) તેના તારણોમાં ચંપત રાયનું નામ (Champat Rai) સામેલ કરે છે કે વધુ પૂછપરછની ભલામણ કરે છે. સૂત્રો દ્વારા કરવામાં આવેલા આ દાવાઓ પર ચંપત રાય (Champat Rai), રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ (Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust) કે આરએસએસ (RSS) તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
Ram Mandir 'Donation Theft' Case
— TIMES NOW (@TimesNow) June 28, 2026
Sources: RSS backed Champat's exit
– 'RSS sought immediate resignation'
– 'Champat Rai resisted till Friday'
– 'Rai was warned of public announcement'
– 'Step down or be removed message sent' @WalterAdeeb shares more details… pic.twitter.com/k3tuHrYUiG
